Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૭૪) જે લોકો પોતાના માલને રાત-દિવસ છુપાવીને અથવા જાહેરમાં ખર્ચ કરે છે, તેમના માટે તેમના રબ પાસે બદલો છે, ન તેમને કોઈ ભય હશે અને ન કોઈ ગમ.
(૨૭૫) વ્યાજ ખાનાર લોકો ઊભા નહિં હોય, પરંતુ એવી રીતે, જેવી રીતે તે ઊભો હોય છે, જેને શયતાન સ્પર્શાને પાગલ બનાવી દે છે.[147] આ એટલા માટે કે તેઓ કહ્યા કરતા હતા કે વેપાર પણ તો વ્યાજની જેમ જ છે,[148] જયારે કે અલ્લાહ (તઆલા) એ વેપારને હલાલ (વૈદ્ય) કર્યો અને વ્યાજને હરામ(એવૈદ્ય). અને જે માણસ પોતાના પાસે પહોંચેલ અલ્લાહ (તઆલા)ની નસીહત સાંભળી રોકાઈ ગયો તેના માટે તે છે જે પસાર થઈ ગયું,[149] અને તેનો મામલો અલ્લાહ (તઆલા) પાસે છે અને જે ફરીથી (હરામ તરફ) પાછો ફર્યો તે જહન્નમી છે. તે હંમેશા તેમાંજ રહેશે.
(૨૭૬) અલ્લાહ (તઆલા) વ્યાજને ઘટાડે છે અને દાનને વધારે છે,[150] અને અલ્લાહ (તઆલા) કોઈ નાશુક્ર (અપકારી) અને કાફિરને દોસ્ત નથી બનાવતો.
(૨૭૭) જે લોકો ઈમાનની સાથે (સુન્નત અનુસાર) કામ કરે છે, નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે, તેમનો બદલો તેમના રબ પાસે છે, તેમના પર ન તો કોઈ ભય હશે અને ન કોઈ દુઃખ.
(૨૭૮) હે ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા)થી ડરો અને જે વ્યાજ બાકી રહી ગયું છે તે છોડી દો, જો તમે ખરેખર ઈમાનવાળા છો.
(૨૭૯) જો આમ નહિં કરો તો અલ્લાહ (તઆલા) અને તેના રસૂલથી લડવા માટે તૈયાર થઈ જાઓ.[151] અને જો માફી માંગી લો તો તમારો અસલ માલ તમારો જ છે, ન તમે જુલમ કરો અને ન તમારા પર જુલમ કરવામાં આવે.[152]
(૨૮૦) અને જો કોઈ ગરીબ હોય તો તેને સગવડ થાય ત્યાં સુધી મહેતલ આપો, અને સદકો (દાન) કરી દો તો તમારા માટે વધારે સારૂ છે, જો તમારામાં ઈલ્મ હોય.
(૨૮૧) અને તે દિવસથી ડરો, જેમાં તમે બધા અલ્લાહ (તઆલા) તરફ પાછા ફેરવવામાં આવશો અને દરેક માણસોને તેના કર્મો મુજબ પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિં આવે.[153]