(૧૪૧) તે જ છે જેણે (પૃથ્વી પર) છવાએલા અને ન છવાએલા બગીચા બનાવ્યા, [1] અને ખજૂર અને ખેતી જેના સ્વાદ ઘણા પ્રકારના છે, અને જૈતૂન અને અનારના વૃક્ષો એક પ્રકારના અને અનેક પ્રકારના, જયારે ફળ લાગે તો તમે તેને ખાઓ અને તેની કાપણીના દિવસે તેનો (અલ્લાહનો) હક અદા કરો, [2] અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ હદથી આગળ વધી જનારાઓને મોહબ્બત કરતો નથી. [3]
(૧૪૨) અને જાનવરોમાંથી કેટલાક ભારવહનને લાયક અને કેટલાક જમીનથી લાગેલા બનાવ્યા. ખાઓ, જે તમને અલ્લાહે પ્રદાન કર્યું છે અને શેતાનના પદચિન્હોનું અનુસરણ ન કરો, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.
(૧૪૩) આ આઠ પ્રકારના જોડા (બનાવ્યા) [1] ઘેટામાં બે અને બકરી માં બે, [2] તમે કહો કે અલ્લાહે બંનેના નરને હરામ કરેલ છે કે બંનેના માદાને? અથવા તેને કે જે બંને માદાના ગર્ભમાં સામેલ છે? મને ઈલ્મના આધારે બતાવો જો તમે સાચા હોવ.
(૧૪૪) અને ઊંટમાંથી બે અને ગાયમાંથી બે, તમે કહોકૈ શું અલ્લાહે બંનેના માદાને અથવા બંનેના નરને હરામ કર્યા છે? અથવા તેને જે બંને માદાના ગર્ભમાં સામેલ છે, શું તમે તે વખતે હાજર હતા જયારે અલ્લાહે તેનો હુકમ આપ્યો? પછી એનાથી વધારે જાલિમ કોણ હશે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવે, [1] જેથી ઈલ્મ વગર લોકોને ગુમરાહ કરી દે. બેશક અલ્લાહ જાલિમોને હિદાયત નથી આપતો. (ع-૧૭)