(૬૧) જ્યારે મોકલેલા ફરિશ્તાઓ લૂતના પરિવાર પાસે પહોંચ્યા.
(૬૨) તો લૂતે કહ્યું, “તમે લોકો તો અપરિચિત લાગો છો.”
(૬૩) તેમણે કહ્યું, “(નહી) બલ્કે અમે તમારા પાસે તે વસ્તુ લાવ્યા છે, જેમાં આ લોકો શંકા કરી રહ્યા હતા.
(૬૪) અને અમે તો તમારા પાસે (સ્પષ્ટ) સત્ય લઈને આવ્યા છીએ અને અમે છીએ પણ સંપૂર્ણ સાચા.
(૬૫) હવે તમે પોતાના પરિવાર સાથે રાત્રિના કોઈ હિસ્સામાં ચાલી નીકળો, તમે પોતે તેમના પાછળ રહેજો , (અને હોંશિયાર!) તમારામાંથી કોઈ પણ પાછળ ફરીને ન જુએ અને જે તરફનો હુકમ તમને આપવામાં આવે છે તે તરફ ચાલ્યા જજો.”
(૬૬) અને અમે તેમના તરફ એ વાતનો ફેંસલો કરી દીધો કે સવાર પડતા સુધીમાં તે બધાને જડમૂળમાંથી કાપી નાખવામાં આવશે.
(૬૭) અને શહેરના લોકો ખુશી મનાવતા આવ્યા.
(૬૮) (લૂતે) કહ્યું, “આ લોકો મારા મહેમાન છે તમે મારી ફજેતી ન કરો.
(૬૯) અને અલ્લાહ (તઆલા)થી ડરો અને મને અપમાનિત ન કરો.
(૭૦) તો લોકો બોલ્યા, “શું અમે તમને દુનિયાની (ઠેકેદારી) લેવાથી મનાઈ નથી કરી ચૂક્યા ?”
(૭૧) (લૂતે) કહ્યું, “જો તમારે કંઈ કરવું જ હોય તો આ મારી પુત્રીઓ હાજર છે.”[1]
(૭૨) તમારા પ્રાણના સોગંધ! તે લોકો તો પોતાના નશામાં ફરી રહ્યા હતા.[1]
(૭૩) પછી સૂરજ નીકળતા-નીકળતા તેમને એક ભયંકર ધડાકાએ પકડી લીધા.
(૭૪) અને તેને (શહેરને) ઉપર-નીચે કરી દીધું અને તે લોકો પર કાંકરાવાળા પથ્થર વરસાવ્યા.
(૭૫) બેશક નસીહત પ્રાપ્ત કરનારાઓના માટે તેમાં ઘણી બધી નિશાનીઓ છે.
(૭૬) અને આ વસ્તી એવા રસ્તા પર છે, જેના પર સતત અવરજવર થતી રહે છે.[1]
(૭૭) અને તેમાં ઈમાનવાળાઓ માટે મોટી નિશાની છે.
(૭૮) અને ઐકા વસ્તીના રહેવાવાળા પણ ઘણા જાલિમ હતા.[1]
(૭૯) તેમનાથી છેવટે અમે બદલો લઈ જ લીધો, આ બંને શહેર જાહેર રસ્તા પર આવેલા છે. (ع-૫)