Surah Al-Jinn
સૂરહ અલ-જિન્ન
સૂરહ અલ-જિન્ન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) (હે મુહમ્મદ (ﷺ)!) તમે કહી દો કે, “મને વહી કરવામાં આવી કે જિન્નતોના એક જૂથે (કુરઆન) સાંભળ્યું અને કહ્યું કે, “અમે એક અદ્ભૂત કુરઆન સાંભળ્યું છે. [1]
(૨) જે સાચા માર્ગ તરફ માર્ગદર્શન આપે છે અમે તો તેના ઉપર ઈમાન લાવી ચૂક્યા, (હવે) અમે કદી પણ પોતાના રબના સાથે કોઈને ભાગીદાર નહિં બનાવીએ.
(૩) અને બેશક અમારા રબની શાન ખૂબ જ ઉચ્ચ અને મહાન છે, ન તેણે કોઈને પોતાની પત્ની બનાવી છે અને ન કોઈને સંતાન”
(૪) અને બેશક “આપણામાંનો બેવકૂફ અલ્લાહના વિશે જૂઠી વાતો કહેતો હતો.” [2]
(૫) અને “અમે તો એમ જ સમજતા રહ્યા કે અસંભવ છે કે મનુષ્ય અને જિન્નાત અલ્લાહ પર જૂઠી વાતો ઘડે” [3]
(૬) હકીકત એ છે કે કેટલાક મનુષ્યો કેટલાક જિન્નાતો પાસે પનાહ માંગતા હતા જેનાથી જિન્નાતો પોતાના ઘમંડમાં ખૂબ આગળ વધી ગયા. [4]
(૭) અને એમણે (મનુષ્યોએ) પણ જિન્નાતોની જેમ એવું સમજી લીધું કે અલ્લાહ ક્યારેય કોઈને પણ નહિં મોકલે. (અથવા કોઈને ફરીથી જીવિત નહિં કરે)
(૮) અને અમે આકાશને તપાસીને જોયું તો તેને સખત પહેરેદારો અને તેજ અંગારાઓથી ભરેલું જોયું.
(૯) અને આનાથી પહેલા અમે વાતો સાંભળવા માટે આકાશમાં જઈને ઠેક-ઠેકાણે બેસતા હતા, હવે જે કોઈ પણ કાન લગાવે તે પોતાના માટે એક અંગારો જુએ છે.
(૧૦) અને અમે નથી જાણતા કે ધરતીવાળાઓના સાથે કોઈ બૂરાઈનો ઈરાદો કર્યો છે અથવા તેમના રબનો ઈરાદો તેમના સાથે ભલાઈનો છે.
(૧૧) અને એ કે કેટલાક તો આપણામાંથી નેક છે અને કેટલાક તેના ઉલટ પણ છે આપણે વિવિધ પ્રકારે વહેંચાયેલા છીએ. [5]
(૧૨) અને અમને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે અમે અલ્લાહ (તઆલા)ને ધરતી ઉપર કદી પણ લાચાર નથી કરી શકતા અને ન અમે ભાગીને તેને હરાવી શકીએ છીએ. [6]
(૧૩) અને અમે સન્માર્ગ (સીધા માર્ગ)ની વાત સાંભળતા જ તેના પર ઈમાન લઈ આવ્યા, અને જે કોઈ પણ પોતાના રબ પર ઈમાન લાવશે તેને ન કોઈ નુકસાનનો ડર છે ન જુલ્મનો (અને ન દુઃખનો)
(૧૪) અને આપણામાંથી કેટલાક મુસલમાન છે અને કેટલાક અન્યાયી છે તો જેઓ મુસલમાન થઈ ગયા તેમણે સીધો માર્ગ શોધી લીધો. [7]
(૧૫) અને જેઓ જાલિમ છે તેઓ જ જહન્નમનું બળતણ બનવાના છે. [8]
(૧૬) અને એ કે જો આ લોકો સીધા માર્ગ ઉપર મક્કમ રહેતા તો જરૂર અમે તેમને ખૂબ જ વધારે પાણી પીવડાવતા.
(૧૭) જેથી અમે તેમાંથી તેમની કસોટી કરીએ અને જે વ્યક્તિ પોતાના રબના ઝિક્ર (સ્મરણ)થી મોઢું ફેરવી લેશે તો અલ્લાહ (તઆલા) તેને સખત અઝાબમાં નાખી દેશે.
(૧૮) અને એ કે મસ્જીદો ફક્ત અલ્લાહ માટે જ (ખાસ) છે જેથી તેમાં અલ્લાહના સાથે બીજા કોઈને ન પોકારો. [9]
(૧૯) અને જ્યારે અલ્લાહનો બંદો તેની ઈબાદત માટે ઊભો થયો તો નજીક હતુ કે તેઓ ભીડ બનીને તેના પર તૂટી પડે. (ع-૧) [10]