Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૪

આયત ૧૩૦ થી ૧૪૩


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ (130)

(૧૩૦) અપ ઈમાનવાળાઓ! આ બમણું અને ચોગણું વ્યાજ ન ખાઓ, અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેથી તમે સફળતા મેળવો.

وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ (131)

(૧૩૧) અને તે આગથી ડરો જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે.


وَأَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ (132)

(૧૩૨) અને અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, જેથી તમારા ઉપર રહમ (દયા) કરવામાં આવે.


وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ (133)

(૧૩૩) અને પોતાના રબની માફીની તરફ અને તે જન્નતની તરફ દોડો, જેની વિશાળતા આકાશો અને ધરતીના બરાબર છે, જે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે.


الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ (134)

(૧૩૪) જે લોકો આસાનીમાં અને તકલીફમાં પણ (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કરે છે, ગુસ્સાને પી જાય છે, અને લોકોને માફ કરનારા છે, અલ્લાહ આવા પરહેઝગારોને દોસ્ત રાખે છે.


وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ (135)

(૧૩૫) જયારે તેમનાથી કોઈ ખરાબ કામ થઈ જાય અથવા ગુનો કરી બેસે, તો જલ્દીથી અલ્લાહની યાદ અને પોતાના ગુનાહોના માટે તૌબા કરે છે, અને હકીકતમાં અલ્લાહ (તઆલા)ના સિવાય ગુનાહોને કોણ માફ કરી શકે છે, અને તેઓ જાણતા હોવા છતાં પોતાના આચરણ ૫૨ જિદ કરતા નથી.


أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ (136)

(૧૩૬) તેમનો બદલો તેમના પાલનહાર તરફથી માફી અને બાગ છે જેની નીચે નહેરો વહે છે જેમાં તેઓ હંમેશા રહેશે અને સદકાર્યો કરનારાઓ માટે આ કેટલો સારો બદલો છે.


قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ (137)

(૧૩૭) તમારા પહેલાથી નિયમ ચાલ્યો આવ્યો છે, તમે ધરતીમાં મુસાફરી કરો તથા જૂઓ કે જેઓ અલ્લાહની આયતોને માનતા ન હતા તેમનો અંજામ કેવો થયો.


هَٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ (138)

(૧૩૮) આ એક વર્ણન છે લોકોના માટે અને પરહેઝગારોના માટે હિદાયત અને નસીહત છે.


وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ (139)

(૧૩૯) તમે હિમ્મત ન હારો, ન ચિંતા કરો, જો તમે ઈમાનવાળા હોવ તો તમે જ વિજયી થસો.


إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ (140)

(૧૪૦) (આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને અલ્લાહ જાલીમોને પસંદ નથી કરતો.


وَلِيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ (141)

(૧૪૧) અને જેથી અલ્લાહ મોમીનોને અલગ કરી લે અને કાફિરોનો નાશ કરી દે.


أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ (142)

(૧૪૨) શું તમે એમ સમજી લીધું કે જન્નતમાં દાખલ થઈ જશો જયારે કે હજી અલ્લાહે એ નથી જોયું કે કોણ તમારામાં થી જિહાદ કરે છે અને કોણ સબ્ર કરે છે.


وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ (143)

(૧૪૩) અને તમે આના પહેલા મોતની તમન્ના કરતા હતા, હવે તો તમે તેને આંખોથી જોઈ લીધી.