Surah Al-Falaq

સૂરહ અલ-ફલક

આયત : | રૂકૂ : ૧

સૂર: અલ-ફલક (૧૧)

સવાર

સૂરહ અલ-ફલક[1] મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પાંચ () આયતો અને એક (૧) રૂકૂઅ છે.


સૂરઃ ફલક :- આના પછી સૂરઃ નાસ છે. આ બંનેની શ્રેઠતા ઘણી હદીસોમાં આવી છે. જેમકે એક હદીસમાં નબી (ﷺ)  એ ફરમાવ્યું, “આજે રાત્રે મારા પર કેટલીક એવી આયતો ઉતરી છે જેના સમાન મેં ક્યારેય નથી જોઈ. આમ ફરમાવીને આપે આ બંને સૂરહ પઢી. (સહીહ મુસ્લિમ, કિતાબુ સંલાતિલ મુસાફિરીન) આપ (ﷺ)  નો એ પણ નિયમ હતો કે રાત્રે સૂતા પહેલા સૂર: ઈખ્લાસ અને મુઅવ્વઝતૈન પઢીને પોતાની બંને હથેળીઓમાં ફૂંકતા પછી તેને પૂરા શરીર પર ફેરવતા, પહેલા માથું, ચહેરો અને શરીરના આગળના ભાગ પર હાથ ફેરવતા, આના પછી જયાં સુધી આપના હાથ પહોંચતા ત્યાં સુધી ફેરવતા અને આવું ત્રણ વખત કરતા 

(સહીહ અલ બુખારી, કિતાબુલ ફઝાયેલિલ કુરઆન, બાબ ફઝલિલ મુઅવ્વઝાત)

بِسۡمِ اللهِ الرَّحۡمٰنِ الرَّحِيۡمِ

અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

قُلۡ اَعُوۡذُ بِرَبِّ الۡفَلَقِ ۙ (1)

(૧) તમે કહી દો કે હું સવારના રબની પનાહમાં આવું છું.[2]

[2] (فَلَق) નો સાચો અર્થ પ્રભાત છે સવાર એટલા માટે ખાસ કરેલ છે કે જેવી રીતે અલ્લાહ (તઆલા) રાતનો અંધકાર દૂર કરીને દિવસની રોશની લાવી શકે છે તે આવી રીતે ભય અને ડર દૂર કરીને પનાહ માંગવાવાળાઓને શાંતિ પણ પ્રદાન કરી શકે છે, અથવા મનુષ્ય રાત્રે જેવી રીતે એ વાતની રાહ જોઈ રહ્યો હોય છે કે સવારે અજવાળું થઈ જશે, આવી રીતે ડરી ગયેલો મનુષ્ય પનાહ વડે સફળતાના સૂરજ નીકળવાની ઉમ્મીદ રાખે છે. (ફતહુલ કદીર)

مِنۡ شَرِّ مَا خَلَقَ ۙ (2)

(૨) તે દરેક વસ્તુની બૂરાઈથી જે તેણે પેદા કરી છે.

وَمِنۡ شَرِّ غَاسِقٍ اِذَا وَقَبَ ۙ (3)

(૩) અને રાત્રિના અંધકારની બૂરાઈથી, જ્યારે તેનો અંધકાર છવાઈ જાય.

وَمِنۡ شَرِّ النَّفّٰثٰتِ فِى الۡعُقَدِ ۙ (4)

(૪) અને ગાંઠો (લગાવીને)તેમાં ફૂંક મારનારીઓની બૂરાઈથી (પણ)

وَمِنۡ شَرِّ حَاسِدٍ اِذَا حَسَدَ‏ (5)

(૫) અને ઈર્ષા (હસદ) કરવાવાળાની બૂરાઈથી પણ જ્યારે તે ઈર્ષા કરે.[3] (ع-૧)

[3] ઈર્ષા (હસદ) એ છે કે હસદ કરનાર બીજાઓની સારી વસ્તુઓને ખત્મ કરવાની તમન્ના કરે છે, એટલા માટે તેનાથી પણ પનાહ માંગવામાં આવી છે કેમકે હસદ પણ એક મોટી બીમારી છે જે નેકીઓને ખાઈ જાય છે.