(૬૨) વિશ્વાસ રાખો કે નબીએ અરબ (મુહમ્મદ સ.અ.વ. ) ના માનનારા હોય, યહુદી હોય, ઈસાઈ હોય કે સાબી હોય જે કોઈ અલ્લાહ અને ન્યાયના દિવસ (કયામતના દિવસ) ઉપર ઈમાન લાવશે અને સત્કાર્યો કરશે તેનો બદલો તેના રબ પાસે છે અને તેના માટે ભય અને શોકનું(દુ:ખ ) કોઈ કારણ નથી.
(૬૩) યાદ કરો તે સમય જયારે અમે તૂર પહાડ ઉપર તમારી પાસે થી પાકું વચન લીધુ હતુ અને કહ્યું હતુ કે જે ગ્રંથ અમે તમને આપી રહયા છીએ તેને મજબૂતી થી પકડી રાખજો અને જે આદેશો તેમાં લખેલા છે તે યાદ રાખજો આનાથી તમે બચી શકશો (કયામતના/ન્યાય ના દિવસે).
(૬૪) પરંતુ એ પછી પણ તમે પોતાના વચન માંથી ફરી ગયા તેમ છતા પણ અલ્લાહ તઆલા ની કૃપા અને તેની મેહરબાનીઓ એ તમારો સાથ ન છોડયો નહિતર તમે ક્યારનાય બરબાદ થઈ ગયા હોત.
(૬૭) પછી એ બનાવ યાદ કરો જયારે મૂસા(અ.સ.) એ પોતાની કોમ ને કહ્યું કે અલ્લાહ (તઆલા) તમને એક ગાય ઝબહ (કુરબાની) કરવાનો આદેશ આપે છે તો તેઓ કેહવા લાગ્યા શું તમે અમારી સાથે મશ્કરી (મઝાક) કરો છો ? મૂસાએ કહ્યું હું એનાથી અલ્લાહ નું રક્ષણ માંગું છુ કે હુ મૂર્ખ જેવી વાતો કરુ.
(૬૮) તેઓ (મૂસા અ.સ ની કોમ ના લોકો) બોલ્યા ! તમારા રબને વિનંતી કરો કે તે અમને આ ગાય ની કેટલીક વિગતો બતાવે, મૂસા (અ. સ.) એ કહ્યું અલ્લાહ (તઆલા) નો ઈર્શાદ છે કે તે એવી ગાય હોવી જોઈએ કે જે ન તો ઘરડી હોય ન તો વાછરડી હોય પણ મધ્યમ ઉંમર ની હોય હવે જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો.
(૬૯) પછી તેઓ (મૂસા અ.સ ની કોમ ના લોકો) કેહવા લાગ્યા કે તમે તમારા રબને એ પણ પુછી આપો કે તેનો રંગ કેવો હોવો જોઈએ, મૂસા (અ.સ.) એ કહ્યું કે તે (અલ્લાહ તઆલા) ફરમાવે છે કે તે પીળા રંગની ગાય હોવી જોઈએ જેનો રંગ એવો ઘેરો હોઈ કે જોનારાઓ નુ મન ખુશ થઇ જાય.
(૭૦) પછી (મૂસા અ.સ. ની કોમ ના લોકો) બોલ્યા પોતાના રબ ને સ્પષ્ટ રીતે પુછી બતાવો કે તેગાય કેવી હોવી જોઈએ ? અમને તો બધી એક સરખી દેખાઈ છે, અને જો અલ્લાહ (તઆલા) ની ઇચ્છા હશે તો અમને સત્ય માર્ગ મળી જશે.
(૭૧) મૂસા (અ.સ) એ જવાબ આપ્યો : અલ્લાહ (તઆલા) કહે છે કે તે એવી ગાય છે કે જેની પાસેથી કામ લેવામાં નથી આવતુ, ન જમીન ખેડે છે, ન પાણી ખેંચે છે, સીધી સાદી તંદુરસ્ત અને ખોડખાંપણ વગર ની છે. આ સાંભળી તેઓ બોલ્યા હવે તમે ચોક્કસ વર્ણન આપ્યું છે, પછી તેમણે તેને ઝબહ કરી, નહી તો તેઓ આવું કરતા જણાતા ન હતા (પાલન કરવાવાળા ન હતા).