(૯૩) અને તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે જે અલ્લાહ ઉ૫૨ જૂઠો આરોપ લગાવે અથવા કહે કે મારી તરફ વહી આવી છે, જયારે કે તેના તરફ કશું નથી આવ્યું, અને જેણે કહ્યું કે જેવી રીતે અલ્લાહે ઉતાર્યું હું પણ ઉતારીશ, જો તમે જાલિમોને મૃત્યુના સખત અઝાબમાં જોશો, જયારે ફરિશ્તાઓ પોતાના હાથ લપકાવીને કહેશે કે, “પોતાનો જીવ નીકાળો, આજે તમને અલ્લાહ ૫૨ નાહક આરોપ લગાવવા અને ધમંડથી તેની આયતોનો ઈન્કાર કરવાના કારણે અપમાનજનક બદલો આપવામાં આવશે."