(૪૬) અને અમે મૂસા (અ.સ.) ને અમારી નિશાનીઓ આપીને ફિરઔન અને તેના દરબારીઓ પાસે મોકલ્યા તો (મૂસાએ જઈને) કહ્યું કે હું સમગ્ર સૃષ્ટિના રબનો રસૂલ (સંદેશાવાહક) છું.
(૪૭) તો જ્યારે તે અમારી નિશાનીઓ લઈને તેમના પાસે આવ્યા તો તેઓ અચાનક તેમના પર હસવા લાગ્યા.
(૪૮) અને અમે જે નિશાની તેમને દેખાડતા હતા, તે બીજાથી ચઢિયાતી હોતી,[1] અને અમે તેમને અઝાબમાં પકડી લીધા જેથી તેઓ અટકી જાય.
(૪૯) અને તેમણે કહ્યું કે હે જાદૂગર! અમારા માટે પોતાના રબથી તેની દુઆ કર જેનો તને વાયદો આપી રાખ્યો છે. વિશ્વાસ કરો કે અમે માર્ગ પર આવી જઈશું.
(૫૦) પછી જ્યારે અમે તેમના પરથી અઝાબ હટાવી દીધો તો તેમણે તે જ સમયે પોતાનો વાયદો અને પ્રતિજ્ઞા તોડી નાખ્યા.
(૫૧) અને ફિરઔને પોતાના સમુદાયમાં એલાન કરાવ્યુ અને કહ્યું કે હે મારી કોમના લોકો! શું મિસ્રનો દેશ મારો નથી અને મારા રાજમહેલોના નીચે જે નહેરો વહી રહી છે ?[1] શું તમે જોતા નથી ?
(૫૨) બલ્કે હું બહેતર છું તેના મુકાબલામાં જે તુચ્છ છે અને સ્પષ્ટ બોલી પણ નથી શક્તો.
(૫૩) સારૂં, આના પર સોનાના કંગન કેમ ન ઉતર્યા ?[1] અથવા આના સાથે ફરિશ્તાઓ ટોળુ થઈને સમૂહોમાં આવી જતાં.
(૫૪) તો તેણે પોતાની જાતિના લોકોને ફોસલાવ્યા અને તેઓએ તેનું માની લીધું. બેશક તેઓ બધા જ ફાસિક લોકો હતા.
(૫૫) પછી જ્યારે તેઓએ અમને ક્રોધિત કર્યા તો અમે તેમનાથી બદલો લીધો અને બધાને ડૂબાડી દીધા.
(૫૬) તો અમે તેમને નકામા કરી દીધા અને પાછળ આવનારાઓના માટે નમૂનો બનાવી દીધા. (ع-૫)