(૧૭૯) જે હાલતમાં તમે છો તેના ૫૨ અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જ્યાં સુધી કે પવિત્ર અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખબર કરી દે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ઈચ્છે ચૂંટી લે છે, એટલા માટે તમે અલ્લાહ (તઆલા) ૫૨ અને તેના રસૂલો ૫૨ ઈમાન રાખો, જો તમે ઈમાન લાવો અને અલ્લાહથી પરહેઝગારી કરો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.