Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૧૩

આયત ૯૦ થી ૧૦૦

اِنَّ اللّٰهَ یَاْمُرُ بِالْعَدْلِ وَ الْاِحْسَانِ وَ اِیْتَآئِ ذِی الْقُرْبٰى وَ یَنْهٰى عَنِ الْفَحْشَآءِ وَ الْمُنْكَرِ وَ الْبَغْیِ ۚ یَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُوْنَ (90)

(૯૦) બેશક અલ્લાહ (તઆલા) ન્યાયનો, ભલાઈનો અને નજીકના રિશ્તેદારો સાથે સદવર્તન કરવાનો હુકમ આપે છે અને અશ્લિલતાના કાર્યો અને બૂરાઈઓ અને જુલમથી રોકે છે. તે પોતે તમને નસીહત કરી રહ્યો છે જેથી તમે નસીહત પ્રાપ્ત કરો.


وَ اَوْفُوْا بِعَهْدِ اللّٰهِ اِذَا عٰهَدْتُّمْ وَ لَا تَنْقُضُوا الْاَیْمَانَ بَعْدَ تَوْكِیْدِهَا وَ قَدْ جَعَلْتُمُ اللّٰهَ عَلَیْكُمْ كَفِیْلًا ؕ اِنَّ اللّٰهَ یَعْلَمُ مَا تَفْعَلُوْنَ (91)

(૮૫) અને જ્યારે આ જાલિમ લોકો અઝાબ જોઈ લેશે, પછી ન તો તેમનો અઝાબ હલકો કરવામાં આવશે અને ન તેમને ઢીલ આપવામાં આવશે.


وَ لَا تَكُوْنُوْا كَالَّتِیْ نَقَضَتْ غَزْلَهَا مِنْۢ بَعْدِ قُوَّةٍ اَنْكَاثًا ؕ تَتَّخِذُوْنَ اَیْمَانَكُمْ دَخَلًۢا بَیْنَكُمْ اَنْ تَكُوْنَ اُمَّةٌ هِیَ اَرْبٰى مِنْ اُمَّةٍ ؕ اِنَّمَا یَبْلُوْكُمُ اللّٰهُ بِهٖ ؕ وَ لَیُبَیِّنَنَّ لَكُمْ یَوْمَ الْقِیٰمَةِ مَا كُنْتُمْ فِیْهِ تَخْتَلِفُوْنَ (92)

(૯૨) અને અલ્લાહ સાથે કરેલા વચનોને પૂરા કરો, જ્યારે તમે પરસ્પર કરાર કરો, અને સોગંધોને તેની મજબૂતી પછી ન તોડો, જયારે તમે અલ્લાહને પોતાના ઉપર સાક્ષી બનાવી ચૂક્યા છો, તમે જે કંઈ કરો છો અલ્લાહ (તઆલા) તેને સારી રીતે જાણે છે.


وَ لَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَكُمْ اُمَّةً وَّاحِدَةً وَّ لٰكِنْ یُّضِلُّ مَنْ یَّشَآءُ وَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ وَ لَتُسْئَلُنَّ عَمَّا كُنْتُمْ تَعْمَلُوْنَ (93)

(૯૩) અને જો અલ્લાહ (તઆલા) ચાહત તો તમને સૌને એક જ ઉમ્મત બનાવી દેતો, પરંતુ તે જેને ચાહે ભટકાવી દે છે અને જેને ચાહે હિદાયત આપે છે, બેશક તમે જે કંઈ કરી રહ્યા છો તેની પૂછપરછ કરવામાં આવશે.


وَ لَا تَتَّخِذُوْۤا اَیْمَانَكُمْ دَخَلًۢا بَیْنَكُمْ فَتَزِلَّ قَدَمٌۢ بَعْدَ ثُبُوْتِهَا وَ تَذُوْقُوا السُّوْٓءَ بِمَا صَدَدْتُّمْ عَنْ سَبِیْلِ اللّٰهِ ۚ وَ لَكُمْ عَذَابٌ عَظِیْمٌ (94)

(૯૪) અને તમે પોતાની સોગંદોને પરસ્પર છળકપટનું સાધન ન બનાવો, પછી તો તમારા કદમ મજબૂતી પછી ડગમગી જશે અને તમારે સખત અઝાબ ચાખવો પડશે. કેમકે તમે લોકોને અલ્લાહના માર્ગથી રોકી દીધા અને તમને વધારે સખત અઝાબ થશે.


وَ لَا تَشْتَرُوْا بِعَهْدِ اللّٰهِ ثَمَنًا قَلِیْلًا ؕ اِنَّمَا عِنْدَ اللّٰهِ هُوَ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ (95)

(૯૫) અને તમે અલ્લાહના વચનને થોડા મૂલ્યના બદલામાં ન વેચી દો. યાદ રાખો અલ્લાહ પાસેની વસ્તુ જ તમારા માટે ઉત્તમ છે જો તમારામાં ઈલ્મ હોય.


مَا عِنْدَكُمْ یَنْفَدُ وَ مَا عِنْدَ اللّٰهِ بَاقٍ ؕ وَ لَنَجْزِیَنَّ الَّذِیْنَ صَبَرُوْۤا اَجْرَهُمْ بِاَحْسَنِ مَا كَانُوْا یَعْمَلُوْنَ (96)

(૯૬) તમારા પાસે જે કંઈ છે તે બધું નાશ પામવાનું છે અને અલ્લાહના પાસે જે કંઈ છે તે હંમેશા રહેવાનું છે, અને સબ્ર કરનારાઓને અમે સારા કર્મોનો સારો બદલો જરૂર પ્રદાન કરીશું.


مَنْ عَمِلَ صَالِحًا مِّنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَ هُوَ مُؤْمِنٌ فَلَنُحْیِیَنَّهٗ حَیٰوةً طَیِّبَةً ۚ وَ لَنَجْزِیَنَّهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ مَا كَانُوْا یَعْمَلُوْنَ (97)

(૯૭) જે વ્યક્તિ નેકીના કામ કરે પછી તે પુરૂષ હોય કે સ્ત્રી, અને તે ઈમાનવાળો હોય તો અમે તેને બેશક સૌથી સારી જિંદગી પ્રદાન કરીશું અને તેમના નેક કામોનો સારો બદલો પણ જરૂર આપીશું.


فَاِذَا قَرَاْتَ الْقُرْاٰنَ فَاسْتَعِذْ بِاللّٰهِ مِنَ الشَّیْطٰنِ الرَّجِیْمِ(98)

(૯૮) કુરઆન પઢતી વખતે ધિક્કારેલ શેતાનથી અલ્લાહની પનાહ માગ્યા કરો.


اِنَّهٗ لَیْسَ لَهٗ سُلْطٰنٌ عَلَى الَّذِیْنَ اٰمَنُوْا وَ عَلٰى رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ (99)

(૯૯) ઈમાનવાળાઓ અને પોતાના રબ પર ભરોસો રાખનારાઓ પર તેનું કદી જોર ચાલતું નથી.


اِنَّمَا سُلْطٰنُهٗ عَلَى الَّذِیْنَ یَتَوَلَّوْنَهٗ وَ الَّذِیْنَ هُمْ بِهٖ مُشْرِكُوْنَ ۧ (100)

(૧૦૦) હા, તેનું જોર તે જ લોકો પર ચાલે છે જેઓ તેનાથી દોસ્તી કરે અને તેને અલ્લાહનો ભાગીદાર બનાવે. (ع-૧૩)