Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૩

આયત ૨૧ થી ૩૦


وَ مَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوْ كَذَّبَ بِاٰیٰتِهٖ ؕ اِنَّهٗ لَا یُفْلِحُ الظّٰلِمُوْنَ (21)

(૨૧) અને તેનાથી વધીને જાલિમ કોણ છે જે અલ્લાહ ૫૨ જૂઠો આરોપ લગાવે અને તેની નિશાનીઓને જૂઠી ઠેરવે, બેશક જાલિમો કામયાબ થઈ શકતા નથી.


وَ یَوْمَ نَحْشُرُهُمْ جَمِیْعًا ثُمَّ نَقُوْلُ لِلَّذِیْنَ اَشْرَكُوْۤا اَیْنَ شُرَكَآؤُكُمُ الَّذِیْنَ كُنْتُمْ تَزْعُمُوْنَ (22)

(૨૨) અને જે દિવસે અમે બધાને ભેગા કરીશું, પછી જેમણે શિર્ક કર્યુ તેમને કહીશું તેઓ ક્યાં છે જેમને તમે (અલ્લાહના) ભાગીદાર સમજી રહ્યા હતા (તે દિવસો યાદ છે)


ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ اِلَّاۤ اَنْ قَالُوْا وَ اللّٰهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِیْنَ (23)

(૨૩) પછી તેમના શિર્કનું એના સિવાય કોઈ બહાનું નહિ હોય કે કહેશે, “અમારા રબ અલ્લાહની કસમ ! અમે મુશરિક ન હતા.”


اُنْظُرْ كَیْفَ كَذَبُوْا عَلٰۤى اَنْفُسِهِمْ وَ ضَلَّ عَنْهُمْ مَّا كَانُوْا یَفْتَرُوْنَ (24)

(૨૪) જુઓ કે તેઓ કેવી રીતે પોતાના ઉપર જૂઠ બોલી ગયા અને તેમનો આરોપ તેમનાથી ખોવાઈ ગયો.


وَ مِنْهُمْ مَّنْ یَّسْتَمِعُ اِلَیْكَ ۚ وَ جَعَلْنَا عَلٰى قُلُوْبِهِمْ اَكِنَّةً اَنْ یَّفْقَهُوْهُ وَ فِیْۤ اٰذَانِهِمْ وَقْرًا ؕ وَ اِنْ یَّرَوْا كُلَّ اٰیَةٍ لَّا یُؤْمِنُوْا بِهَا ؕ حَتّٰۤى اِذَا جَآءُوْكَ یُجَادِلُوْنَكَ یَقُوْلُ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّاۤ اَسَاطِیْرُ الْاَوَّلِیْنَ (25)

(૨૫) તેમનાભાંથી કેટલાક તમારા તરફ કાન ધરે છે, અને અમે તેમના દિલો ૫૨ પડદા નાખી રાખ્યા છે કે તેને સમજે નહિ અને તેમના કાન બહેરા છે, અને તેઓ બધી નિશાનીઓને જોઈ લે તો પણ તેના ઉપર ઈમાન નહિ લાવે, ત્યાં સુધી કે જયારે તમારા પાસે આવે છે તો ઝઘડો કરે છે, કાફિરો કહે છે કે, “આ ફક્ત પહેલાનાઓની કાલ્પનિક વાર્તાઓ સિવાય (બીજુ કશું જ) નથી."


وَ هُمْ یَنْهَوْنَ عَنْهُ وَ یَنْئَوْنَ عَنْهُ ۚ وَ اِنْ یُّهْلِكُوْنَ اِلَّاۤ اَنْفُسَهُمْ وَ مَا یَشْعُرُوْنَ (26)

(૨૬) અને આ લોકો આનાથી બીજાઓને પણ રોકે છે અને પોતે પણ દૂર દૂર રહે છે, અને આ લોકો પોતે પોતાની જાતને બરબાદ કરી રહ્યા છે અને કશું સમજતા નથી.


وَ لَوْ تَرٰۤى اِذْ وُقِفُوْا عَلَى النَّارِ فَقَالُوْا یٰلَیْتَنَا نُرَدُّ وَ لَا نُكَذِّبَ بِاٰیٰتِ رَبِّنَا وَ نَكُوْنَ مِنَ الْمُؤْمِنِیْنَ (27)

(૨૭) અને જો તમે તે સમયે જોશો કે જયારે તેમને જહન્નમની નજીક ઊભા કરી દેવામાં આવશે ત્યારે કહેશે, “હાય! કેટલી સરસ વાત હોય કે અમને ફરી પાછા મોકલી દેવામાં આવે (અને જો આવું થઈ જાય) તો અમે પોતાના રબની નિશાનીઓને ન જૂઠાડીએ અને અમે ઈમાનવાળાઓમાં સામેલ થઈ જઈએ.


بَلْ بَدَا لَهُمْ مَّا كَانُوْا یُخْفُوْنَ مِنْ قَبْلُ ؕ وَ لَوْ رُدُّوْا لَعَادُوْا لِمَا نُهُوْا عَنْهُ وَ اِنَّهُمْ لَكٰذِبُوْنَ (28)

(૨૮) બલ્કે જે વસ્તુને આના પહેલા છૂપાવ્યા કરતા હતા તે તેમના સામે આવી ગઈ છે, જો આ લોકોને ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એ જ કરશે જેનાથી તેમને રોકવામાં આવ્યા હતા અને બેશક તે લોકો જૂઠા છે.


وَ قَالُوْۤا اِنْ هِیَ اِلَّا حَیَاتُنَا الدُّنْیَا وَ مَا نَحْنُ بِمَبْعُوْثِیْنَ (29)

(૨૯) અને તેઓ કહે છે ફક્ત આ દુનિયાની જિંદગી જ અમારી જિંદગી છે અને અમે બીજીવાર જીવતા કરવામાં આવીશું નહિં.


وَ لَوْ تَرٰۤى اِذْ وُقِفُوْا عَلٰى رَبِّهِمْ ؕ قَالَ اَلَیْسَ هٰذَا بِالْحَقِّ ؕ قَالُوْا بَلٰى وَ رَبِّنَا ؕ قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۧ (30)

(૩૦) અને જો તમે તે સમયે જોશો જયારે તેમને પોતાના રબના સામે ઊભા કરી દેવામાં આવશે, અલ્લાહ (તઆલા) ફરમાવશે કે, “શું આ સાચું નથી ?” તેઓ કહેશે, “બેશક રબની કસમ સાચું છે." અલ્લાહ (તઆલા) ફરમાવશે, “તો પોતાના કુફ્રનો અઝાબ સહન કરો.” -૩)