Surah Al-Hashr
સૂરહ અલ-હશ્ર
રૂકૂઅ : ૨
આયત ૧૧ થી ૧૭
اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ نَافَقُوْا یَقُوْلُوْنَ لِاِخْوَانِهِمُ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ لَئِنْ اُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَ لَا نُطِیْعُ فِیْكُمْ اَحَدًا اَبَدًا ۙ وَّ اِنْ قُوْتِلْتُمْ لَنَنْصُرَنَّكُمْ ؕ وَ اللّٰهُ یَشْهَدُ اِنَّهُمْ لَكٰذِبُوْنَ (11)
(૧૧) શું તમે મુનાકિકો (દંભીઓ) ને નથી જોયા જેઓ પોતાના કિતાબવાળા કાફિર સાથીઓને કહે છે કે જો તમને દેશ-નિકાલ કરવામાં આવશે તો અમે પણ તમારા સાથે દેશ છોડી દઈશું, અને તમારા વિશે કદી પણ કોઈનું કહ્યુ માનીશું નહિં, અને જો તમારાથી યુદ્ધ કરવામાં આવશે તો જરૂર અમે તમારી મદદ કરીશું, પરંતુ અલ્લાહ સાક્ષી આપે છે કે તેઓ તદ્દન જૂઠા છે.
لَئِنْ اُخْرِجُوْا لَا یَخْرُجُوْنَ مَعَهُمْ ۚ وَ لَئِنْ قُوْتِلُوْا لَا یَنْصُرُوْنَهُمْ ۚ وَ لَئِنْ نَّصَرُوْهُمْ لَیُوَلُّنَّ الْاَدْبَارَ {قف} ثُمَّ لَا یُنْصَرُوْنَ (12)
(૧૨) જો તેમને દેશમાંથી કાઢી મૂકવામાં આવશે તો તેમના સાથે જશે નહિં અને જો તેમના સામે યુદ્ધ થઈ જાય તો તેમની મદદ (પણ) નહીં કરે, અને જો (એમ માની પણ લઈએ કે) કદાચ મદદ કરવા આવી ગયા તો પીઠ બતાવીને નાસી જશે. પછી મદદ મેળવી શકશે નહિં.
لَاَنْتُمْ اَشَدُّ رَهْبَةً فِیْ صُدُوْرِهِمْ مِّنَ اللّٰهِ ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَفْقَهُوْنَ (13)
(૧૩) (મોમિનો ભરોસો રાખો) કે તમારો ડર તેમના દિલોમાં અલ્લાહના ડરથી ખૂબ જ વધારે છે. આ એટલા માટે કે તેઓ સમજતા નથી.
لَا یُقَاتِلُوْنَكُمْ جَمِیْعًا اِلَّا فِیْ قُرًى مُّحَصَّنَةٍ اَوْ مِنْ وَّرَآءِ جُدُرٍ ؕ بَاْسُهُمْ بَیْنَهُمْ شَدِیْدٌ ؕ تَحْسَبُهُمْ جَمِیْعًا وَّ قُلُوْبُهُمْ شَتّٰى ؕ ذٰلِكَ بِاَنَّهُمْ قَوْمٌ لَّا یَعْقِلُوْنَ ۚ (14)
(૧૪) આ બધા ભેગા થઈને પણ તમારાથી લડી શકશે નહિં. પરંતુ એ અલગ વાત છે કે કિલ્લાબંધ વસ્તીઓમાં અથવા દિવાલોની આડમાં હોય, તેમની લડાઈઓ અંદરો અંદર બહુ જ સખત છે. જો કે તમે તેમને સંગઠીત સમજી રહ્યા છો, પરંતુ હકીકતમાં તેમના દિલ એકબીજાથી અલગ છે. આ એટલા માટે કે તેઓ બુદ્ધિ વગરના છે.
كَمَثَلِ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ قَرِیْبًا ذَاقُوْا وَبَالَ اَمْرِهِمْ ۚ وَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ ۚ (15)
(૧૫) તે લોકોની જેમ જ જેઓ આમનાથી થોડા જ સમય પહેલા પસાર થઈ ગયા છે, તેઓએ પોતાના ગુનાહોની મજા ચાખી લીધી છે અને આમના માટે દુઃખદાયી અઝાબ (તૈયાર) છે.
كَمَثَلِ الشَّیْطٰنِ اِذْ قَالَ لِلْاِنْسَانِ اكْفُرْ ۚ فَلَمَّا كَفَرَ قَالَ اِنِّیْ بَرِیْٓءٌ مِّنْكَ اِنِّیْۤ اَخَافُ اللّٰهَ رَبَّ الْعٰلَمِیْنَ (16)
(૧૬) શેતાનની જેમ જ જેણે માણસને કહ્યું કે તું કાફિર થઈ જા, જ્યારે તે કાફિર થઈ ચૂક્યો ત્યારે કહેવા લાગ્યો કે હું તો તારાથી અલગ છું હું તો સમગ્ર દુનિયાના રબથી ડડું છું.
فَكَانَ عَاقِبَتَهُمَاۤ اَنَّهُمَا فِی النَّارِ خَالِدَیْنِ فِیْهَا ؕ وَ ذٰلِكَ جَزٰٓؤُا الظّٰلِمِیْنَ ۧ (17)
(૧૭) તો બન્નેનું પરિણામ એ આવ્યું કે (જહન્નમની) આગમાં હંમેશના માટે ગયા, અને જાલીમોની આ જ સજા છે. (ع-૨)