Surah Al-Hujurat

સૂરહ અલ-હુજુરાત

રૂકૂ : ૨

આયત ૧૧ થી ૧૮

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا یَسْخَرْ قَوْمٌ مِّنْ قَوْمٍ عَسٰۤى اَنْ یَّكُوْنُوْا خَیْرًا مِّنْهُمْ وَ لَا نِسَآءٌ مِّنْ نِّسَآءٍ عَسٰۤى اَنْ یَّكُنَّ خَیْرًا مِّنْهُنَّ ۚ وَ لَا تَلْمِزُوْۤا اَنْفُسَكُمْ وَ لَا تَنَابَزُوْا بِالْاَلْقَابِ ؕ بِئْسَ الِاسْمُ الْفُسُوْقُ بَعْدَ الْاِیْمَانِ ۚ وَ مَنْ لَّمْ یَتُبْ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوْنَ (11)

(૧૧) હે ઈમાનવાળાઓ! ન પુરૂષો બીજા પુરૂષોનો મજાક ઉડાવે, શક્ય છે કે તેઓ તેમનાથી સારા હોય, અને ન સ્ત્રીઓ બીજી સ્ત્રીઓનો મજાક ઉડાવે, શક્ય છે કે તેઓ તેમનાથી સારી હોય, અને પરસ્પર એકબીજા પર આરોપ ન લગાવો અને ન કોઈને બૂરો લકબ આપો, ઈમાન પછી ફિસ્ક (બૂરો શબ્દ) બૂરું નામ છે, અને જો માફી ન માંગે તો તેઓ જ જાલિમ છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اجْتَنِبُوْا كَثِیْرًا مِّنَ الظَّنِّ {ز} اِنَّ بَعْضَ الظَّنِّ اِثْمٌ وَّ لَا تَجَسَّسُوْا وَ لَا یَغْتَبْ بَّعْضُكُمْ بَعْضًا ؕ اَیُحِبُّ اَحَدُكُمْ اَنْ یَّاْكُلَ لَحْمَ اَخِیْهِ مَیْتًا فَكَرِهْتُمُوْهُ ؕ وَ اتَّقُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ تَوَّابٌ رَّحِیْمٌ (12)

(૧૨) હે ઈમાનવાળાઓ ! બહુ અનુમાન કરવાથી બચો, વિશ્વાસ રાખો કે કેટલાક અનુમાનો ગુનાહ છે, અને ભેદ ન શોધ્યા કરો, અને ન તમારામાંથી કોઈ કોઈની ગીબત (પીઠ પાછળ નિંદા) કરે, શું તમારામાંથી કોઈપણ પોતાના મરેલા ભાઈનું માંસ ખાવાને સારુ સમજે છે ? તમને તેનાથી નફરત હશે, અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) તૌબા કબૂલ કરનાર અને દયાળુ છે.


یٰۤاَیُّهَا النَّاسُ اِنَّا خَلَقْنٰكُمْ مِّنْ ذَكَرٍ وَّ اُنْثٰى وَ جَعَلْنٰكُمْ شُعُوْبًا وَّ قَبَآئِلَ لِتَعَارَفُوْا ؕ اِنَّ اَكْرَمَكُمْ عِنْدَ اللّٰهِ اَتْقٰىكُمْ ؕ اِنَّ اللّٰهَ عَلِیْمٌ خَبِیْرٌ (13)

(૧૩) હે લોકો! અમે તમને એક (જ) પુરૂષ અને સ્ત્રીમાંથી પેદા કર્યા છે, અને તમારી જાતિઓ અને પ્રજાતિઓ બનાવી દીધી છે જેથી તમે એકબીજાને ઓળખો. અલ્લાહની નજરમાં તમારા બધામાં ઈજ્જતવાળો તે છે જે સૌથી વધારે પરહેઝગાર છે. યકીન કરો કે અલ્લાહ જાણવાવાળો બાખબર છે.


قَالَتِ الْاَعْرَابُ اٰمَنَّا ؕ قُلْ لَّمْ تُؤْمِنُوْا وَ لٰكِنْ قُوْلُوْۤا اَسْلَمْنَا وَ لَمَّا یَدْخُلِ الْاِیْمَانُ فِیْ قُلُوْبِكُمْ ؕ وَ اِنْ تُطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗ لَا یَلِتْكُمْ مِّنْ اَعْمَالِكُمْ شَیْئًا ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ (14)

(૧૪) આ બદ્દુઓ કહે છે કે, “અમે ઈમાન લાવ્યા”, (તમે) કહી દો કે, “તમે ઈમાન નથી લાવ્યા. પરંતુ તમે એમ કહો કે અમે ઈસ્લામ લાવ્યા (વિરોધ છોડીને આજ્ઞાંકિત થઈ ગયા)” જ્યારે કે હજુ સુધી ઈમાન તમારા દિલોમાં દાખલ થયુ જ નથી, તમે અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરશો તો અલ્લાહ તમારા કર્મોમાંથી કશું પણ ઓછું નહિ કરે, બેશક અલ્લાહ (તઆલા) માફ કરનાર દયાળુ છે.


اِنَّمَا الْمُؤْمِنُوْنَ الَّذِیْنَ اٰمَنُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ ثُمَّ لَمْ یَرْتَابُوْا وَ جٰهَدُوْا بِاَمْوَالِهِمْ وَ اَنْفُسِهِمْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ اُولٰٓئِكَ هُمُ الصّٰدِقُوْنَ (15)

(૧૫) ઈમાનવાળા લોકો તો તે જ છે જેઓ અલ્લાહ પર અને તેના રસૂલ પર ઈમાન લાવ્યા, પછી શંકા ન કરી અને પોતાના માલ અને જાન વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરતા રહ્યા (પોતાના ઈમાનના દાવામાં) તે લોકો જ સાચા છે.


قُلْ اَتُعَلِّمُوْنَ اللّٰهَ بِدِیْنِكُمْ ؕ وَ اللّٰهُ یَعْلَمُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ وَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ (16)

(૧૬) કહી દો કે, “શું તમે અલ્લાહને પોતાની દીનદારીથી પરિચિત કરાવી રહ્યા છો ?” અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે જે આકાશોમાં અને ધરતીમાં છે, અને અલ્લાહ દરેક વસ્તુને જાણનાર છે.


یَمُنُّوْنَ عَلَیْكَ اَنْ اَسْلَمُوْا ؕ قُلْ لَّا تَمُنُّوْا عَلَیَّ اِسْلَامَكُمْ ۚ بَلِ اللّٰهُ یَمُنُّ عَلَیْكُمْ اَنْ هَدٰىكُمْ لِلْاِیْمَانِ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (17)

(૧૭) આ લોકો પોતાના મુસલમાન થવાનો તમારા પર ઉપકાર ચઢાવે છે (તમે) કહી દો કે તમારા મુસલમાન થવાનો ઉપકાર મારા પર ન મૂકો બલ્કે અલ્લાહનો તમારા ઉપર ઉપકાર છે કે તેણે તમને ઈમાન તરફ હિદાયત આપી જો તમે સાચા છો.


اِنَّ اللّٰهَ یَعْلَمُ غَیْبَ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ اللّٰهُ بَصِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ ۧ (18)

(૧૮) વિશ્વાસ રાખો કે આકાશો અને ધરતીની છૂપી વાતો અલ્લાહ સારી રીતે જાણે છે અને જે કંઈ તમે કરી રહ્યા છો તેને અલ્લાહ સારી રીતે જોઈ રહ્યો છે. (ع-)