અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) સોગંદ છે ઊડાવીને વિખેરવા વાળીઓના.
(૨) પછી બોજને ઊઠાવવાવાળીઓના.
(૩) પછી ધીમી ચાલ ચાલવાવાળીઓના.[1]
(૪) પછી કામને વહેંચવાવાળીઓના.
(૫) વિશ્વાસ કરો કે તમને જે વાયદાઓ આપવામાં આવે છે (બધા) સાચા છે.
(૬) અને બેશક ન્યાય થનાર જ છે.[1]
(૭) સોગંદ છે રસ્તાઓવાળા આકાશના.
(૮) નિશ્ચિત રૂપે તમે ઝઘડાની વાતોમાં પડ્યા છો.
(૯) તેનાંથી તેને જ ફેરવવામાં આવે છે જે ફેરવી દેવામાં આવ્યો હોય.
(૧૦) અટકળ વાતો કરવાવાળાઓનો નાશ કરી દેવાયો.
(૧૧) જેઓ ગફલતમાં છે અને ભૂલી ગયેલા છે.
(૧૨) પૂછે છે કે ન્યાયનો દિવસ ક્યારે આવશે ?
(૧૩) આ એ દિવસ છે કે તેઓને આગ પર તપાવવામાં આવશે.
(૧૪) (કહેવામાં આવશે) પોતાના ફસાદની મજા ચાખો, આ એ જ દિવસ છે જેની તમે ઉતાવળ કરી રહ્યા હતા.
(૧૫) બેશક અલ્લાહથી ડરવાવાળા જન્નતો અને ઠંડા પાણીની નેહરોમાં હશે.
(૧૬) તેમના રબે તેમને જે કંઈ આપ્યું છે તેને લઈ રહ્યા હશે. તેઓ તો પહેલાથી જ સદાચારી હતા.
(૧૭) તેઓ રાત્રે બહુ થોડું ઉઘતા હતા.
(૧૮) અને તેઓ રાત્રીના છેલ્લા ભાગમાં (પરોઢીયે) ગુનાહોની માફી માંગતા હતા.[1]
(૧૯) અને તેમના માલમાં માંગવાવાળાઓ અને માંગવાથી બચવાવાળાઓનો હક હતો.[1]
(૨૦) અને વિશ્વાસ કરનારાઓ માટે આ ધરતી પર ઘણી બધી નિશાનીઓ છે.
(૨૧) તેમજ તમારા પોતાના અસ્તિત્વમાં પણ તો શું તમે નથી જોતા ?
(૨૨) અને તમારી રોજી અને તમારાથી જે વાયદા થયા તે બધુ આકાશમાં છે.
(૨૩) તો આકાશ અને ધરતીના રબના સોગંદ ! આ બિલ્કુલ સત્ય છે. એવું જ જેવું કે તમે વાતો કરી રહ્યા છો. (ع-૧)