Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૩૯

આયત ૨૮૨ થી ૨૮૩


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَدَايَنتُم بِدَيْنٍ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى فَاكْتُبُوهُ ۚ وَلْيَكْتُب بَّيْنَكُمْ كَاتِبٌ بِالْعَدْلِ ۚ وَلَا يَأْبَ كَاتِبٌ أَن يَكْتُبَ كَمَا عَلَّمَهُ اللَّهُ ۚ فَلْيَكْتُبْ وَلْيُمْلِلِ الَّذِي عَلَيْهِ الْحَقُّ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ وَلَا يَبْخَسْ مِنْهُ شَيْئًا ۚ فَإِن كَانَ الَّذِي عَلَيْهِ الْحَقُّ سَفِيهًا أَوْ ضَعِيفًا أَوْ لَا يَسْتَطِيعُ أَن يُمِلَّ هُوَ فَلْيُمْلِلْ وَلِيُّهُ بِالْعَدْلِ ۚ وَاسْتَشْهِدُوا شَهِيدَيْنِ مِن رِّجَالِكُمْ ۖ فَإِن لَّمْ يَكُونَا رَجُلَيْنِ فَرَجُلٌ وَامْرَأَتَانِ مِمَّن تَرْضَوْنَ مِنَ الشُّهَدَاءِ أَن تَضِلَّ إِحْدَاهُمَا فَتُذَكِّرَ إِحْدَاهُمَا الْأُخْرَىٰ ۚ وَلَا يَأْبَ الشُّهَدَاءُ إِذَا مَا دُعُوا ۚ وَلَا تَسْأَمُوا أَن تَكْتُبُوهُ صَغِيرًا أَوْ كَبِيرًا إِلَىٰ أَجَلِهِ ۚ ذَٰلِكُمْ أَقْسَطُ عِندَ اللَّهِ وَأَقْوَمُ لِلشَّهَادَةِ وَأَدْنَىٰ أَلَّا تَرْتَابُوا ۖ إِلَّا أَن تَكُونَ تِجَارَةً حَاضِرَةً تُدِيرُونَهَا بَيْنَكُمْ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَلَّا تَكْتُبُوهَا ۗ وَأَشْهِدُوا إِذَا تَبَايَعْتُمْ ۚ وَلَا يُضَارَّ كَاتِبٌ وَلَا شَهِيدٌ ۚ وَإِن تَفْعَلُوا فَإِنَّهُ فُسُوقٌ بِكُمْ ۗ وَاتَّقُوا اللَّهَ ۖ وَيُعَلِّمُكُمُ اللَّهُ ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ (282)

(૨૮૨) હે ઈમાનવાળાઓ! જ્યારે તમે પરસ્પર ચોક્કસ મુદ્દતના માટે એકબીજાથી ઉધારનું લેવડ-દેવડ કરો તો લખી લો અને લખનારને જોઈએ કે પરસ્પરનો મામલો ન્યાયની સાથે લખે, લખનારને જોઈએ કે લખવાથી ઇન્કાર ન કરે, જેવું અલ્લાહ (તઆલા)એ તેને શિખવ્યું છે તેવી જ રીતે તેણે પણ લખી દેવું જોઈએ અને જેના પર હક હોય તે લખાવે અને પોતાના અલ્લાહ (તઆલા) થી ડરે જે તેનો રબ છે અને હકોમાંથી કશું ઘટાડે નહિં, હા જે માણસ પર હકો હોય અને તે અજ્ઞાનિ હોય અથવા કમજોર હોય અથવા લખવાની શક્તિ ન ધરાવતો હોય, તો તેનો વાલી ન્યાયની સાથે લખાવી દે, અને પોતાનામાંથી બે પુરુષોને સાક્ષી રાખી લો, જો બે પુરૂષો ન હોય તો એક પુરૂષ અને બે સ્ત્રીઓ જેને તમે સાક્ષી માટે પસંદ કરી લો, જેથી એકની ભૂલચૂકને બીજી યાદ અપાવી દે. અને સાક્ષીઓને જોઈએ કે તેમને જ્યારે બોલાવવામાં આવે તો ઇન્કાર ન કરે, અને કરજને જેની મુદ્દત ચોક્કસ છે ભલે નાનું હોય કે મોટું લખવામાં સુસ્તી ન કરો, અલ્લાહ (તઆલા)ની નજીક આ વાત ઘણી ન્યાયવાળી છે. અને સાક્ષીને ઠીક રાખવાવાળી અને શંકાથી પણ વધારે બચાવવાવાળી છે. અને એ વાત અલગ છે કે તે મામલો રોકડ વેપારના સ્વરૂપમાં હોય જે પરસ્પર લેવડ-દેવડ કરો છો તમારા પર તેને ન લખવામાં કોઈ ગુનોહ નથી. ખરીદ-વેચાણ વખતે પણ સાક્ષી નક્કી કરી લો, અને (યાદ રાખો) ન તો લખવાવાળાને નુકશાન પહોંચાડવામાં આવે અને ન સાક્ષીને અને જો તમે આવું કરો તો આ તમારી ખુલી નાફરમાની છે. અલ્લાહ (તઆલા)થી ડરો, અલ્લાહ (તઆલા) તમને નસીહત આપી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) બધુ જ જાણનાર છે.


وَإِن كُنتُمْ عَلَىٰ سَفَرٍ وَلَمْ تَجِدُوا كَاتِبًا فَرِهَانٌ مَّقْبُوضَةٌ ۖ فَإِنْ أَمِنَ بَعْضُكُم بَعْضًا فَلْيُؤَدِّ الَّذِي اؤْتُمِنَ أَمَانَتَهُ وَلْيَتَّقِ اللَّهَ رَبَّهُ ۗ وَلَا تَكْتُمُوا الشَّهَادَةَ ۚ وَمَن يَكْتُمْهَا فَإِنَّهُ آثِمٌ قَلْبُهُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ عَلِيمٌ (283)

(૨૮૩) અને જો તમે મુસાફરીમાં હોવ અને લખવાવાળો ન મળે તો ગિરવે પોતાની પાસે રાખી લો, અને જો પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય, તો જેને અમાનત આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ (તઆલા)થી ડરતો રહે જે તેનો રબ છે અને સાક્ષીને ન છુપાવો અને જે તેને છુપાવે તે મનનો પાપી છે, અને જે કંઈ તમે કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.