Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૪

આયત ૩૧ થી ૪૧


قَدْ خَسِرَ الَّذِیْنَ كَذَّبُوْا بِلِقَآءِ اللّٰهِ ؕ حَتّٰۤى اِذَا جَآءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوْا یٰحَسْرَتَنَا عَلٰى مَا فَرَّطْنَا فِیْهَا ۙ وَ هُمْ یَحْمِلُوْنَ اَوْزَارَهُمْ عَلٰى ظُهُوْرِهِمْ ؕ اَلَا سَآءَ مَا یَزِرُوْنَ (31)

(૩૧) બેશક તે લોકો નુકસાનમાં પડયા જેમણે અલ્લાહની મુલાકાતને જૂઠાડી, ત્યાં સુધી કે જયારે તે નક્કી સમય તેમના પર અચાનક આવી પડશે, ક્હેશે કે, “હાય અફસોસ! અમારી સુસ્તી પર જે આના બારામાં થઈ” અને તેમની હાલત એવી હશે કે પોતાના બોજ પોતાની પીઠો ઉપર લાદેલા હશે, ખબરદાર! તેઓ ખરાબ બોજ લાદશે.


وَ مَا الْحَیٰوةُ الدُّنْیَاۤ اِلَّا لَعِبٌ وَّ لَهْوٌ ؕ وَ لَلدَّارُ الْاٰخِرَةُ خَیْرٌ لِّلَّذِیْنَ یَتَّقُوْنَ ؕ اَفَلَا تَعْقِلُوْنَ (32)

(૩૨) અને દુનિયાની જિંદગી તો કશું જ નથી સિવાય ખેલતમાશાના, અને અંતિમ ઘર (આખિરત) અલ્લાહથી ડરનારાઓ માટે સારૂ છે, શું તમે સોચ વિચાર નથી કરતા ?


قَدْ نَعْلَمُ اِنَّهٗ لَیَحْزُنُكَ الَّذِیْ یَقُوْلُوْنَ فَاِنَّهُمْ لَا یُكَذِّبُوْنَكَ وَ لٰكِنَّ الظّٰلِمِیْنَ بِاٰیٰتِ اللّٰهِ یَجْحَدُوْنَ (33)

(૩૩) અમે સારી રીતે જાણીએ છીએ કે તેમના બોલ તમને દુ:ખી કરે છે, તો આ લોકો તમને જૂઠા નથી કહેતા, પરંતુ આ જાલિમો અલ્લાહ (તઆલા)ની આયતોનો ઈન્કાર કરે છે.


وَ لَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّنْ قَبْلِكَ فَصَبَرُوْا عَلٰى مَا كُذِّبُوْا وَ اُوْذُوْا حَتّٰۤى اَتٰىهُمْ نَصْرُنَا ۚ وَ لَا مُبَدِّلَ لِكَلِمٰتِ اللّٰهِ ۚ وَ لَقَدْ جَآءَكَ مِنْ نَّبَاِی الْمُرْسَلِیْنَ (34)

(૩૪) અને તમારાથી પહેલાના રસૂલોને જૂઠા કહી ચૂક્યા છે અને તેમણે તેમના જૂઠાડવા ઉપર સબ્ર (ધીરજ) કર્યો અને તેમને તકલીફ આપવામાં આવી ત્યાં સુધી કે તેમના પાસે અમારી મદદ આવી ગઈ, અલ્લાહની વાતોને કોઈ બદલવાવાળો નથી, અને તમારા પાસે પયગંબરોના કિસ્સાઓ આવી ચૂકયા છે.


وَ اِنْ كَانَ كَبُرَ عَلَیْكَ اِعْرَاضُهُمْ فَاِنِ اسْتَطَعْتَ اَنْ تَبْتَغِیَ نَفَقًا فِی الْاَرْضِ اَوْ سُلَّمًا فِی السَّمَآءِ فَتَاْتِیَهُمْ بِاٰیَةٍ ؕ وَ لَوْ شَآءَ اللّٰهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدٰى فَلَا تَكُوْنَنَّ مِنَ الْجٰهِلِیْنَ (35)

(૩૫) અને જો તેમનું મોઢું ફેરવવું તમારા માટે અસહ્ય થઈ રહ્યું છે તો જો તમારાથી થઈ શકે તો ધરતીમાં કોઈ સુરંગ અથવા આકાશમાં કોઈ સીડી શોધી લો અને તેમના પાસે કોઈ નિશાની લાવી આપો અને જો અલ્લાહ ઈચ્છત તો તેમને સાચા માર્ગ પર જમા કરી દેતો, એટલા માટે નાસમજ ન બનો.


اِنَّمَا یَسْتَجِیْبُ الَّذِیْنَ یَسْمَعُوْنَ ؔؕ وَ الْمَوْتٰى یَبْعَثُهُمُ اللّٰهُ ثُمَّ اِلَیْهِ یُرْجَعُوْنَؐ (36)

(૩૬) તે લોકો જ કબૂલ કરે છે જેઓ સાંભળે છે, અને મૃત્યુ પામેલા લોકોને અલ્લાહ (તઆલા) જીવતા કરીને ઉઠાવશે પછી બધા તેના (અલ્લાહના) તરફ પાછા લઈ જવામાં આવશે.


وَ قَالُوْا لَوْ لَا نُزِّلَ عَلَیْهِ اٰیَةٌ مِّنْ رَّبِّهٖ ؕ قُلْ اِنَّ اللّٰهَ قَادِرٌ عَلٰۤى اَنْ یُّنَزِّلَ اٰیَةً وَّ لٰكِنَّ اَكْثَرَهُمْ لَا یَعْلَمُوْنَ (37)

(૩૭) અને તેઓએ કહ્યું કે તેમના ઉપર તેમના રબ તરફથી કોઈ નિશાની કેમ નથી ઉતારવામાં આવી? તમે કહી દો કે અલ્લાહ કોઈ નિશાની ઉતારવાની સંપૂર્ણ તાકાત રાખે છે, પરંતુ ધણાખરાં લોકો જાણતા નથી.


وَ مَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ وَ لَا طٰٓئِرٍ یَّطِیْرُ بِجَنَاحَیْهِ اِلَّاۤ اُمَمٌ اَمْثَالُكُمْ ؕ مَا فَرَّطْنَا فِی الْكِتٰبِ مِنْ شَیْءٍ ثُمَّ اِلٰى رَبِّهِمْ یُحْشَرُوْنَ (38)

(૩૮) અને જેટલા પ્રકારના જીવો ધરતી પર ચાલવાવાળા છે અને જેટલા પ્રકારના પક્ષીઓ પાંખોથી ઉડવાવાળા છે, એમાંથી કોઈપણ એવું નથી કે જેમાં તમારી જેમ જુદી-જુદી જાતો ન હોય, અમે કિતાબમાં લખવાની કોઈ વસ્તુ છોડી નથી, પછી બધા પોતાના રબ પાસે એકઠા કરવામાં આવશો.


وَ الَّذِیْنَ كَذَّبُوْا بِاٰیٰتِنَا صُمٌّ وَّ بُكْمٌ فِی الظُّلُمٰتِ ؕ مَنْ یَّشَاِ اللّٰهُ یُضْلِلْهُ ؕ وَ مَنْ یَّشَاْ یَجْعَلْهُ عَلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (39)

(૩૯) અને જે લોકોએ અમારી આયતોને જૂઠાડી છે. તેઓ બહેરા, મૂંગા, અંધકારમાં છે, અલ્લાહ જેને ઈચ્છે છે તેને ભટકાવી દે છે અને જેને ઈચ્છે છે તેને સીધા માર્ગ પર લગાવી દે છે.


قُلْ اَرَءَیْتَكُمْ اِنْ اَتٰىكُمْ عَذَابُ اللّٰهِ اَوْ اَتَتْكُمُ السَّاعَةُ اَغَیْرَ اللّٰهِ تَدْعُوْنَ ۚ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (40)

(૪૦) તમે કહી દો કે, “પોતાની હાલત તો બતાવો! જો તમારા ઉ૫૨ અલ્લાહનો કોઈ અઝાબ આવી પડે અથવા તમારા ઉપર કયામત જ આવી પહોંચે તો શું અલ્લાહ સિવાય બીજાઓને પોકારશો ?” જો તમે સાચા હોવ.

بَلْ اِیَّاهُ تَدْعُوْنَ فَیَكْشِفُ مَا تَدْعُوْنَ اِلَیْهِ اِنْ شَآءَ وَ تَنْسَوْنَ مَا تُشْرِكُوْنَ ۧ (41)

(૪૧) બલ્કે ખાસ કરીને તેને જ પોકારશો, પછી જેના માટે તમે પોકારશો જો તે ઈચ્છે તો તેને હટાવી પણ દે અને જેમને તમે ભાગીદાર ઠેરવો છો તે બધાને ભૂલી જશો. -૪)