Surah Az-Zalzalah
સૂરહ અઝ્-ઝિલઝાલ
સૂરહ અઝ્-ઝિલઝાલ
સૂરહ અઝ્-ઝિલઝાલ (૯૯)
ધરતીકંપ
સૂરહ અઝ્-ઝિલઝાલ[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ (૮) આયતો અને એક (૧) રૂકૂઅ છે.
સંપૂર્ણ સૂરહની તિલાવત સાંભળવા માટે નીચે આપલે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) જ્યારે ધરતીને સંપૂર્ણ રીતે હલાવી નાંખવામાં આવશે.[2]
(૨) અને પોતાના અંદરથી બોજાઓ બહાર કાઢી ફેંકશે.[3]
(૩) અને મનુષ્ય કહેશે કે તેને શું થઈ ગયું છે ?
(૪) તે દિવસે ધરતી પોતાની તમામ સૂચનાઓ (સમાચાર) વર્ણન કરી દેશે.[4]
(૫) એટલા માટે કે તમારા રબે તેને હુકમ આપ્યો હશે.
(૬) તે દિવસે લોકો જુદા-જુદા સમૂહોમાં થઈ ને પાછા ફરશે, જેથી તેમને તેમના કર્મો બતાવી દેવામાં આવે.
(૭) તો જેણે રજભાર પણ ભલાઈ કરી હશે, તે તેને જોઈ લેશે.
(૮) અને જેણે રજભાર પણ બૂરાઈ કરી હશે, તે તેને જોઈ લેશે. (ع-૧)