Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૧૨

આયત ૯૭ થી ૧૦૩


قُلْ مَن كَانَ عَدُوًّا لِّجِبْرِيلَ فَإِنَّهُ نَزَّلَهُ عَلَىٰ قَلْبِكَ بِإِذْنِ اللَّهِ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ (97)

(૯૭) (અય નબી!) તમે કહી દો કે જે જિબ્રઇલનો દુશ્મન હોય, કે જેણે તમારા દિલ પર અલ્લાહનો આદેશ (પૈગામ) ઉતાર્યો છે, જે પૈગામ તેમ ના પાસે ની કિતાબની પુષ્ટી કરવાવાળો અને ઇમાનવાળાઓને માર્ગદર્શન અને ખુશખબર આપવાવાળો છે. (તો અલ્લાહ પણ તેમનો દુશ્મન છે.)


مَن كَانَ عَدُوًّا لِّلَّهِ وَمَلَائِكَتِهِ وَرُسُلِهِ وَجِبْرِيلَ وَمِيكَالَ فَإِنَّ اللَّهَ عَدُوٌّ لِّلْكَافِرِينَ (98)

(૯૮) જે માણસ અલ્લાહનો, અને તેના ફરિશ્તાઓ, અને તેના રસુલો તથા જિબ્રઈલ અને મિકાઈલનો દુશ્મન હોય, એવા કાફિરો (અધર્મીઓ)નો દુશ્મન અલ્લાહ પોતે છે.


وَلَقَدْ أَنزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ (99)

(૯૯) અને બેશક અમે તમારા તરફ સ્પષ્ટ નિશાનીઓ મોકલી છે જેનો ફાસિકો (દુરાચારીઓ) ના સિવાય બીજા કોઈ ઇન્કાર નથી કરતા.


أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَّبَذَهُ فَرِيقٌ مِّنْهُم ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ (100)

(૧૦૦) આ લોકો જ્યારે પણ વાયદો કરે છે તો તેમનું એક ને એક જુથ તેને તોડી નાખે છે બલ્કે એમનામાંથી વધારે પડતા ઈમાનથી ખાલી છે.


وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِندِ اللَّهِ مُصَدِّقٌ لِّمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ (101)

(૧૦૧) અને જ્યારે પણ તેમના પાસે અલ્લાહના કોઈ રસૂલ તેમની કિતાબની પુષ્ટી કરવા આવ્યા, તો તે કિતાબવાળાઓના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પાછળ નાખી દીધી જાણે કે તેઓ જાણતા જ નથી.


وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُم بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ (102)

(૧૦૨) અને તેની પાછળ લાગી ગયા, જેને શૈતાન (હજરત) સુલેમાનના મુલ્કમાં(દેશ) પઢતા હતા. સુલેમાને તો કુફ્ર કર્યું ન હતું પરંતુ આ કુફ્ર શૈતાનોનું હતું, તે લોકોને જાદુ શિખવતા હતા, અને બાબિલમાં હારૂત અને મારૂત બે ફરિશ્તાઓ પર જે ઉતારવામાં આવ્યું હતું, તે બંને પણ કોઈ વ્યક્તિને ત્યાં સુધી ન શીખવતા જ્યાં સુધી તેઓ એવું ન કહે કે અમે તો એક પરીક્ષા (કસોટી) છીએ, તું કુફ્ર ન કર, પછી લોકો તેમનાથી તે શીખતા જેનાથી પતિ પત્ની માં ફૂટ (જુદાઈ) નાખી દે. હકીકતમાં તેઓ અલ્લાહની મરજી વગર કોઈને કોઈ નુકશાન નથી પહોંચાડી શક્તા. આ લોકો તે શીખે છે જે ન તો નુકશાન પહોંચાડે અને ન ફાયદો પહોંચાડી શકે, અને તેઓ સારી રીતે જાણે છે કે તેને લેવાવાળાનો આખિરતમાં કોઈ હિસ્સો નથી. અને તે ઘણીજ ખરાબ વસ્તુ છે જેના બદલામાં તેઓ પોતાને વેચી રહ્યા છે, જો તેઓ જાણતા હોત.


وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِّنْ عِندِ اللَّهِ خَيْرٌ ۖ لَّوْ كَانُوا يَعْلَمُونَ (103)

(૧૦૩) અને જો આ લોકો ઈમાન લાવતા અને અલ્લાહથી ડર રાખતા તો અલ્લાહ (તઆલા) તરફથી ભલાઈ મળતી, જો તેઓ જાણતા હોત.