Surah Al-Mu'min

સૂરહ અલ-મુ'મિન

રૂકૂ : ૮

આયત ૬૯ થી ૭૮

اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِ اللّٰهِ ؕ اَنّٰى یُصْرَفُوْنَ ۖۛۚ (69)

(૬૯) શું તમે તેમને નથી જોયા જેઓ અલ્લાહની આયતોમાં ઝઘડે છે, કે તેઓ ક્યાંથી ફેરવી દેવામાં આવે છે ?


الَّذِیْنَ كَذَّبُوْا بِالْكِتٰبِ وَ بِمَاۤ اَرْسَلْنَا بِهٖ رُسُلَنَا { ۛقف } فَسَوْفَ یَعْلَمُوْنَۙ (70)

(૭૦) જે લોકોએ કિતાબને જૂઠાડી અને તેને પણ જેને અમે અમારા રસૂલના સાથે મોકલ્યુ, તેમને ખૂબ જલ્દી હકીકતનું જ્ઞાન થઈ જશે.


اِذِ الْاَغْلٰلُ فِیْۤ اَعْنَاقِهِمْ وَ السَّلٰسِلُ ؕ یُسْحَبُوْنَ ۙ (71)

(૭૧) જ્યારે તેમની ગરદનોમાં તોક હશે અને સાંકળો હશે, અને ખેંચીને લઈ જવામાં આવશે.


فِی الْحَمِیْمِ { ۙ٥ } ثُمَّ فِی النَّارِ یُسْجَرُوْنَ ۚ (72)

(૭૨) ઊકળતા પાણીમાં, અને પછી જહન્નમની આગમાં બાળવામાં આવશે.


ثُمَّ قِیْلَ لَهُمْ اَیْنَ مَا كُنْتُمْ تُشْرِكُوْنَ ۙ (73)

(૭૩) પછી તેમને પૂછવામાં આવશે કે, “જેમને તમે ભાગીદાર ઠેરવતા હતા તેઓ ક્યાં છે ?”


مِنْ دُوْنِ اللّٰهِ ؕ قَالُوْا ضَلُّوْا عَنَّا بَلْ لَّمْ نَكُنْ نَّدْعُوْا مِنْ قَبْلُ شَیْئًا ؕ كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ الْكٰفِرِیْنَ (74)

(૭૪) જે અલ્લાહ (તઆલા)ના સિવાય હતા, તેઓ કહેશે કે, “અમારાથી ખોવાઈ ગયા, બલ્કે અમે તો આના પહેલા કોઈને પણ પોકારતા ન હતા.” અલ્લાહ કાફિરોને આવી રીતે ભટકાવે છે.


ذٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ وَ بِمَا كُنْتُمْ تَمْرَحُوْنَ ۚ (75)

(૭૫) આ (બદલો) છે તે વસ્તુનો જે તમે ધરતી પર અસત્યમાં મગ્ન રહેતા હતા અને (બેકાર) ઈતરાતા ફરતા હતા.


اُدْخُلُوْۤا اَبْوَابَ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ۚ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِیْنَ (76)

(૭૬) (હવે આવો) જહન્નમમાં હંમેશા રહેવા માટે (તેના) દરવાજાઓમાંથી દાખલ થઈ જાઓ. કેવું ખરાબ ઠેકાણું છે અહંકાર કરનારાઓના માટે.


فَاصْبِرْ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ ۚ فَاِمَّا نُرِیَنَّكَ بَعْضَ الَّذِیْ نَعِدُهُمْ اَوْ نَتَوَفَّیَنَّكَ فَاِلَیْنَا یُرْجَعُوْنَ (77)

(૭૭) તો તમે સબ્ર કરો, અલ્લાહનો વાયદો તદ્દન સાચો છે તેમને અમે જે વાયદાઓ આપી રાખ્યા છે તેમાંથી કેટલાકને અમે તમને દેખાડીશું અથવા તેના પહેલાં તમને મૃત્યુ આપી દઈએ, તેમને અમારા તરફ જ પાછા ફરવાનું છે.


وَ لَقَدْ اَرْسَلْنَا رُسُلًا مِّنْ قَبْلِكَ مِنْهُمْ مَّنْ قَصَصْنَا عَلَیْكَ وَ مِنْهُمْ مَّنْ لَّمْ نَقْصُصْ عَلَیْكَ ؕ وَ مَا كَانَ لِرَسُوْلٍ اَنْ یَّاْتِیَ بِاٰیَةٍ اِلَّا بِاِذْنِ اللّٰهِ ۚ فَاِذَا جَآءَ اَمْرُ اللّٰهِ قُضِیَ بِالْحَقِّ وَ خَسِرَ هُنَالِكَ الْمُبْطِلُوْنَ ۧ (78)

(૭૮) બેશક અમે તમારા પહેલા પણ ઘણાં રસૂલો મોકલી ચૂક્યા છીએ જેમાંથી કેટલાકના કિસ્સાઓ અમે તમને સંભળાવી ચૂક્યા છીએ અને કેટલાકના કિસ્સાઓ તો અમે તમને સંભળાવ્યા જ નથી, અને કોઈ રસૂલના વશમાં નથી કે કોઈ ચમત્કાર અલ્લાહની પરવાનગી વગર લાવી શકે, પછી જે સમયે અલ્લાહનો હુકમ આવશે તો સચ્ચાઈ સાથે ફેંસલો કરી દેવામાં આવશે અને તે વખતે જૂઠા લોકો નુકસાનમાં રહેશે. (ع-)