Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૪

આયત ૧૮૯ થી ૧૯૬


يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَن تَأْتُوا الْبُيُوتَ مِن ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ (189)

(૧૮૯) લોકો તમારાથી નવા ચાંદના વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (ની બંદગી)ના સમય અને હજના મોસમ માટે છે, અને (અહેરામની હાલતમાં) ઘરોના પાછળથી તમારૂં આવવું કોઈ નેક કામ નથી, પરંતુ નેક કામ તે હશે જે અલ્લાહથી ડરતો હોય. ઘરોમાં તેમના દરવાજાથી પ્રવેશ કરો, અને અલ્લાહથી ડરતા રહો જેથી તમે કામયાબ થઈ જાઓ.


وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ (190)

(૧૯૦) અને લડો અલ્લાહના માર્ગમાં તેમનાથી જેઓ તમારાથી લડે છે અને જુલ્મ ન કરો, અલ્લાહ (તઆલા) જાલિમને પસંદ નથી કરતો.


وَاقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ وَأَخْرِجُوهُم مِّنْ حَيْثُ أَخْرَجُوكُمْ ۚ وَالْفِتْنَةُ أَشَدُّ مِنَ الْقَتْلِ ۚ وَلَا تُقَاتِلُوهُمْ عِندَ الْمَسْجِدِ الْحَرَامِ حَتَّىٰ يُقَاتِلُوكُمْ فِيهِ ۖ فَإِن قَاتَلُوكُمْ فَاقْتُلُوهُمْ ۗ كَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ (191)

(૧૯૧) અને તેઓને મારો જ્યાં પણ જુઓ અને તેઓને કાઢી મૂકો જ્યાંથી તમને કાઢી મૂક્યા હતા. (સાંભળો !) ફિતનો (લડાઈ-ઝઘડો, ફસાદ) કતલથી વધારે ખરાબ છે. અને મસ્જિદે હરામની પાસે તેમનાથી લડાઈ ન કરો, જ્યાં સુધી કે તેઓ પોતે તમારાથી ન લડે, જો તેઓ તમારાથી લડે, તો તમે પણ તેમને મારો, કાફિરોનો આ જ બદલો છે.


فَإِنِ انتَهَوْا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (192)

(૧૯૨) જો તેઓ રોકાઈ જાય, તો અલ્લાહ (તઆલા) ઘણો માફ કરનાર મહેરબાન છે.


وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ لِلَّهِ ۖ فَإِنِ انتَهَوْا فَلَا عُدْوَانَ إِلَّا عَلَى الظَّالِمِينَ (193)

(૧૯૩) અને તેમનાથી લડો, ત્યાં સુધી કે ફિત્નો ન રહે અને અલ્લાહનો ધર્મ રહી જાય, જો તેઓ રોકાઈ જાય (તો તમે પણ રોકાઈ જાઓ) જુલમ તો ફક્ત જાલિમો પર છે.


الشَّهْرُ الْحَرَامُ بِالشَّهْرِ الْحَرَامِ وَالْحُرُمَاتُ قِصَاصٌ ۚ فَمَنِ اعْتَدَىٰ عَلَيْكُمْ فَاعْتَدُوا عَلَيْهِ بِمِثْلِ مَا اعْتَدَىٰ عَلَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ (194)

(૧૯૪) હુરમતવાળા મહિનાને બદલે હુરમતવાળા મહીના છે અને હુરમતો અદલા-બદલાની છે, જે તમારા પર જુલમ કરે તમે પણ તેના પણ તેના જેવું જ જુલમ કરો જેવું તમારા પર કર્યું છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને જાણી લો કે અલ્લાહ (તઆલા) પરહેઝગારોના સાથે છે.


وَأَنفِقُوا فِي سَبِيلِ اللَّهِ وَلَا تُلْقُوا بِأَيْدِيكُمْ إِلَى التَّهْلُكَةِ ۛ وَأَحْسِنُوا ۛ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُحْسِنِينَ (195)

(૧૯૫) અને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો અને પોતાના હાથે તકલીફમાં ન પડો, ભલાઈ કરો, અલ્લાહ ભલાઈ કરનારાઓને પસંદ કરે છે.


وَأَتِمُّوا الْحَجَّ وَالْعُمْرَةَ لِلَّهِ ۚ فَإِنْ أُحْصِرْتُمْ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۖ وَلَا تَحْلِقُوا رُءُوسَكُمْ حَتَّىٰ يَبْلُغَ الْهَدْيُ مَحِلَّهُ ۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوْ بِهِ أَذًى مِّن رَّأْسِهِ فَفِدْيَةٌ مِّن صِيَامٍ أَوْ صَدَقَةٍ أَوْ نُسُكٍ ۚ فَإِذَا أَمِنتُمْ فَمَن تَمَتَّعَ بِالْعُمْرَةِ إِلَى الْحَجِّ فَمَا اسْتَيْسَرَ مِنَ الْهَدْيِ ۚ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ ثَلَاثَةِ أَيَّامٍ فِي الْحَجِّ وَسَبْعَةٍ إِذَا رَجَعْتُمْ ۗ تِلْكَ عَشَرَةٌ كَامِلَةٌ ۗ ذَٰلِكَ لِمَن لَّمْ يَكُنْ أَهْلُهُ حَاضِرِي الْمَسْجِدِ الْحَرَامِ ۚ وَاتَّقُوا اللَّهَ وَاعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ (196)

(૧૯૬) ને હજ તથા ઉમરાહને અલ્લાહ તઆલાના માટે પૂરા કરો, અને જો તમને રોકી દેવામાં આવે, તો જે પણ કુરબાનીનું જાનવર હોય તેની કુરબાની કરી નાખો, અને પોતાના માથા ન મૂંડાવો જ્યાં સુધી કે કુરબાની કુરબાનગાહ સુધી ન પહોંચી જાય. અને તમારામાંથી જે બીમાર હોય અથવા તેના માથામાં કોઈ દર્દ હોય જેના કારણે તે માથું મૂંડાવી લે તો તેના પર ફિદિયો છે કે ઈચ્છે તો રોઝો રાખી લે, અથવા ઈચ્છે તો સદકો આપે અથવા કુરબાની કરે પરંતુ જેવી શાંતિ ની સ્થિતિ થઈ જાય, તો જે ઉમરાહથી લઈ હજ સુધી તમત્તો (ફાયદો) કરે, બસ તે જે પણ કુરબાની હાજર હોય તેને કરી નાખે. જેનામાં તાકાત ન હોય તે ત્રણ દિવસના રોઝા હજના દિવસો માં રાખી લે અને સાત પાછા ફરતા એમ પૂરા દસ થઈ ગયા. આ આદેશ તેમના માટે છે જેઓ મસ્જિદે હરામ (મક્કા)ના રહેવાસી ન હોય. (લોકો!) અલ્લાહથી ડરતા રહો અને જાણી લો અલ્લાહ (તઆલા) સખત સજાઓ આપનાર છે.