Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૧૧

આયત ૭૮ થી ૮૬


لُعِنَ الَّذِیْنَ كَفَرُوْا مِنْۢ بَنِیْۤ اِسْرَآءِیْلَ عَلٰى لِسَانِ دَاوٗدَ وَ عِیْسَى ابْنِ مَرْیَمَ ؕ ذٰلِكَ بِمَا عَصَوْا وَّ كَانُوْا یَعْتَدُوْنَ (78)

(૭૮) ઈસરાઈલની સંતાનના કાફિરોને (હજરત) દાઉદ અને (હજરત) ઈસા ઈબ્ને મરયમના મોઢાંથી લા'નત કરવામાં આવ્યા, કારણ કે તેઓ નાફરમાની કરતા હતા અને હદથી આગળ વધી જતા હતા.


كَانُوْا لَا یَتَنَاهَوْنَ عَنْ مُّنْكَرٍ فَعَلُوْهُ ؕ لَبِئْسَ مَا كَانُوْا یَفْعَلُوْنَ (79)

(૭૯) તેઓ પરસ્પર એબીજાને બૂરા કામોથી જેને તેઓ કરતા હતા તેનાથી રોક્તા ન હતા, જે કંઈ તેઓ કરતા હતા તે ઘણું ખરાબ હતું.


تَرٰى كَثِیْرًا مِّنْهُمْ یَتَوَلَّوْنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ لَبِئْسَ مَا قَدَّمَتْ لَهُمْ اَنْفُسُهُمْ اَنْ سَخِطَ اللّٰهُ عَلَیْهِمْ وَ فِی الْعَذَابِ هُمْ خٰلِدُوْنَ (80)

(૮૦) તેમનામાંના ઘણા લોકોને તમે જોશો કે તેઓ કાફિરો સાથે દોસ્તી કરે છે, જે કંઈ તેઓએ પોતાની આગળ મોકલી રાખ્યું છે તે ઘણું ખરાબ છે. (એ) કે અલ્લાહ (તઆલા) તેમનાથી નારાજ થયો અને તેઓ હંમેશા અઝાબમાં રહેશે.


وَ لَوْ كَانُوْا یُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ النَّبِیِّ وَ مَاۤ اُنْزِلَ اِلَیْهِ مَا اتَّخَذُوْهُمْ اَوْلِیَآءَ وَ لٰكِنَّ كَثِیْرًا مِّنْهُمْ فٰسِقُوْنَ (70)

(૮૧) જો તેઓને અલ્લાહ (તઆલા) ૫૨, નબી ૫૨, અને જે ઉતારવામાં આવ્યું છે તેના ૫૨ ઈમાન હોત તો તેઓ કાફિરોથી દોસ્તી ન કરતા, પરંતુ તેમનામાંથી વધારે પડતા લોકો દુરાચારી છે.


لَتَجِدَنَّ اَشَدَّ النَّاسِ عَدَاوَةً لِّلَّذِیْنَ اٰمَنُوا الْیَهُوْدَ وَ الَّذِیْنَ اَشْرَكُوْا ۚ وَ لَتَجِدَنَّ اَقْرَبَهُمْ مَّوَدَّةً لِّلَّذِیْنَ اٰمَنُوا الَّذِیْنَ قَالُوْۤا اِنَّا نَصٰرٰى ؕ ذٰلِكَ بِاَنَّ مِنْهُمْ قِسِّیْسِیْنَ وَ رُهْبَانًا وَّ اَنَّهُمْ لَا یَسْتَكْبِرُوْنَ (82)

(૮૨) બેશક તમે ઈમાનવાળાઓના સખત દુશ્મન યહૂદિઓ અને મૂર્તિપૂજકોને જોશો, અને ઈમાનવાળાઓની બધાથી વધારે નજીકની દોસ્તી, તમે જરૂર તેમનામાં જોશો જેઓ પોતે પોતાને ઈસાઈ કહે છે, આ એટલા માટે કે તેમનામાં વિદ્વાનો અને સન્યાસીઓ છે અને એ કારણે કે તેઓ ધમંડ નથી કરતા.


وَ اِذَا سَمِعُوْا مَاۤ اُنْزِلَ اِلَى الرَّسُوْلِ تَرٰۤى اَعْیُنَهُمْ تَفِیْضُ مِنَ الدَّمْعِ مِمَّا عَرَفُوْا مِنَ الْحَقِّ ۚ یَقُوْلُوْنَ رَبَّنَاۤ اٰمَنَّا فَاكْتُبْنَا مَعَ الشّٰهِدِیْنَ (83)

(૮૩) અને જ્યારે તેઓ રસૂલ તરફ ઉતારેલ (પેગામ)ને સાંભળે છે, તો તમે તેમની આંખોથી વહેતા આંસુઓની ધારાઓને જુઓ છો, એટલા માટે કે તેઓએ સત્યને ઓળખી લીધું, તેઓ કહે છે કે “અય અમારા રબ! અમે ઈમાન લાવ્યા, બસ તું અમને પણ ગવાહોમાં લખી લે.”


وَ مَا لَنَا لَا نُؤْمِنُ بِاللّٰهِ وَ مَا جَآءَنَا مِنَ الْحَقِّ ۙ وَ نَطْمَعُ اَنْ یُّدْخِلَنَا رَبُّنَا مَعَ الْقَوْمِ الصّٰلِحِیْنَ (84)

(૮૪) અને અમને શું છે કે અલ્લાહ અને તે સચ્ચાઈ ૫૨ યકીન ન કરીએ જે અમારા પાસે આવ્યુ છે અને એવી આશા ન કરીએ કે અમારો રબ અમને સદાચારીઓમાં સામેલ કરી દેશે.


فَاَثَابَهُمُ اللّٰهُ بِمَا قَالُوْا جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا ؕ وَ ذٰلِكَ جَزَآءُ الْمُحْسِنِیْنَ (85)

(૮૫) તો અલ્લાહે તેમની આ દુઆના કારણે એવા બગીચા આપ્યા જેની નીચે નહેરો વહે છે, જેમાં હંમેશા રહેશે અને આ નેક લોકોનો બદલો છે.


وَ الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِیْمِ ۧ (86)

(૮૬) અને જેઓ કાફિર થઈ ગયા અને અમારી આયતોને જૂઠાડી દીધી તેઓ જહન્નમી છે. (ع-૧૧)