(૬૪) તમે કહી દો કે અય કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે કે આપણે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈની બંદગી ન કરીએ, અને ન તેના સાથે કોઈને ભાગીદાર ઠેરવીએ, ન અલ્લાહ (તઆલા)ને છોડીને પરસ્પર એક્બીજાનો રબ બનાવી લઈએ, જો તેઓ મોઢું ફેરવી લે તો કહી દો કે ગવાહ રહેજો કે અમે તો મુસલમાન છીએ.