Surah Yusuf

સૂરહ યૂસુફ

રૂકૂઅ : ૧૦

આયત ૮૦ થી ૯૩

فَلَمَّا اسْتَیْئَسُوْا مِنْهُ خَلَصُوْا نَجِیًّا ؕ قَالَ كَبِیْرُهُمْ اَلَمْ تَعْلَمُوْۤا اَنَّ اَبَاكُمْ قَدْ اَخَذَ عَلَیْكُمْ مَّوْثِقًا مِّنَ اللّٰهِ وَ مِنْ قَبْلُ مَا فَرَّطْتُّمْ فِیْ یُوْسُفَ ۚ فَلَنْ اَبْرَحَ الْاَرْضَ حَتّٰى یَاْذَنَ لِیْۤ اَبِیْۤ اَوْ یَحْكُمَ اللّٰهُ لِیْ ۚ وَ هُوَ خَیْرُ الْحٰكِمِیْنَ (80)

(૮૦) જ્યારે તેઓ નિરાશ થઈ ગયા તો એકાંતમાં બેસી સલાહ-મસલત કરવા લાગ્યા, તેમનામાં જે સૌથી મોટો હતો તેણે કહ્યું કે, “તમને ખબર નથી કે તમારા પિતાએ તમારા સાથે અલ્લાહને વચ્ચે રાખીને મજબૂત વચન અને વાયદો લીધો છે, અને આના પહેલા તમે યૂસુફના મામલામાં ગુનોહ કરી ચૂક્યા છો, હવે તો હું આ ધરતીથી હઠીશ નહિં જ્યાં સુધી પિતા મને પરવાનગી ન આપે, અથવા અલ્લાહ જ મારી આ સમસ્યાનો ફેંસલો કરી દે, તે સૌથી સારો ફેંસલો કરનાર છે.


اِرْجِعُوْۤا اِلٰۤى اَبِیْكُمْ فَقُوْلُوْا یٰۤاَبَانَاۤ اِنَّ ابْنَكَ سَرَقَ ۚ وَ مَا شَهِدْنَاۤ اِلَّا بِمَا عَلِمْنَا وَ مَا كُنَّا لِلْغَیْبِ حٰفِظِیْنَ (81)

(૮૧) તમે બધા પિતાની સેવામાં પાછા જાઓ અને કહો કે, “હે પિતાજી! તમારા પુત્રએ ચોરી કરી અને અમે તે જ ગવાહી આપી જેને અમે જાણતા હતા. અમે કંઈ ગૈબની રક્ષા કરનારા તો ન હતા.”


وَ سْئَلِ الْقَرْیَةَ الَّتِیْ كُنَّا فِیْهَا وَ الْعِیْرَ الَّتِیْۤ اَقْبَلْنَا فِیْهَا ؕ وَ اِنَّا لَصٰدِقُوْنَ (82)

(૮૨) અને તમે તે શહેરના લોકોને પૂછી લો, જ્યાં અમે હતા અને તે મુસાફરોને પણ પૂછી લો જેમના સાથે અમે આવ્યા છીએ અને બેશક અમે સાચા છીએ.


قَالَ بَلْ سَوَّلَتْ لَكُمْ اَنْفُسُكُمْ اَمْرًا ؕ فَصَبْرٌ جَمِیْلٌ ؕ عَسَى اللّٰهُ اَنْ یَّاْتِیَنِیْ بِهِمْ جَمِیْعًا ؕ اِنَّهٗ هُوَ الْعَلِیْمُ الْحَكِیْمُ (83)

(૮૩) (યાકૂબે) કહ્યું, “એ તો નહિ પરંતુ તમે પોતાની રીતે વાત બનાવી લીધી એટલા માટે સબ્ર જ બહેતર છે, બની શકે છે કે અલ્લાહ તઆલા તે બધાને મારા પાસે પહોંચાડી દે, તે જ ઈલ્મ અને હિકમતવાળો છે.”


وَ تَوَلّٰى عَنْهُمْ وَ قَالَ یٰۤاَسَفٰى عَلٰى یُوْسُفَ وَ ابْیَضَّتْ عَیْنٰهُ مِنَ الْحُزْنِ فَهُوَ كَظِیْمٌ (84)

(૮૪) અને પછી તેમનાથી મોઢું ફેરવી લીધુ અને કહ્યું, “હાય યૂસુફ ! તેમની આંખો દુઃખ અને ગમના કારણે સફેદ થઈ ગઈ હતી” અને તે દુઃખ-ગમને સહન કરતા હતા.”


قَالُوْا تَاللّٰهِ تَفْتَؤُا تَذْكُرُ یُوْسُفَ حَتّٰى تَكُوْنَ حَرَضًا اَوْ تَكُوْنَ مِنَ الْهٰلِكِیْنَ (85)

(૮૫) (પુત્રોએ) કહ્યું, “અલ્લાહની કસમ ! તમે હંમેશા યૂસુફની યાદમાં જ ખોવાયેલા રહેશો ત્યાં સુધી કે ઓગળી ન જાઓ અથવા જીવ આપી દો.”


قَالَ اِنَّمَاۤ اَشْكُوْا بَثِّیْ وَ حُزْنِیْۤ اِلَى اللّٰهِ وَ اَعْلَمُ مِنَ اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ (86)

(૮૬) તેમણે કહ્યું કે, “હું તો પોતાની મુસીબત અને દુઃખની ફરિયાદ અલ્લાહને કરી રહ્યો છું મને અલ્લાહ તરફથી જે વાતોનું ઈલ્મ છે તેનાથી તમે અજાણ છો.”


یٰبَنِیَّ اذْهَبُوْا فَتَحَسَّسُوْا مِنْ یُّوْسُفَ وَ اَخِیْهِ وَ لَا تَایْئَسُوْا مِنْ رَّوْحِ اللّٰهِ ؕ اِنَّهٗ لَا یَایْئَسُ مِنْ رَّوْحِ اللّٰهِ اِلَّا الْقَوْمُ الْكٰفِرُوْنَ (87)

(૮૭) મારા વહાલા પુત્રો ! તમે જાઓ અને યૂસુફ તથા તેના ભાઈની સારી રીતે ખબર કાઢો અને અલ્લાહની કૃપાથી નિરાશ ન થાઓ, બેશક અલ્લાહની કૃપાથી તે જ લોકો નિરાશ થાય છે જે લોકો કાફિર હોય છે.


فَلَمَّا دَخَلُوْا عَلَیْهِ قَالُوْا یٰۤاَیُّهَا الْعَزِیْزُ مَسَّنَا وَ اَهْلَنَا الضُّرُّ وَ جِئْنَا بِبِضَاعَةٍ مُّزْجٰىةٍ فَاَوْفِ لَنَا الْكَیْلَ وَ تَصَدَّقْ عَلَیْنَا ؕ اِنَّ اللّٰهَ یَجْزِی الْمُتَصَدِّقِیْنَ (88)

(૮૮) પછી આ લોકો જ્યારે યૂસુફ પાસે પહોંચ્યા તો કહેવા લાગ્યા કે, “હે અઝીઝ! અમે અને અમારો પરિવાર ઘણી પરેશાનીમાં છીએ, આ તો થોડોક તુચ્છ માલ લાવ્યા છીએ, પરંતુ તમે અમને ભરપૂર અનાજ આપો અને અમારા પર સદકો (દાન) કરો, અલ્લાહ તઆલા સદકો કરનારાઓને બદલો આપે છે.”


قَالَ هَلْ عَلِمْتُمْ مَّا فَعَلْتُمْ بِیُوْسُفَ وَ اَخِیْهِ اِذْ اَنْتُمْ جٰهِلُوْنَ (89)

(૮૯) (યુસુફે) કહ્યું, “જાણો છો કે તમે યૂસુફ અને તેના ભાઈ સાથે પોતાની અજ્ઞાનતામાં શું કર્યું ?


قَالُوْۤا ءَاِنَّكَ لَاَنْتَ یُوْسُفُ ؕ قَالَ اَنَا یُوْسُفُ وَ هٰذَاۤ اَخِیْ ز قَدْ مَنَّ اللّٰهُ عَلَیْنَا ؕ اِنَّهٗ مَنْ یَّتَّقِ وَ یَصْبِرْ فَاِنَّ اللّٰهَ لَا یُضِیْعُ اَجْرَ الْمُحْسِنِیْنَ (90)

(૯૦) તેમણે કહ્યું, “શું (ખરેખર) તમે યૂસુફ છો? જવાબ આપ્યો, “હા, હું જ યૂસુફ છું અને આ મારો ભાઈ છે, અલ્લાહે અમારા ઉપર કૃપા અને દયા કરી, વાત એમ છે કે જે કોઈ પણ સંયમ અને ધીરજથી કામ લે, તો અલ્લાહ (તઆલા) આવા કોઈ સદાચારીઓનો બદલો બરબાદ નથી કરતો.”



قَالُوْا تَاللّٰهِ لَقَدْ اٰثَرَكَ اللّٰهُ عَلَیْنَا وَ اِنْ كُنَّا لَخٰطِئِیْنَ (91)

(૯૧) તેમણે કહ્યું, “અલ્લાહની કસમ ! અલ્લાહે તમને અમારા ઉપર શ્રેષ્ઠતા આપી છે અને એ પણ સાચું છે કે અમે ગુનેહગાર છીએ.”


قَالَ لَا تَثْرِیْبَ عَلَیْكُمُ الْیَوْمَ ؕ یَغْفِرُ اللّٰهُ لَكُمْ ز وَ هُوَ اَرْحَمُ الرّٰحِمِیْنَ (92)

(૯૨) જવાબ આપ્યો, “આજે તમારા ઉપર કોઈ આરોપ નથી, અલ્લાહ તમને માફ કરે, તે તમામ કૃપા કરનારાઓમાં સૌથી વધારે કૃપાળુ છે.


اِذْهَبُوْا بِقَمِیْصِیْ هٰذَا فَاَلْقُوْهُ عَلٰى وَجْهِ اَبِیْ یَاْتِ بَصِیْرًا ۚ وَ اْتُوْنِیْ بِاَهْلِكُمْ اَجْمَعِیْنَ ۧ (93)

(૯૩) મારું આ ખમીશ તમે લઈ જાઓ અને મારા પિતાના ચહેરા ઉપર નાખી દો કે તે જોવા લાગશે અને આવી જાવ, અને તમારા પૂરા પરિવારને મારા પાસે લઈ આવો.” (ع-૧૦)