Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૩૮

આયત ૨૭૪ થી ૨૮૧


الَّذِينَ يُنفِقُونَ أَمْوَالَهُم بِاللَّيْلِ وَالنَّهَارِ سِرًّا وَعَلَانِيَةً فَلَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (274)

(૨૭૪) જે લોકો પોતાના માલને રાત-દિવસ છુપાવીને અથવા જાહેરમાં ખર્ચ કરે છે, તેમના માટે તેમના રબ પાસે બદલો છે, ન તેમને કોઈ ભય હશે અને ન કોઈ ગમ (દુઃખ).


الَّذِينَ يَأْكُلُونَ الرِّبَا لَا يَقُومُونَ إِلَّا كَمَا يَقُومُ الَّذِي يَتَخَبَّطُهُ الشَّيْطَانُ مِنَ الْمَسِّ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا إِنَّمَا الْبَيْعُ مِثْلُ الرِّبَا ۗ وَأَحَلَّ اللَّهُ الْبَيْعَ وَحَرَّمَ الرِّبَا ۚ فَمَن جَاءَهُ مَوْعِظَةٌ مِّن رَّبِّهِ فَانتَهَىٰ فَلَهُ مَا سَلَفَ وَأَمْرُهُ إِلَى اللَّهِ ۖ وَمَنْ عَادَ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ (275)

(૨૭૫) વ્યાજ ખાનાર લોકો ઊભા નહિં હોય, પરંતુ એવી રીતે, જેવી રીતે તે ઊભો હોય છે, જેને શયતાન સ્પર્શીને પાગલ બનાવી દે છે. આ એટલા માટે કે તેઓ કહ્યા કરતા હતા કે વેપાર પણ તો વ્યાજની જેમ જ છે, જ્યારે કે અલ્લાહ (તઆલા) એ વાપરને હલાલ (વૈધ) કર્યો અને વ્યાજને હરામ (અવૈધ). અને જે માણસ પોતાના પાસે પહોંચેલ અલ્લાહ (તઆલા)ની નસીહત સાંભળીને રોકાઈ ગયો તેના માટે તે છે જે પસાર થઈ ગયું, અને તેનો મામલો અલ્લાહ (તઆલા) પાસે છે અને જે ફરીથી (હરામ તરફ) પાછો ફર્યો તે જહન્નમી છે. તે હંમેંશા તેમાંજ રહેશે.


يَمْحَقُ اللَّهُ الرِّبَا وَيُرْبِي الصَّدَقَاتِ ۗ وَاللَّهُ لَا يُحِبُّ كُلَّ كَفَّارٍ أَثِيمٍ (276)

(૨૭૬) અલ્લાહ (તઆલા) વ્યાજને ઘટાડે છે અને દાનને વધારે છે, અને અલ્લાહ (તઆલા) કોઈ નાશુક્રા(અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો.


إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (277)

(૨૭૭) જે લોકો ઈમાનની સાથે (સુન્નત અનુસાર) કામ કરે છે, નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે, તેમનો બદલો તેમના રબ પાસે છે, તેમના પર ન તો કોઈ ભય હશે અને ન કોઈ દુઃખ.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَذَرُوا مَا بَقِيَ مِنَ الرِّبَا إِن كُنتُم مُّؤْمِنِينَ (278)

(૨૭૮) હે ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા)થી ડરો અને જે વ્યાજ બાકી રહી ગયું છે તે છોડી દો, જો તમે ખરેખર ઇમાનવાળા છો.


فَإِن لَّمْ تَفْعَلُوا فَأْذَنُوا بِحَرْبٍ مِّنَ اللَّهِ وَرَسُولِهِ ۖ وَإِن تُبْتُمْ فَلَكُمْ رُءُوسُ أَمْوَالِكُمْ لَا تَظْلِمُونَ وَلَا تُظْلَمُونَ (279)

(૨૭૯) જો આમ નહિં કરો તો અલ્લાહ (તઆલા) અને તેના રસૂલથી લડવા માટે તૈયાર થઈ જાઓ. અને જો માફી માંગી લો તો તમારો અસલ માલ તમારો જ છે, ન તમે જુલ્મ કરો અને ન તમારા પર જુલ્મ કરવામાં આવે.


وَإِن كَانَ ذُو عُسْرَةٍ فَنَظِرَةٌ إِلَىٰ مَيْسَرَةٍ ۚ وَأَن تَصَدَّقُوا خَيْرٌ لَّكُمْ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ (280)

(૨૮૦) અને જો કોઈ ગરીબ હોય તો તેને સગવડ થાય ત્યાં સુધી મહેતલ(મહોલત) આપો, અને સદકો (દાન) કરી દો તો તમારા માટે વધારે સારૂ છે, જો તમારામાં ઇલ્મ હોય.


وَاتَّقُوا يَوْمًا تُرْجَعُونَ فِيهِ إِلَى اللَّهِ ۖ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ (281)

(૨૮૧) અને તે દિવસથી ડરો, જેમાં તમે બધા અલ્લાહ (તઆલા) તરફ પાછા ફેરવવામાં આવશો અને દરેક માણસોને તેના કર્મો મુજબ પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલ્મ કરવામાં નહિં આવે.