(૧૪૦) (આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને) જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને અલ્લાહ જાલીમોને પસંદ નથી કરતો.