Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૭

આયત ૧૪૧ થી ૧૪૪


وَ هُوَ الَّذِیْۤ اَنْشَاَ جَنّٰتٍ مَّعْرُوْشٰتٍ وَّ غَیْرَ مَعْرُوْشٰتٍ وَّ النَّخْلَ وَ الزَّرْعَ مُخْتَلِفًا اُكُلُهٗ وَ الزَّیْتُوْنَ وَ الرُّمَّانَ مُتَشَابِهًا وَّ غَیْرَ مُتَشَابِهٍ ؕ كُلُوْا مِنْ ثَمَرِهٖۤ اِذَاۤ اَثْمَرَ وَ اٰتُوْا حَقَّهٗ یَوْمَ حَصَادِهٖ ۖ } وَ لَا تُسْرِفُوْا ؕ اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْرِفِیْنَۙ (141)

(૧૪૧) તે જ છે જેણે (પૃથ્વી પર) છવાએલા અને ન છવાએલા બગીચા બનાવ્યા, અને ખજૂર અને ખેતી જેના સ્વાદ ઘણા પ્રકારના છે, અને જૈતૂન અને અનારના વૃક્ષો એક પ્રકારના અને અનેક પ્રકારના, જયારે ફળ લાગે તો તમે તેને ખાઓ અને તેની કાપણીના દિવસે તેનો (અલ્લાહનો) હક અદા કરો, અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ હદથી આગળ વધી જનારાઓને મોહબ્બત કરતો નથી.


وَ مِنَ الْاَنْعَامِ حَمُوْلَةً وَّ فَرْشًا ؕ كُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ وَ لَا تَتَّبِعُوْا خُطُوٰتِ الشَّیْطٰنِ ؕ اِنَّهٗ لَكُمْ عَدُوٌّ مُّبِیْنٌۙ (142)

(૧૪૨) અને જાનવરોમાંથી કેટલાક ભારવહનને લાયક અને કેટલાક જમીનથી લાગેલા બનાવ્યા. ખાઓ, જે તમને અલ્લાહે પ્રદાન કર્યું છે અને શેતાનના પદચિન્હોનું અનુસરણ ન કરો, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.


ثَمٰنِیَةَ اَزْوَاجٍ ۚ مِنَ الضَّاْنِ اثْنَیْنِ وَ مِنَ الْمَعْزِ اثْنَیْنِ ؕ قُلْ ءٰٓالذَّكَرَیْنِ حَرَّمَ اَمِ الْاُنْثَیَیْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَیْهِ اَرْحَامُ الْاُنْثَیَیْنِ ؕ نَبِّئُوْنِیْ بِعِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَۙ (143)

(૧૪૩) આ આઠ પ્રકારના જોડા (બનાવ્યા) ઘેટામાં બે અને બકરી માં બે, તમે કહો કે અલ્લાહે બંનેના નરને હરામ કરેલ છે કે બંનેના માદાને? અથવા તેને કે જે બંને માદાના ગર્ભમાં સામેલ છે? મને ઈલ્મના આધારે બતાવો જો તમે સાચા હોવ.


وَ مِنَ الْاِبِلِ اثْنَیْنِ وَ مِنَ الْبَقَرِ اثْنَیْنِ ؕ قُلْ ءٰٓالذَّكَرَیْنِ حَرَّمَ اَمِ الْاُنْثَیَیْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَیْهِ اَرْحَامُ الْاُنْثَیَیْنِ ؕ اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ وَصّٰىكُمُ اللّٰهُ بِهٰذَا ۚ فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا لِّیُضِلَّ النَّاسَ بِغَیْرِ عِلْمٍ ؕ اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۧ (144)

(૧૪૪) અને ઊંટમાંથી બે અને ગાયમાંથી બે, તમે કહોકૈ શું અલ્લાહે બંનેના માદાને અથવા બંનેના નરને હરામ કર્યા છે? અથવા તેને જે બંને માદાના ગર્ભમાં સામેલ છે, શું તમે તે વખતે હાજર હતા જયારે અલ્લાહે તેનો હુકમ આપ્યો? પછી એનાથી વધારે જાલિમ કોણ હશે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવે, જેથી ઈલ્મ વગર લોકોને ગુમરાહ કરી દે. બેશક અલ્લાહ જાલિમોને હિદાયત નથી આપતો. -૧૭)