Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૩

આયત ૨૧ થી ૩૦


إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ (21)

(૨૧) બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની આયતોથી કુફ્ર કરે છે, અને નબીઓને નાજાઈઝ (નાહક) કતલ કરે છે અને જે લોકો ન્યાયની વાતો કરે, તેમને પણ કતલ કરે છે તો (અય નબી) તમે તેમને મોટા અઝાબથી ખબરદાર કરી દો.


أُولَٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ (22)

(૨૨) તેઓના (પુણ્યના) કામ દુનિયા અને આખિરતમાં બેકાર થઈ ગયા અને તેમનો કોઈ મદદગાર નથી.

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ (23)

(૨૩) શું તમે તેમને નથી જોયા, જેમને કિતાબનો એક ભાગ આપવામાં આવ્યો છે, તેઓને પોતાના પરસ્પરના નિર્ણયો માટે અલ્લાહ (તઆલા)ની કિતાબ તરફ બોલાવવામાં આવે છે, પછી પણ તેમનું એક જૂથ મોઢું ફેરવી પાછું ફરે છે.


ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِم مَّا كَانُوا يَفْتَرُونَ (24)

(૨૪) તેનું કારણ તેમનું કેહવું છે કે તેમને ગણતરીના થોડાક જ દિવસ આગ સ્પર્શ કરશે, આ તેમની મનધડંત વાતોએ તેમને પોતાના ધર્મના વિષે ધોખામાં નાખી રાખ્યા છે.


فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ (25)

(૨૫) પછી શું હાલત થશે જયારે તેમને અમે તે દિવસે જમા કરીશું, જેના આવવામાં કોઈ શંકા નથી, અને દરેક વ્યક્તિને પોતાની કમાણીનો બદલો આપી દેવામાં આવશે અને તેમના ઉપર જુલ્મ કરવામાં નહિં આવે.


قُلِ اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (26)

(૨૬) તમે કહી દો, અય અલ્લાહ, અય સમગ્ર સૃષ્ટિના માલિક, તું જેને ઈચ્છે રાજય આપે અને જેનાથી ઈચ્છે રાજય છીનવી લે અને તુ જેને ચાહે સન્માન આપે અને જેને ચાહે અપમાનિત કરી દે, તારા જ હાથોમાં બધી ભલાઈઓ છે. બેશક તું દરેક વસ્તુ ૫૨ કુદરત ધરાવે છે.


تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ ۖ وَتَرْزُقُ مَن تَشَاءُ بِغَيْرِ حِسَابٍ (27)

(૨૭) તું જ રાત્રિને દિવસમાં દાખલ કરે છે અને દિવસને રાત્રિમાં દાખલ કરે છે, તું જ નિર્જીવમાંથી સજીવને પેદા કરે છે, અને સજીવમાંથી નિર્જીવને પેદા કરે છે, તું જ છે કે જેને ઈચ્છે છે બેહિસાબ રોજી આપે છે.


لَّا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّهِ فِي شَيْءٍ إِلَّا أَن تَتَّقُوا مِنْهُمْ تُقَاةً ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَإِلَى اللَّهِ الْمَصِيرُ (28)

(૨૮) મોમીનોને જોઈએ કે ઈમાનવાળાઓને છોડીને કાફિરોને પોતાના દોસ્ત ન બનાવે, અને જે આવું કરશે તે અલ્લાહ (તઆલા)ના તરફેણમાં નથી, પરંતુ એ કે તેમના (ડર) થી કોઈ પ્રકારની સુરક્ષાનો ઈરાદો હોય, અને અલ્લાહ (તઆલા) તમને પોતાનાથી ડરાવી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) તરફ પાછા ફરવાનું છે.


قُلْ إِن تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّهُ ۗ وَيَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (29)

(૨૯) કહી દો કે, ભલે તમે પોતાના દિલની વાતો છુપાવો અથવા જાહેર કરો, અલ્લાહ (તઆલા) બધાને જાણે છે, આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું જાણે છે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (સંપૂર્ણ પ્રભુત્વ) ધરાવનારો છે.


يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ (30)

(૩૦) જે દિવસે દરેક વ્યક્તિ પોતાની કરેલ ભલાઈ અને બૂરાઈને હાજર પામશે, તમન્ના કરશે કે કાશ! તેના અને ગુનાહની વચ્ચે ધણી દૂરી હોત. અલ્લાહ (તઆલા) તમને પોતાના થી ડરાવી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓ પર ઘણો મહેરબાન છે.