(૫૪) અને અમે આ કુરઆનમાં દરેક પ્રકારના તમામ ઉદાહરણો લોકોના માટે વર્ણન કરી દીધા છે, પરંતુ મનુષ્ય ઘણો જ ઝઘડાખોર પુરવાર થયો છે.
(૫૫) અને લોકો પાસે હિદાયત આવી ગયા પછી તેમને ઈમાન લાવવા અને પોતાના રબથી તૌબા કરવાથી ફક્ત એ વાતે રોક્યા કે પૂર્વજો જેવો મામલો તેમના સાથે પણ થાય અથવા તેમના સામે ખુલ્લો અઝાબ આવી જાય.
(૫૬) અને અમે તો અમારા રસૂલોને ફક્ત એટલા માટે મોકલીએ છીએ કે તેઓ ખુશખબર સંભળાવી દે અને સચેત કરી દે, પરંતુ કાફિર લોકો અસત્યને દલીલ બનાવી ઝઘડો ઈચ્છે છે કે આનાથી સત્યને ડગમગાવી દે, તેમણે મારી આયતો અને જે વસ્તુથી ડરાવવામાં આવ્યા તેનો મજાક ઉડાવ્યો છે.
(૫૭) અને તેનાથી વધીને જાલિમ કોણ છે જેને તેના રબની આયતો વડે ઉપદેશ આપવામાં આવે તે પછી પણ મોઢું ફેરવીને રહે, અને જે કંઈ તેના હાથોએ આગળ મોકલી રાખ્યુ છે તેને ભૂલી જાય ? બેશક અમે તેમના દિલો પર તેમની સમજના પડદા નાખી રાખ્યા છે અને તેમના કાનોમાં બોજ છે, જો કે તમે તેમને હિદાયત તરફ બોલાવતા રહો, પરંતુ તેઓ કદાપિ હિદાયત પામશે નહિ.
(૫૮) તમારો રબ મોટો માફ કરનાર અને દયાળુ છે, જો તે તેમના કરતૂતોની સજામાં પકડે તો બેશક તેમને જલ્દી સજા કરે, પરંતુ તેમના માટે વાયદાનો એક સમય નિશ્ચિત છે જેનાથી તેઓ ભાગી નીકળવાનો કોઈ માર્ગ પામશે નહિ.[1]
(૫૯) અને આ છે તે વસ્તીઓ જેને અમે તેમના જુલમના કારણે બરબાદ કરી દીધી અને તેમની બરબાદીનો એક સમય અમે નિશ્ચિત કરી રાખ્યો હતો.[1] (ع-૮)