Surah Al-Qalam
સૂરહ અલ-કલમ
રૂકૂઅ : ૨
આયત ૩૪ થી ૫૨
اِنَّ لِلْمُتَّقِیْنَ عِنْدَ رَبِّهِمْ جَنّٰتِ النَّعِیْمِ (34)
(૩૪) બેશક પરહેઝગારો માટે તેમના રબ પાસે નેઅમતોથી ભરેલી જન્નતો છે.
اَفَنَجْعَلُ الْمُسْلِمِیْنَ كَالْمُجْرِمِیْنَ ؕ (35)
(૩૫) શું અમે મુસલમાનોને મુજરિમોના બરાબર કરી દઈશું ?
مَا لَكُمْ {وقفة} كَیْفَ تَحْكُمُوْنَ ۚ (36)
(૩૬) તમને શું થઈ ગયુ છે, તમે કેવા નિર્ણયો કરી રહ્યા છો ?
اَمْ لَكُمْ كِتٰبٌ فِیْهِ تَدْرُسُوْنَ ۙ (37)
(૩૭) શું તમારા પાસે કોઈ કિતાબ છે જેને તમે વાંચી રહ્યા છો.
اِنَّ لَكُمْ فِیْهِ لَمَا تَخَیَّرُوْنَ ۚ (38)
(૩૮) કે તેમાં તમારી મનપસંદ વાતો હોય ?
اَمْ لَكُمْ اَیْمَانٌ عَلَیْنَا بَالِغَةٌ اِلٰى یَوْمِ الْقِیٰمَةِ ۙ اِنَّ لَكُمْ لَمَا تَحْكُمُوْنَ ۚ (39)
(૩૯) અથવા અમારાથી તમે કઈ એવી સોગંદો લીધી છે જે કયામત સુધી બાકી રહે કે તમારે માટે તે બધુ જ છે જે તમે પોતાના તરફથી નક્કી કરી લો ?
سَلْهُمْ اَیُّهُمْ بِذٰلِكَ زَعِیْمٌ ۚۛ (40)
(૪૦) આમને પૂછો કે, તમારામાંથી કોણ આ વાતનો જવાબદાર (અને દાવેદાર) છે ?
اَمْ لَهُمْ شُرَكَآءُ ۛۚ فَلْیَاْتُوْا بِشُرَكَآئِهِمْ اِنْ كَانُوْا صٰدِقِیْنَ (41)
(૪૧) શું એમના ઠેરવેલા કેટલાક ભાગીદારો છે ? તો લોકોને જોઈએ કે પોતપોતાના ભાગીદારોને લઈ આવે જો તેઓ સાચા હોય.
یَوْمَ یُكْشَفُ عَنْ سَاقٍ وَّ یُدْعَوْنَ اِلَى السُّجُوْدِ فَلَا یَسْتَطِیْعُوْنَ ۙ (42)
(૪૨) જે દિવસે પિંડલી ખોલી નાંખવામાં આવશે અને સિજદો કરવા માટે બોલાવવામાં આવશે તો (સિજદો) નહીં કરી શકે.
خَاشِعَةً اَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ وَ قَدْ كَانُوْا یُدْعَوْنَ اِلَى السُّجُوْدِ وَ هُمْ سٰلِمُوْنَ (43)
(૪૩) તેમની નજરો નીચી હશે અને તેમના ઉપર અપમાન (અને તિરસ્કાર) છવાઈ જશે, જો કે આ લોકોને સિજદા માટે (તે વખતે પણ) બોલાવવામાં આવતા હતા, જ્યારે તેઓ સહી સલામત હતા.
فَذَرْنِیْ وَ مَنْ یُّكَذِّبُ بِهٰذَا الْحَدِیْثِ ؕ سَنَسْتَدْرِجُهُمْ مِّنْ حَیْثُ لَا یَعْلَمُوْنَ ۙ (44)
(૪૪) તો મને અને આ વાતને જૂઠાડનારાઓને છોડી દો, અમે તેમને ધીમે ધીમે એવી રીતે ખેંચીશું કે તેમને ખબર પણ નહિ પડે.
وَ اُمْلِیْ لَهُمْ ؕ اِنَّ كَیْدِیْ مَتِیْنٌ (45)
(૪૫) અને હું આમને ઢીલ આપીશ, બેશક મારી યોજના (યુક્તિ) ખૂબ જ મજબૂત છે.
اَمْ تَسْئَلُهُمْ اَجْرًا فَهُمْ مِّنْ مَّغْرَمٍ مُّثْقَلُوْنَ ۚ (46)
(૪૬) શું તમે આમનાથી કોઈ બદલો માંગો છો જેના ભારથી તેઓ દબાઈ રહ્યા છે ?
اَمْ عِنْدَهُمُ الْغَیْبُ فَهُمْ یَكْتُبُوْنَ (47)
(૪૭) અથવા શું આમના પાસે અદશ્યનું જ્ઞાન છે જેને તેઓ લખી રહ્યા હોય ?
فَاصْبِرْ لِحُكْمِ رَبِّكَ وَ لَا تَكُنْ كَصَاحِبِ الْحُوْتِ ۘ اِذْ نَادٰى وَ هُوَ مَكْظُوْمٌ ؕ (48)
(૪૮) તો તમે તમારા રબના હુકમની ધીરજથી (રાહ જુઓ) અને માછલીવાળા જેવા ન થઈ જાઓ, જ્યારે કે તેણે દુઃખની સ્થિતિમાં (અલ્લાહને) પોકાર્યો.
لَوْ لَاۤ اَنْ تَدٰرَكَهٗ نِعْمَةٌ مِّنْ رَّبِّهٖ لَنُبِذَ بِالْعَرَآءِ وَ هُوَ مَذْمُوْمٌ (49)
(૪૯) જો તેના પર તેના રબની કૃપા ન થતી તો બેશક તેને ખરાબ હાલતમાં ઉજ્જડ ધરતીમાં ફેંકી દેવાયો હોત.
فَاجْتَبٰىهُ رَبُّهٗ فَجَعَلَهٗ مِنَ الصّٰلِحِیْنَ (50)
(૫૦) અંતે તેને તેના રબે ફરીથી પસંદ કરી લીધો, અને તેને સદાચારીઓ (નેક લોકો)માં સામેલ કરી દીધો.
وَ اِنْ یَّكَادُ الَّذِیْنَ كَفَرُوْا لَیُزْلِقُوْنَكَ بِاَبْصَارِهِمْ لَمَّا سَمِعُوا الذِّكْرَ وَ یَقُوْلُوْنَ اِنَّهٗ لَمَجْنُوْنٌ ۘ (51)
(૫૧) અને નજીક છે કે (આ) કાફિરો પોતાની (તેજ) નજરોથી તમને લપસાવી દે, જ્યારે પણ કુરઆન સાંભળે છે તો કહી દે છે કે આ તો ચોક્કસ રૂપે ઉન્માદી (દિવાનો) છે.
وَ مَا هُوَ اِلَّا ذِكْرٌ لِّلْعٰلَمِیْنَ ۧ (52)
(૫૨) અને હકીકતમાં આ (કુરઆન) તો સમગ્ર દુનિયાવાળાઓ માટે સંપૂર્ણ નસીહત જ છે. (ع-૨)