Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૧

આયત ૯૧ થી ૯૪


وَ مَا قَدَرُوا اللّٰهَ حَقَّ قَدْرِهٖۤ اِذْ قَالُوْا مَاۤ اَنْزَلَ اللّٰهُ عَلٰى بَشَرٍ مِّنْ شَیْءٍ ؕ قُلْ مَنْ اَنْزَلَ الْكِتٰبَ الَّذِیْ جَآءَ بِهٖ مُوْسٰى نُوْرًا وَّ هُدًى لِّلنَّاسِ تَجْعَلُوْنَهٗ قَرَاطِیْسَ تُبْدُوْنَهَا وَ تُخْفُوْنَ كَثِیْرًا ۚ وَ عُلِّمْتُمْ مَّا لَمْ تَعْلَمُوْۤا اَنْتُمْ وَ لَاۤ اٰبَآؤُكُمْ ؕ قُلِ اللّٰهُ ۙ ثُمَّ ذَرْهُمْ فِیْ خَوْضِهِمْ یَلْعَبُوْنَ (91)

(૯૧) અને તેઓએ જેવી રીતે અલ્લાહની કદર કરવી જોઈએ તેવી રીતે કદર ન કરી, જયારે તેઓએ આવું કહ્યું કે, “અલ્લાહે કોઈ મનુષ્ય ૫૨ કશું નથી ઉતાર્યું." તમે કહી દો કે, “મૂસા જે કિતાબ તમારા પાસે લાવ્યા જે લોકો માટે નૂર અને હિદાયત છે તેને કોણે ઉતારી જેને તમે અલગ અલગ કાગળમાં રાખો છો, જેમાંથી થોડું જાહેર કરો છો અને વધારે પડતુ છૂપાવો છો અને તમને તે ઈલ્મ આપવામાં આવ્યું જેને તમે અને તમારા બાપદાદા જાણતા ન હતા." - બસ તમે એટલું કહી દો કે અલ્લાહ! પછી તેમને તેમની દલીલબાજીઓમાં રમતા છોડી દો.


وَ هٰذَا كِتٰبٌ اَنْزَلْنٰهُ مُبٰرَكٌ مُّصَدِّقُ الَّذِیْ بَیْنَ یَدَیْهِ وَ لِتُنْذِرَ اُمَّ الْقُرٰى وَ مَنْ حَوْلَهَا ؕ وَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِالْاٰخِرَةِ یُؤْمِنُوْنَ بِهٖ وَ هُمْ عَلٰى صَلَاتِهِمْ یُحَافِظُوْنَ (92)

(૯૨) અને આ પણ એક મુબારક કિતાબ છે, જેને અમે ઉતારી છે, પોતાનાથી પહેલાના (ધર્મગ્રંથો)નું સમર્થન કરે છે, જેથી તમે અસલ વસ્તી (મક્કા) અને તેની આસપાસ (ના શહેરો એટલે કે પૂરી દુનિયા) ને બાખબર કરો, અને જે લોકો આખિરત ૫૨ ઈમાન રાખે છે તે જ લોકો તેને માનશે અને તેઓ પોતાની નમાઝોની સુરક્ષા કરશે.


وَ مَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ قَالَ اُوْحِیَ اِلَیَّ وَ لَمْ یُوْحَ اِلَیْهِ شَیْءٌ وَّ مَنْ قَالَ سَاُنْزِلُ مِثْلَ مَاۤ اَنْزَلَ اللّٰهُ ؕ وَ لَوْ تَرٰۤى اِذِ الظّٰلِمُوْنَ فِیْ غَمَرٰتِ الْمَوْتِ وَ الْمَلٰٓئِكَةُ بَاسِطُوْۤا اَیْدِیْهِمْ ۚ اَخْرِجُوْۤا اَنْفُسَكُمْ ؕ اَلْیَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُوْنِ بِمَا كُنْتُمْ تَقُوْلُوْنَ عَلَى اللّٰهِ غَیْرَ الْحَقِّ وَ كُنْتُمْ عَنْ اٰیٰتِهٖ تَسْتَكْبِرُوْنَ (93)

(૯૩) અને તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે જે અલ્લાહ ઉ૫૨ જૂઠો આરોપ લગાવે અથવા કહે કે મારી તરફ વહી આવી છે, જયારે કે તેના તરફ કશું નથી આવ્યું, અને જેણે કહ્યું કે જેવી રીતે અલ્લાહે ઉતાર્યું હું પણ ઉતારીશ, જો તમે જાલિમોને મૃત્યુના સખત અઝાબમાં જોશો, જયારે ફરિશ્તાઓ પોતાના હાથ લપકાવીને કહેશે કે, “પોતાનો જીવ નીકાળો, આજે તમને અલ્લાહ ૫૨ નાહક આરોપ લગાવવા અને ધમંડથી તેની આયતોનો ઈન્કાર કરવાના કારણે અપમાનજનક બદલો આપવામાં આવશે."


وَ لَقَدْ جِئْتُمُوْنَا فُرَادٰى كَمَا خَلَقْنٰكُمْ اَوَّلَ مَرَّةٍ وَّ تَرَكْتُمْ مَّا خَوَّلْنٰكُمْ وَرَآءَ ظُهُوْرِكُمْ ۚ وَ مَا نَرٰى مَعَكُمْ شُفَعَآءَكُمُ الَّذِیْنَ زَعَمْتُمْ اَنَّهُمْ فِیْكُمْ شُرَكٰٓؤُا ؕ لَقَدْ تَّقَطَّعَ بَیْنَكُمْ وَ ضَلَّ عَنْكُمْ مَّا كُنْتُمْ تَزْعُمُوْنَ ۧ (94)

(૯૪) અને તમે અમારા પાસે એકલા-એકલા આવી ગયા જેવા તમને પ્રથમ વખતે પેદા કર્યા અને તમને જે આપ્યું તેને પાછળ છોડીને આવ્યા અને તમારા ભલામણકર્તાઓ અમને નથી દેખાઈ રહ્યા, જેને તમે પોતાના કામોમાં અમારા ભાગીદાર સમજી રહ્યા હતા, બેશક તમારા સંબંધો તૂટી ગયા અને તમારો ખયાલ તમારાથી ખોવાઈ ગયો. -૧૧)