Surah Ar-Rum
સૂરહ અર્-રૂમ
સૂરહ અર્-રૂમ
اَللّٰهُ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیْدُهٗ ثُمَّ اِلَیْهِ تُرْجَعُوْنَ (11)
(૧૧) અલ્લાહ (તઆલા) જ સૃષ્ટિને પેદા કરે છે, પછી તે જ તમને ફરીથી પેદા કરશે, પછી તમે બધા તેના તરફ જ પાછા ફેરવવામાં આવશો.
وَ یَوْمَ تَقُوْمُ السَّاعَةُ یُبْلِسُ الْمُجْرِمُوْنَ (12)
(૧૨) અને જે દિવસે કયામત સ્થાપિત થશે, તો મુજરિમો હેરાન રહી જશે.
وَ لَمْ یَكُنْ لَّهُمْ مِّنْ شُرَكَآئِهِمْ شُفَعٰٓؤُا وَ كَانُوْا بِشُرَكَآئِهِمْ كٰفِرِیْنَ (13)
(૧૩) અને તેમના તમામ ભાગીદારોમાંથી એક પણ તેમની ભલામણ નહિ કરે, અને તેઓ પણ પોતાના મા'બૂદો (દેવતાઓ)નો ઈન્કાર કરશે.
وَ یَوْمَ تَقُوْمُ السَّاعَةُ یَوْمَئِذٍ یَّتَفَرَّقُوْنَ (14)
(૧૪) અને જે દિવસે કયામત સ્થાપિત થશે, તે દિવસે (તમામ મનુષ્યો) જુદા જુદા જૂથોમાં વહેંચાઈ જશે.
فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَهُمْ فِیْ رَوْضَةٍ یُّحْبَرُوْنَ (15)
(૧૫) પછી જે લોકો ઈમાન લાવીને નેક કામ કરતા રહ્યા, તેમને તો જન્નતમાં ખુશ કરી દેવામાં આવશે.
وَ اَمَّا الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰیٰتِنَا وَ لِقَآئِ الْاٰخِرَةِ فَاُولٰٓئِكَ فِی الْعَذَابِ مُحْضَرُوْنَ (16)
(૧૬) અને જેમણે કુફ્ર કર્યુ હતુ અને અમારી આયતોનો અને આખિરતની મુલાકાતનો ઈન્કાર કર્યો હતો, તેમને અઝાબમાં પકડી હાજર કરવામાં આવશે.
فَسُبْحٰنَ اللّٰهِ حِیْنَ تُمْسُوْنَ وَ حِیْنَ تُصْبِحُوْنَ (17)
(૧૭) તો અલ્લાહ (તઆલા)ની પ્રશંસા કર્યા કરો, જયારે તમે સાંજ કરો છો અને જયારે સવાર કરો છો.
وَ لَهُ الْحَمْدُ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ عَشِیًّا وَّ حِیْنَ تُظْهِرُوْنَ (18)
(૧૮) અને તમામ પ્રશંસાના લાયક આકાશો અને ધરતીમાં તે જ છે ત્રીજા પહોરના અને બીજા પહોરના સમયે પણ તેની પવિત્રતાનું વર્ણન કરો.
یُخْرِجُ الْحَیَّ مِنَ الْمَیِّتِ وَ یُخْرِجُ الْمَیِّتَ مِنَ الْحَیِّ وَ یُحْیِ الْاَرْضَ بَعْدَ مَوْتِهَا ؕ وَ كَذٰلِكَ تُخْرَجُوْنَ ۧ (19)
(૧૯) તે જ સજીવને નિર્જીવમાંથી કાઢે છે, અને નિર્જીવને સજીવમાંથી કાઢે છે, અને તે જ ધરતીને તેના મૃત્યુ પછી જીવન પ્રદાન કરે છે, આવી જ રીતે તમે પણ કાઢવામાં આવશો. (ع-૨)