(૪૧) અય રસૂલ! તમે તેમના માટે દુ:ખી ન થાઓ જેઓ કુફ્રમાં દોડ લગાવી રહ્યા છે જેમણે પોતાના મોઢાંથી કહ્યું કે અમે યકીન કર્યું પરંતુ તેમના દિલોએ યકીન ના કર્યું, અને જેઓ યહૂદી થઈ ગયા, તેમનામાં કેટલાક જૂઠ સાંભળવાના અભ્યાસી અને બીજા લોકોના ગુપ્તચર છે, જેઓ તમારા પાસે નથી આવ્યા, તેઓ શબ્દોને તેની જગ્યાએથી ફેરવી દે છે, કહે છે કે જો તમને હુકમ આપવામાં આવે તો માની લો અને હુકમ આપવામાં ન આવે તો અલગ રહો અને જેને અલ્લાહ ભટકાવવા ઈચ્છે તેના માટે અલ્લાહ ૫૨ તમારો જરા પણ હક નથી, અલ્લાહ તેમના દિલોને પવિત્ર કરવા નથી ચાહતો, તેમના માટે જ દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ છે.