Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૩

આયત ૧૨૧ થી ૧૨૯


وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ (121)

(૧૨૧) (અય નબી! તે સમયને પણ યાદ કરો) જયારે વહેલી સવારમાં તમે પોતાના ઘરેથી નીકળી મુસલમાનોને યુદ્ધના મેદાનમાં લડાઈના મોર્ચા ૫૨ ઠીક રીતે બેસાડી રહ્યા હતા, અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.


إِذْ هَمَّت طَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ (122)

(૧૨૨) જ્યારે તમારા બે જૂથોએ હિમ્મત ખોઈ નાખી તેમનો દોસ્ત અલ્લાહ છે, અને અલ્લાહ ઉપર જ ઈમાનવાળાઓએ ભરોસો રાખવો જોઈએ


وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ (123)

(૧૨૩) અને અલ્લાહે બદ્રના યુદ્ધમાં તમારી તે સમયે મદદ કરી જયારે તમે કમજોર હાલતમાં હતા, એટલા માટે અલ્લાહથી ડરો જેથી શુક્રગુજાર (કૃતજ્ઞ) બનો.


إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَاثَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُنزَلِينَ (124)

(૧૨૪) જયારે તમે મુસલમાનોને દિલાસો આપી રહ્યા હતા, “શું તમને તે કાફી નહિ થાય કે અલ્લાહ ત્રણ હજાર ફરિશ્તાઓ ઉતારીને તમારી મદદ કરે?”


بَلَىٰ ۚ إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ (125)

(૧૨૫) કેમ નહિં? જો તમે સબ્ર અને પરહેઝગારી કરો અને આ લોકો ઓચિંતા તમારા ઉપર આવી જાય તો તમારો રબ તમારી મદદ પાંચ હજાર ફરિશ્તાઓ વડે કરશે જેઓ નિશાનીવાળા હશે.


وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ ۗ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ (126)

(૧૨૬) અને અમે તેને તમારા માટે ફક્ત ખુશખબર અને તમારા દિલોની સાંત્વના માટે બનાવી, નહિંતર મદદ તો પ્રભાવી અને હિકમતવાળા અલ્લાહ તરફથી જ હોય છે.


لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ (127)

(૧૨૭) (અલ્લાહની આ મદદનો હેતુ એ હતો કે અલ્લાહ) કાફિરોના એક જૂથને કાપી નાખે અથવા જલીલ કરી દે અને તેઓ નિષ્ફળ થઈને પાછા ફરે.


لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَالِمُونَ (128)

(૧૨૮) (અય પયગંબર!) તમારા અધિકારમાં કશું નથી, અલ્લાહ (તઆલા) ઈચ્છે તો તેમની તૌબા કબૂલ કરી લે અથવા અઝાબ આપે, કારણ કે તેઓ જાલીમ છે.


وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ (129)

(૧૨૯) આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું અલ્લાહનું જ છે, તે જેને ઈચ્છે માફ કરે અને જેને ઈચ્છે અઝાબ આપે અને અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.