Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૪

આયત ૩૧ થી ૪૧


قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ (31)

(૩૧) કહી દો, જો તમે અલ્લાહ (તઆલા)થી મોહબ્બત કરો છો તો મારૂ અનુસરણ કરો, અલ્લાહ (તઆલા) પોતે તમારાથી મોહબ્બત કરશે અને તમારા ગુનાહ માફ કરી દેશે અને અલ્લાહ (તઆલા) ઘણો માફ કરવાવાળો અને મહેરબાન છે.


قُلْ أَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْكَافِرِينَ (32)

(૩૨) કહી દો, કે અલ્લાહ (તઆલા) અને રસૂલનું આજ્ઞાપાલન કરો, જો તેઓ મોઢું ફેરવી લે તો બેશક અલ્લાહ (તઆલા) કાફિરોને દોસ્ત નથી રાખતો.

إِنَّ اللَّهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ (33)

(૩૩) બેશક અલ્લાહ (તઆલા)એ તમામ લોકોમાંથી આદમને અને નૂહને અને ઈબ્રાહીમના પરિવારને અને ઈમરાનના પરિવારને ચૂંટી લીધા.


ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ (34)

(૩૪) કે આ બધા પરસ્પર એકબીજાના વંશથી છે અને અલ્લાહ (તઆલા) બધુંજ સાંભળે અને જાણે છે.


إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ (35)

(૩૫) જ્યારે ઈમરાનની પત્નીએ કહ્યું કે, હે મારા પાલનહાર! મારા ગર્ભમાં જે કંઈ પણ છે તેને તારા નામથી આઝાદ કરવાની મન્નત માની લીધી તો તું તેને કબૂલ કર, બેશક તું સારી રીતે સાંભળનાર અને જાણનાર છે.


فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنثَىٰ وَاللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ (36)

(૩૬) જયારે બાળકીને જન્મ આપ્યો તો કેહવા લાગી, મારા રબ! મને તો પુત્રી થઈ છે, અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે કે શું જન્મ આપ્યું છે, અને પુત્ર પુત્રીની જેમ નથી, મેં તેનું નામ મરયમ રાખ્યું છે, હું તેને અને તેની સંતાનને ધુત્કારી દીધેલ શયતાનથી તારી પનાહમાં આપું છું.


فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ (37)

(૩૭) તેને તેના રબે સારી રીતે કબૂલ કર્યું અને તેનું સૌથી સારૂ પાલન-પોષણ કરાવ્યું, તેના સંરક્ષક (નિગેહબાન) ઝકરિયાને બનાવી દીધા. જયારે પણ ઝકરિયા તેમના ઓરડામાં જતા તો તેમની પાસે રોજી (ફ્ળ-ફળાદી) મુકેલી જોતા હતા. તે પૂછતા કે, હે મરયમ! તમારી પાસે આ રોજી કયાંથી આવી? તે જવાબ આપતી આ અલ્લાહ (તઆલા)ના પાસેથી છે, બેશક અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે બેશુમાર રોજી આપે છે.


هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ (38)

(૩૮) તે જ જગ્યા પર ઝકરિયા (અ.સ.) પોતાના પાલનહારથી દુઆ કરી, કહ્યું કે અય મારા પાલનહાર! મને તારી પાસેથી નેક સંતાન આપ, બેશક તું દુઆ સાંભળનાર છે.


فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ (39)

(૩૯) પછી ફરિશ્તાઓએ પોકાર્યું જયારે કે તે કમરામાં ઊભા રહી નમાઝ પઢી રહ્યા હતા કે અલ્લાહ (તઆલા) તને યાહ્યાની વાસ્તવિક ખુશખબર આપે છે. જે અલ્લાહ (તઆલા)ના કલમાનું સમર્થન કરવાવાળો, સરદાર, પરહેઝગાર અને નબી હશે નેક લોકોમાંથી.


قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَقَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَامْرَأَتِي عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ (40)

(૪૦) કહેવા લાગ્યા, હે મારા રબ! મારે ત્યાં પુત્ર કેવી રીતે થશે? હું ખૂબજ વૃઘ્ધ થઈ ગયો છું અને મારી પત્ની વાંઝણી છે, કહ્યું આ રીતે અલ્લાહ (તઆલા) જે ઈચ્છે તે કરે છે.


قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ (41)

(૪૧) કહેવા લાગ્યા, રબ! મારા માટે તેની કોઈ નિશાની બનાવી આપ, કહ્યું નિશાની એ છે કે ત્રણ દિવસ સુધી તું લોકોથી વાત નહિં કરી શકે, ફક્ત ઈશારાથી સમજાવીશ, તું પોતાના રબનો ઝિક્ર (સ્મરણ) વધારે કર અને સવારે તથા સાંજે તેની મહાનતાનું વર્ણન કર.