Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૯૭) (અય નબી!) તમે કહી દો કે જે જિબ્રઈલનો દુશ્મન હોય, જેણે તમારા દિલ પર અલ્લાહનો પૈગામ ઉતાર્યો છે, જે પૈગામ તેમના પાસેની કિતાબની પુષ્ટી કરવાવાળો અને ઈમાનવાળાઓને માર્ગદર્શન અને ખુશખબર આપવાવાળો છે. (તો અલ્લાહ પણ તેમનો દુશ્મન છે.)[39]
(૯૮) જે માણસ અલ્લાહનો, અને તેના ફરિશ્તાઓ, અને તેના રસુલો તથા જિબ્રઈલ અને મિકાઈલનો દુશ્મન હોય, એવા કાફિરો (અધર્મીઓ) નો દુશ્મન અલ્લાહ પોતે છે.
(૯૯) અને બેશક અમે તમારા તરફ સ્પષ્ટ નિશાનીઓ મોકલી છે જેનો ફાસિકો (દુરાચારીઓ)ના સિવાય બીજા કોઈ ઈન્કાર નથી કરતા.
(૧૦૦) આ લોકો જયારે પણ વાયદો કરે છે તો તેમનું એક તે એક જૂથ તેને તોડી નાખે છે બલ્કે એમનામાંથી વધારે પડતા ઈમાનથી ખાલી છે.
(૧૦૧) અને જયારે પણ તેમના પાસે અલ્લાહના કોઈ રસૂલ તેમની કિતાબની પુષ્ટી કરવા આવ્યા, તો તે કિતાબવાળાઓના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પાછળ નાખી દીધી જાણે કે જાણતા ન હતા.
(૧૦૨) અને તેની પાછળ લાગી ગયા, જેને શયતાન (હજરત) સુલેમાનના મુલ્કમાં પઢતા હતા. સુલેમાને તો કુફ્ર કર્યું ન હતું પરંતુ આ કુફ્ર શયતાનોનું હતું, તે લોકોને જાદૂ શિખવતા હતા, અને બાબિલમાં હારૂત અને મારૂત બે ફરિશ્તાઓ પર જે ઉતારવામાં આવ્યુ હતું, તે બંને પણ કોઈ વ્યક્તિને ત્યાં સુધી ન શિખવતા જયાં સુધી તેઓ એવું ન કહે કે અમે તો એક પરીક્ષા (કસોટી) છીએ, તુ કુફ્ર ન કર, પછી લોકો તેમનાથી તે શીખતા જેનાથી પતિ-પત્નીમાં ફૂટ (જુદાઈ) નાખી દે. હકીકતમાં તેઓ અલ્લાહની મરજી વગર કોઈને કોઈ નુકશાન તથી પહોંચાડી શકતા.[40] આ લોકો તે શીખે છે જે તેમને ન નુકશાન પહોંચાડે અને ન ફાયદો પહોંચાડી શકે, અને તેઓ સારી રીતે જાણે છે કે તેને લેવાવાળાનો આખિરતમાં કોઈ હિરસો નથી. અને તે ઘણીજ ખરાબ વસ્તુ છે જેના બદલામાં તેઓ પોતાને વેચી રહ્યા છે, જો તેઓ જાણતા હોત.
(૧૦૩) અને જો આ લોકો ઈમાન લાવતા અને અલ્લાહથી ડર રાખતા તો અલ્લાહ (તઆલા) તરફથી ભલાઈ
મળતી, જો તેઓ જાણતા હોત.