(૫૩) અને મારા બંદાઓને કહી દો કે તેઓ ઉત્તમ વાતો પોતાના મોઢાંથી કહે, કેમકે શેતાન પરસ્પર ફૂટ નખાવે છે, બેશક શેતાન મનુષ્યનો ખુલ્લો દુશ્મન છે.
(૫૪) તમારો રબ તમારી સરખામણીમાં તમારાથી વધારે જાણનાર છે, જો તે ઈચ્છે તો તમારા પર દયા કરી દે અને જો ઈચ્છે તો તમને સજા આપે, અમે તમને તેમના જવાબદાર બનાવીને નથી મોકલ્યા.
(૫૫) અને આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે તમારો રબ બધાને સારી રીતે જાણે છે અમે કેટલાક પયગંબરોને કેટલાક પર શ્રેષ્ઠતા આપી છે અને દાઉદને ઝબૂર અમે જ આપી છે.
(૫૬) કહી દો કે, “(અલ્લાહના) સિવાય જેમને તમે (મા'બૂદ) સમજી રહ્યા છો, તેમને પોકારો પરંતુ ન તો તેઓ તમારાથી કોઈ દુઃખને દૂર કરી શકે છે ન તેને બદલી શકે છે.
(૫૭) જેમને આ લોકો પોકારે છે તેઓ પોતે પોતાના રબની નિકટતાની શોધમાં રહે છે કે તેમનામાંથી કોણ વધારે નજીક થઈ જાય, તેઓ પોતે તેની કૃપાની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરનારા છે,[1] (વાત પણ એ છે) કે તમારા રબનો અઝાબ ડરવાની વસ્તુ છે.
(૫૮) અને જેટલી પણ વસ્તીઓ છે તેને અમે કયામતના દિવસ પહેલાં નષ્ટ કરી દેવાના છીએ અથવા સખત સજા આપવાના છીએ. આ તો કિતાબમાં લખાઈ ચૂક્યું છે.
(૫૯) અને અમને નિશાનીઓ ઉતારવામાં અડચણ ફક્ત એની જ છે કે પહેલાના લોકો તેને જૂઠાડી ચૂક્યા છે,[1] અમે સમૂદને દેખીતી રીતે ઊંટણી લાવીને આપી, પરંતુ તેમણે તેના ઉપર જુલમ કર્યો, અમે તો ફક્ત લોકોને ડરાવવા માટે નિશાનીઓ મોકલીએ છીએ.
(૬૦) અને યાદ કરો જયારે અમે તમને કહી દીધું કે તમારા રબે તે લોકોને ઘેરી લીધા છે, અને આ જે હમણાં તમને દેખાડ્યું છે, તે લોકોના માટે સ્પષ્ટ અજમાયશ જ હતી, અને તે જ રીતે તે વૃક્ષ પણ જેના પર કુરઆનમાં ફિટકાર કરવામાં આવી છે,[1] અમે તેમને ચેતવણી આપી રહ્યા છીએ પરંતુ આ ચેતવણી તેમના વિદ્રોહમાં જ વધારો કરતી જાય છે. (ع-૬)