Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૬

આયત ૩૫ થી ૪૩


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اتَّقُوا اللّٰهَ وَ ابْتَغُوْۤا اِلَیْهِ الْوَسِیْلَةَ وَ جَاهِدُوْا فِیْ سَبِیْلِهٖ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ (35)

(૩૫) હે મુસલમાનો! અલ્લાહ (તઆલા)થી ડરતા રહો અને તેના તરફ નિકટતા પ્રાપ્ત કરવાની કોશિશ કરો, અને તેના માર્ગમાં જિહાદ કરો જેથી તમે સફળ થાઓ.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا لَوْ اَنَّ لَهُمْ مَّا فِی الْاَرْضِ جَمِیْعًا وَّ مِثْلَهٗ مَعَهٗ لِیَفْتَدُوْا بِهٖ مِنْ عَذَابِ یَوْمِ الْقِیٰمَةِ مَا تُقُبِّلَ مِنْهُمْ١ۚ وَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (36)

(૩૬) યકીન કરો કે કાફિરોના માટે જો તે બધું જ હોય જે સમગ્ર ધરતીમાં છે, અને તેના બરાબર અને વધારે પણ હોય અને તેઓ તે બધાને ક્યામતના દિવસે અઝાબના બદલે ફિદિયામાં આપવા ચાહે તો પણ અશક્ય છે કે તેમનાથી ક્બૂલ કરી લેવામાં આવે, તેમના માટે પીડાકારી સજા છે.


یُرِیْدُوْنَ اَنْ یَّخْرُجُوْا مِنَ النَّارِ وَ مَا هُمْ بِخٰرِجِیْنَ مِنْهَا {ز} وَ لَهُمْ عَذَابٌ مُّقِیْمٌ (37)

(૩૭) તેઓ ચાહશે કે જહન્નમમાંથી નીકળી જાય, પરંતુ તેઓ કદી પણ તેમાંથી નહિ નીકળી શકે, તેમના માટે તો હંમેશા અઝાબ છે.


وَ السَّارِقُ وَ السَّارِقَةُ فَاقْطَعُوْۤا اَیْدِیَهُمَا جَزَآءًۢ بِمَا كَسَبَا نَكَالًا مِّنَ اللّٰهِ ؕ وَ اللّٰهُ عَزِیْزٌ حَكِیْمٌ (38)

(૩૮) ચોર ભલે સ્ત્રી હોય કે પુરૂષ, બંનેના હાથ કાપી નાખો, આ તેમના કરતૂતનો બદલો અને અલ્લાહ તરફથી સજા છે, અને અલ્લાહ (તઆલા) તાકાતવાળો અને હિકમતવાળો છે.


فَمَنْ تَابَ مِنْۢ بَعْدِ ظُلْمِهٖ وَ اَصْلَحَ فَاِنَّ اللّٰهَ یَتُوْبُ عَلَیْهِ ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ (39)

(૩૯) જે કોઈ પોતાના ગુનાહ પછી માફી માંગી લે અને સુધાર કરી લે તો અલ્લાહ (તઆલા) તેની તૌબા કબૂલ કરે છે, બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.


اَلَمْ تَعْلَمْ اَنَّ اللّٰهَ لَهٗ مُلْكُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ یُعَذِّبُ مَنْ یَّشَآءُ وَ یَغْفِرُ لِمَنْ یَّشَآءُ ؕ وَ اللّٰهُ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (40)

(૪૦) શું તમને ઈલ્મ નથી કે અલ્લાહ (તઆલા)ના માટે આકાશો અને ધરતીનું રાજ્ય છે ? જેને ઈચ્છે સજા આપે જેને ઈચ્છે માફ કરી દે. અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે.


یٰۤاَیُّهَا الرَّسُوْلُ لَا یَحْزُنْكَ الَّذِیْنَ یُسَارِعُوْنَ فِی الْكُفْرِ مِنَ الَّذِیْنَ قَالُوْۤا اٰمَنَّا بِاَفْوَاهِهِمْ وَ لَمْ تُؤْمِنْ قُلُوْبُهُمْ ۛۚ وَ مِنَ الَّذِیْنَ هَادُوْا ۛۚ سَمّٰعُوْنَ لِلْكَذِبِ سَمّٰعُوْنَ لِقَوْمٍ اٰخَرِیْنَ ۙ لَمْ یَاْتُوْكَ ؕ یُحَرِّفُوْنَ الْكَلِمَ مِنْۢ بَعْدِ مَوَاضِعِهٖ ۚ یَقُوْلُوْنَ اِنْ اُوْتِیْتُمْ هٰذَا فَخُذُوْهُ وَ اِنْ لَّمْ تُؤْتَوْهُ فَاحْذَرُوْا ؕ وَ مَنْ یُّرِدِ اللّٰهُ فِتْنَتَهٗ فَلَنْ تَمْلِكَ لَهٗ مِنَ اللّٰهِ شَیْئًا ؕ اُولٰٓئِكَ الَّذِیْنَ لَمْ یُرِدِ اللّٰهُ اَنْ یُّطَهِّرَ قُلُوْبَهُمْ ؕ لَهُمْ فِی الدُّنْیَا خِزْیٌ ۖۚ وَّ لَهُمْ فِی الْاٰخِرَةِ عَذَابٌ عَظِیْمٌ (41)

(૪૧) અય રસૂલ! તમે તેમના માટે દુ:ખી ન થાઓ જેઓ કુફ્રમાં દોડ લગાવી રહ્યા છે જેમણે પોતાના મોઢાંથી કહ્યું કે અમે યકીન કર્યું પરંતુ તેમના દિલોએ યકીન ના કર્યું, અને જેઓ યહૂદી થઈ ગયા, તેમનામાં કેટલાક જૂઠ સાંભળવાના અભ્યાસી અને બીજા લોકોના ગુપ્તચર છે, જેઓ તમારા પાસે નથી આવ્યા, તેઓ શબ્દોને તેની જગ્યાએથી ફેરવી દે છે, કહે છે કે જો તમને હુકમ આપવામાં આવે તો માની લો અને હુકમ આપવામાં ન આવે તો અલગ રહો અને જેને અલ્લાહ ભટકાવવા ઈચ્છે તેના માટે અલ્લાહ ૫૨ તમારો જરા પણ હક નથી, અલ્લાહ તેમના દિલોને પવિત્ર કરવા નથી ચાહતો, તેમના માટે જ દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ છે.


سَمّٰعُوْنَ لِلْكَذِبِ اَكّٰلُوْنَ لِلسُّحْتِ ؕ فَاِنْ جَآءُوْكَ فَاحْكُمْ بَیْنَهُمْ اَوْ اَعْرِضْ عَنْهُمْ ۚ وَ اِنْ تُعْرِضْ عَنْهُمْ فَلَنْ یَّضُرُّوْكَ شَیْئًا ؕ وَ اِنْ حَكَمْتَ فَاحْكُمْ بَیْنَهُمْ بِالْقِسْطِ ؕ اِنَّ اللّٰهَ یُحِبُّ الْمُقْسِطِیْنَ (42)

(૪૨) આ લોકો કાન લગાવીને જૂઠ સાંભળવાવાળા અને મન ભરીને હરામ ખાવાવાળા છે, જો તેઓ તમારા પાસે આવે તો તમને હક છે કે તમે ચાહો તો તેમની વચ્ચે ફેંસલો કરી દો ચાહો તો ન કરો, જો તમે તેમનાથી મોઢું ફેરવી પણ લેશો તો પણ તેઓ તમને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા, અને જો તમે ફેંસલો કરો તો તેમનામાં ન્યાયની સાથે ફેંસલો કરો, બેશક ન્યાય કરવાવાળાઓની સાથે અલ્લાહ (તઆલા) મોહબ્બત રાખે છે.


وَ كَیْفَ یُحَكِّمُوْنَكَ وَ عِنْدَهُمُ التَّوْرٰىةُ فِیْهَا حُكْمُ اللّٰهِ ثُمَّ یَتَوَلَّوْنَ مِنْۢ بَعْدِ ذٰلِكَ ؕ وَ مَاۤ اُولٰٓئِكَ بِالْمُؤْمِنِیْنَ ۧ (43)

(૪૩) અને (આશ્ચર્યની વાત છે કે) તેઓ કેવી રીતે પોતાના પાસે તૌરાત હોવા છતા, જેમાં અલ્લાહનો હુકમ છે તમને ફેંસલો કરવાવાળા બનાવે છે, ત્યારબાદ પછી પણ તેઓ ફરી જાય છે, હકીકતમાં તેઓ ઈમાનવાળા નથી. (ع-)