Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૧૩

આયત ૧૦૧ થી ૧૧૦


بَدِیْعُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ اَنّٰى یَكُوْنُ لَهٗ وَلَدٌ وَّ لَمْ تَكُنْ لَّهٗ صَاحِبَةٌ ؕ وَ خَلَقَ كُلَّ شَیْءٍ ۚ وَ هُوَ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ (101)

(૧૦૧) તે આકાશો અને ધરતીને પેદા કરવાવાળો છે તેને સંતાન કેવી રીતે હોઈ શકે છે? જયારે કે તેની પત્ની જ નથી, તે દરેક વસ્તુને બનાવનાર અને જાણનાર છે.


ذٰلِكُمُ اللّٰهُ رَبُّكُمْ ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ خَالِقُ كُلِّ شَیْءٍ فَاعْبُدُوْهُ ۚ وَ هُوَ عَلٰى كُلِّ شَیْءٍ وَّكِیْلٌ (102)

(૧૦૨) તે જ અલ્લાહ તમારો રબ છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી, દરેક વસ્તુને બનાવવાવાળો છે, એટલા માટે તેની જ બંદગી કરો અને તે દરેક વસ્તુનો નિરીક્ષક છે.


لَا تُدْرِكُهُ الْاَبْصَارُ {ز} وَ هُوَ یُدْرِكُ الْاَبْصَارَ ۚ وَ هُوَ اللَّطِیْفُ الْخَبِیْرُ (103)

(૧૦૩) આંખો તેને જોઈ નથી શકતી અને તે બધી નજરોને જુએ છે અને તે બારીકાઈથી જોવાવાળો બાખબર છે.


قَدْ جَآءَكُمْ بَصَآئِرُ مِنْ رَّبِّكُمْ ۚ فَمَنْ اَبْصَرَ فَلِنَفْسِهٖ ۚ وَ مَنْ عَمِیَ فَعَلَیْهَا ؕ وَ مَاۤ اَنَا عَلَیْكُمْ بِحَفِیْظٍ (104)

(૧૦૪) તમારા રબ તરફથી તમારા પાસે દલીલ આવી ગઈ છે, તો જે જોશે તે પોતાના ભલા માટે (જોશે), અને જે આંધળો બની જશે તે પોતાનું બૂરું કરશે અને હું તમારો નિરીક્ષક નથી.


وَ كَذٰلِكَ نُصَرِّفُ الْاٰیٰتِ وَ لِیَقُوْلُوْا دَرَسْتَ وَ لِنُبَیِّنَهٗ لِقَوْمٍ یَّعْلَمُوْنَ (105)

(૧૦૫) આ રીતે અમે આયતોને (પવિત્ર કુરઆનની) ફેરવી ફેરવીને વર્ણન કરીએ છીએ જેથી તેઓ કહે કે, “તમે પઢેલા છો" અને જેથી તે લોકો માટે જે જ્ઞાન ધરાવે છે તેમના ઉપર અમે હકીકતને સ્પષ્ટ કરી દઈએ.


اِتَّبِعْ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنْ رَّبِّكَ ۚ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ ۚ وَ اَعْرِضْ عَنِ الْمُشْرِكِیْنَ (106)

(૧૦૬) તમે પોતાના રબના હુકમો (વહી)નું પાલન કરો કે અલ્લાહ સિવાય કોઈ મા’બૂદ નથી અને મુશરિકોથી વિમુખ થઈ જાઓ.


وَ لَوْ شَآءَ اللّٰهُ مَاۤ اَشْرَكُوْا ؕ وَ مَا جَعَلْنٰكَ عَلَیْهِمْ حَفِیْظًا ۚ وَ مَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ (107)

(૧૦૭) અને જો અલ્લાહ ઈરછત તો તેઓ શિર્ક ન કરતા અને અમે તમને આ લોકોના નિરીક્ષક નથી બનાવ્યા, અને ન તમે તેમના માટે જવાબદાર છો.


وَ لَا تَسُبُّوا الَّذِیْنَ یَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ فَیَسُبُّوا اللّٰهَ عَدْوًۢا بِغَیْرِ عِلْمٍ ؕ كَذٰلِكَ زَیَّنَّا لِكُلِّ اُمَّةٍ عَمَلَهُمْ {ص} ثُمَّ اِلٰى رَبِّهِمْ مَّرْجِعُهُمْ فَیُنَبِّئُهُمْ بِمَا كَانُوْا یَعْمَلُوْنَ (108)

(૧૦૮) અને જેઓ અલ્લાહના સિવાય બીજાઓને પોકારે છે તેમને અપશબ્દો ન કહો નહિ તો દુશ્મન બનીને અજાણતા તેઓ અલ્લાહને અપશબ્દો કહેવા લાગશે, આ રીતે અમે દરેક ઉમ્મતના માટે તેમના કર્મોને આકર્ષક બનાવી દીધા છે, પછી તેમને તેમના રબ તરફ જ પાછા કરવાનું છે એટલા માટે તે તેમને તેનાથી બાખબર કરશે જે તેઓ કરતા રહ્યા.


وَ اَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ لَئِنْ جَآءَتْهُمْ اٰیَةٌ لَّیُؤْمِنُنَّ بِهَا ؕ قُلْ اِنَّمَا الْاٰیٰتُ عِنْدَ اللّٰهِ وَ مَا یُشْعِرُكُمْ ۙ اَنَّهَاۤ اِذَا جَآءَتْ لَا یُؤْمِنُوْنَ (109)

(૧૦૯) અને તેઓએ ભારપૂર્વક અલ્લાહની કસમ ખાધી કે તેમની પાસે કોઈ નિશાની આવી તો બેશક માની લેશે, તમે કહી દો કે, “નિશાનીઓ અલ્લાહ પાસે છે" અને તમને શું ખબર કે તે (નિશાનીઓ) આવી જાય તો પણ તેઓ નહિ માને.


وَ نُقَلِّبُ اَفْئِدَتَهُمْ وَ اَبْصَارَهُمْ كَمَا لَمْ یُؤْمِنُوْا بِهٖۤ اَوَّلَ مَرَّةٍ وَّ نَذَرُهُمْ فِیْ طُغْیَانِهِمْ یَعْمَهُوْنَ ۧ (110)

(૧૧૦) અને અમે તેમના દિલો અને આંખોને ફેરવી દઈશું જેવી રીતે તેમણે પહેલા આના ઉપર યકીન નહોતું કર્યું, અમે તેમને તેમની સરકશી (ના અંધકા) માં ભટકતા રહેવા દઈશું. -૧૩)