(૯૭) જે લોકો પોતાના પર જુલમ કરવાવાળા છે, જયારે ફરિશ્તા તેમનો જીવ કાઢે છે તો કહે છે કે તમે કઈ હાલતમાં હતા? તેઓ કહે છે અમે ધરતીમાં કમજોર હતા, તો તેઓ સવાલ કરે છે કે શું અલ્લાહની ધરતી વિશાળ ન હતી કે તમે તેમાં હિજરત કરી જતા? આ લોકોનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.