Surah Qaf
સૂરહ કૉફ
રૂકૂઅ : ૨
આયત ૧૬ થી ૨૯
وَ لَقَدْ خَلَقْنَا الْاِنْسَانَ وَ نَعْلَمُ مَا تُوَسْوِسُ بِهٖ نَفْسُهٗ ۖ ۚ وَ نَحْنُ اَقْرَبُ اِلَیْهِ مِنْ حَبْلِ الْوَرِیْدِ (16)
(૧૬) અમે માનવીને પેદા કર્યો અને તેના દિલમાં જે વિચારો ઉદ્ભવે છે તેને અમે જાણીએ છીએ અને અમે તેની ધોરી નસ કરતા પણ વધુ નજીક છીએ.
اِذْ یَتَلَقَّى الْمُتَلَقِّیٰنِ عَنِ الْیَمِیْنِ وَ عَنِ الشِّمَالِ قَعِیْدٌ (17)
(૧૭) જે સમયે બે લઈ જનાર (ફરિશ્તા જે) લેતા જાય છે. એક જમણી બાજુ અને બીજો ડાબી બાજુ બેઠો હોય છે.
مَا یَلْفِظُ مِنْ قَوْلٍ اِلَّا لَدَیْهِ رَقِیْبٌ عَتِیْدٌ (18)
(૧૮) (માનવી) મોઢામાંથી કોઈ વાત કાઢી શકતો નથી પરંતુ તેની પાસે રક્ષક (પહેરેદાર) તૈયાર છે.
وَ جَآءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ؕ ذٰلِكَ مَا كُنْتَ مِنْهُ تَحِیْدُ (19)
(૧૯) અને મોતની બેહોશી (મૂર્છા) સત્ય (હક) લઈને આવી પહોંચી. આ એ જ છે જેનાંથી તું કતરાતો હતો.
وَ نُفِخَ فِی الصُّوْرِ ؕ ذٰلِكَ یَوْمُ الْوَعِیْدِ (20)
(૨૦) અને સૂર ફુંકવામાં આવશે. અઝાબ (યાતના)ના વાયદાનો દિવસ આ જ છે.
وَ جَآءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَآئِقٌ وَّ شَهِیْدٌ (21)
(૨૧) અને દરેક વ્યક્તિ એવી રીતે આવશે કે તેના સાથે એક હાંકનાર અને એક સાક્ષી આપનાર હશે.
لَقَدْ كُنْتَ فِیْ غَفْلَةٍ مِّنْ هٰذَا فَكَشَفْنَا عَنْكَ غِطَآءَكَ فَبَصَرُكَ الْیَوْمَ حَدِیْدٌ (22)
(૨૨) બેશક તું આનાથી ગફલતમાં હતો. પરંતુ અમે તારા સામેથી આ પડદો હટાવી લીધો. તો આજે તારી નજર સતેજ છે.
وَ قَالَ قَرِیْنُهٗ هٰذَا مَا لَدَیَّ عَتِیْدٌ ؕ (23)
(૨૩) એના સાથે રહેનાર (ફરિશ્તો) કહેશે આ હાજર છે જે મારા પાસે હતો.
اَلْقِیَا فِیْ جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِیْدٍ ۙ (24)
(૨૪) બંને નાખી દો જહન્નમમાં, દરેક કાફિર વિરોધીને.
مَّنَّاعٍ لِّلْخَیْرِ مُعْتَدٍ مُّرِیْبِ ۙ (25)
(૨૫) જે નેક કામથી રોકનાર, હદ વટાવનાર અને શંકા કરવાવાળો હતો.
اِن لَّذِیْ جَعَلَ مَعَ اللّٰهِ اِلٰهًا اٰخَرَ فَاَلْقِیٰهُ فِی الْعَذَابِ الشَّدِیْدِ (26)
(૨૬) જેણે અલ્લાહના સાથે બીજાને મા'બૂદ (દેવતા) બનાવ્યા હતા. તેથી તેમને સખત અઝાબ (યાતના)માં નાંખી દો.
قَالَ قَرِیْنُهٗ رَبَّنَا مَاۤ اَطْغَیْتُهٗ وَ لٰكِنْ كَانَ فِیْ ضَلٰلٍۭ بَعِیْدٍ (27)
(૨૭) તેનો સાથી શેતાન (કહેશે) કે, “હે અમારા માલિક ! મેં આને અવળા રસ્તે દોર્યો નહતો. પરંતુ તે પોતે જ દૂરના ભટકાવમાં હતો.
قَالَ لَا تَخْتَصِمُوْا لَدَیَّ وَ قَدْ قَدَّمْتُ اِلَیْكُمْ بِالْوَعِیْدِ (28)
(૨૮) (અલ્લાહ) ફરમાવશે કે મારા સામે નાહક ઝઘડાની વાત ન કરો, હું તો પહેલા જ તમારા તરફ અઝાબનો વાયદો મોકલી ચૂક્યો હતો.
مَا یُبَدَّلُ الْقَوْلُ لَدَیَّ وَ مَاۤ اَنَا بِظَلَّامٍ لِّلْعَبِیْدِ ۧ (29)
(૨૯) મારા પાસે કોઈ વાત બદલાતી નથી અને ન હું મારા બંદાઓ પર થોડો પણ જુલમ કરનાર છું. (ع-૨)