Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૮

આયત ૧૭૨ થી ૧૮૦


الَّذِينَ اسْتَجَابُوا لِلَّهِ وَالرَّسُولِ مِن بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ (172)

(૧૭૨) જે લોકો ઝખ્મી થયા પછી (પણ) અલ્લાહ અને રસૂલનો હુકમ માની લીધો અને તેમનામાંથી જેણે નેક કામ કર્યા અને પરહેઝગાર રહ્યા તેમના માટે મોટો બદલો છે.


الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ (173)

(૧૭૩) જેમને લોકોએ કહ્યું કે લોકો તમારા માટે ભેગા થઈ ચૂક્યા છે એટલા માટે તેમનાથી ડરો, તો તેમનું ઈમાન વધી ગયું અને કહ્યું કે અલ્લાહ અમારા માટે પૂરતો છે અને તે સૌથી સારો સંરક્ષક છે.


فَانقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ (174)

(૧૭૪) (સાબિત એ થયું કે) તેઓ અલ્લાહની કૃપા સાથે પાછા ફર્યા, તેમને કોઈ દુ:ખ ન પહોંચ્યું, તેઓએ અલ્લાહની પ્રસન્નતાનો રસ્તો અપનાવ્યો અને અલ્લાહ મોટો ફઝલવાળો છે.


إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ (175)

(૧૭૫) આ શયતાન જ છે જે પોતાના દોસ્તોથી ડરાવે છે, એટલા માટે તેમનાથી ન ડરો મારાથી જ ડરો, જો તમે ઈમાનવાળા છો.


وَلَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ (176)

(૧૭૬) જે ઝડપથી કુફ્ર તરફ જઈ રહ્યા છે, તેમનાથી તમે ગમગીન ન થાઓ, તેઓ અલ્લાહ (તઆલા)નું કશું બગાડી નહિં શકે, અલ્લાહ આખિરતમાં તેમને કોઈ હિસ્સો આપવા ઈચ્છતો નથી, અને તેમના માટે મોટો અઝાબ છે.


إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ (177)

(૧૭૭) કુફ્રને ઈમાનના બદલામાં ખરીદનારા લોકો કદાપિ અલ્લાહ (તઆલા)ને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે અને તેમના માટે સખત અઝાબ છે.


وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ (178)

(૧૭૮) કાફિર લોકો એવું ન વિચારે કે અમારું તેમને મહેતલ આપવું તેમના માટે સારું છે, અમે આ મહેતલ એટલા માટે આપી રહ્યા છીએ કે તેઓ વધારે ગુનાહ કરી લે, અને તેમના માટે અપમાનજનક અઝાબ છે.


مَّا كَانَ اللَّهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَٰكِنَّ اللَّهَ يَجْتَبِي مِن رُّسُلِهِ مَن يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ (179)

(૧૭૯) જે હાલતમાં તમે છો તેના ૫૨ અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જ્યાં સુધી કે પવિત્ર અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખબર કરી દે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ઈચ્છે ચૂંટી લે છે, એટલા માટે તમે અલ્લાહ (તઆલા) ૫૨ અને તેના રસૂલો ૫૨ ઈમાન રાખો, જો તમે ઈમાન લાવો અને અલ્લાહથી પરહેઝગારી કરો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.


وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ (180)

(૧૮૦) અને જેમને અલ્લાહે પોતાની કૃપાથી (ધન) આપ્યુ છે અને તેઓ તેમાં કંજૂસી કરે છે તો તેને સારું ન સમજે પરંતુ તે તેમના માટે ઘણું ખરાબ છે, તેઓએ જે (ધન) માં કંજૂસી કરી છે ક્યામતના દિવસે તેમના (ગળાનો) તોક હશે અને આકાશો અને ધરતીનો અધિકાર ફક્ત અલ્લાહ માટે જ છે, અને તે તમારા કાર્યોને જાણે છે.