Surah Al-Jathiyah

સૂરહ અલ-જાસિયહ

રૂકૂ : ૪

આયત ૨૭ થી ૩૭

وَ لِلّٰهِ مُلْكُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ وَ یَوْمَ تَقُوْمُ السَّاعَةُ یَوْمَئِذٍ یَّخْسَرُ الْمُبْطِلُوْنَ (27)

(૨૭) અને આકાશો અને ધરતીનું રાજ્ય અલ્લાહનું જ છે, અને જે દિવસે કયામત કાયમ થશે તે દિવસે જૂઠા લોકો નુકસાનમાં હશે.


وَ تَرٰى كُلَّ اُمَّةٍ جَاثِیَةً {قف} كُلُّ اُمَّةٍ تُدْعٰۤى اِلٰى كِتٰبِهَا ؕ اَلْیَوْمَ تُجْزَوْنَ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ (28)

(૨૮) અને તમે જોશો કે દરેક કોમ ઘૂંટણીએ પડેલી હશે, દરેક જૂથ પોતાના કર્મપત્રના તરફ બોલાવવામાં આવશે, આજે તમને તમારા કરેલા (કર્મો)નો બદલો આપવામાં આવશે.


هٰذَا كِتٰبُنَا یَنْطِقُ عَلَیْكُمْ بِالْحَقِّ ؕ اِنَّا كُنَّا نَسْتَنْسِخُ مَا كُنْتُمْ تَعْمَلُوْنَ (29)

(૨૯) આ છે અમારી કિતાબ જે તમારા વિશે સાચું બોલી રહી છે, અમે તમારા કર્મો લખાવતા જતા હતા.


فَاَمَّا الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فَیُدْخِلُهُمْ رَبُّهُمْ فِیْ رَحْمَتِهٖ ؕ ذٰلِكَ هُوَ الْفَوْزُ الْمُبِیْنُ (30)

(૩૦) તો જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા, તો તેમને તેમનો રબ પોતાની કૃપા (રહમત)ના છાંયડામાં લઈ લેશે, આ જ સ્પષ્ટ સફળતા છે.


وَ اَمَّا الَّذِیْنَ كَفَرُوْا {قف} اَفَلَمْ تَكُنْ اٰیٰتِیْ تُتْلٰى عَلَیْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَ كُنْتُمْ قَوْمًا مُّجْرِمِیْنَ (31)

(૩૧) પરંતુ જે લોકોએ કુફ્ર કર્યુ (તો હું તેમને કહીશ કે), “શું મારી આયતો તમને સંભળાવવામાં આવતી ન હતી? પછી પણ તમે ઘમંડ કરતા રહ્યા અને તમે હતા જ ગુનેહગાર લોકો.


وَ اِذَا قِیْلَ اِنَّ وَعْدَ اللّٰهِ حَقٌّ وَّ السَّاعَةُ لَا رَیْبَ فِیْهَا قُلْتُمْ مَّا نَدْرِیْ مَا السَّاعَةُ ۙ اِنْ نَّظُنُّ اِلَّا ظَنًّا وَّ مَا نَحْنُ بِمُسْتَیْقِنِیْنَ (32)

(૩૨) અને જ્યારે કહેવામાં આવતુ કે અલ્લાહનો વાયદો નિશ્ચિતરૂપે સાચો છે, અને કયામતના આવવામાં કોઈ શંકા નથી, તો તમે જવાબ આપતા હતા કે અમે નથી જાણતા કે કયામત શું છે ? અમને થોડોક આમ જ વિચાર આવી જાય છે પરંતુ અમને વિશ્વાસ નથી.”


وَ بَدَا لَهُمْ سَیِّاٰتُ مَا عَمِلُوْا وَ حَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ (33)

(૩૩) અને તેમના પર પોતાના કર્મોની બૂરાઈઓ જાહેર થઈ ગઈ અને જેનો તેઓ મજાક ઉડાવી રહ્યા હતા, તે વસ્તુએ તેમને ઘેરી લીધા.


وَ قِیْلَ الْیَوْمَ نَنْسٰىكُمْ كَمَا نَسِیْتُمْ لِقَآءَ یَوْمِكُمْ هٰذَا وَ مَاْوٰىكُمُ النَّارُ وَ مَا لَكُمْ مِّنْ نّٰصِرِیْنَ (34)

(૩૪) અને કહી દેવામાં આવશે કે, “આજે અમે તમને ભૂલાવી દઈશું જેમ કે તમે પોતાના આ મુલાકાતના દિવસને ભૂલાવી દીધો હતો, તમારૂ ઠેકાણું જહન્નમ છે અને તમારી મદદ કરનાર કોઈ નથી.


ذٰلِكُمْ بِاَنَّكُمُ اتَّخَذْتُمْ اٰیٰتِ اللّٰهِ هُزُوًا وَّ غَرَّتْكُمُ الْحَیٰوةُ الدُّنْیَا ۚ فَالْیَوْمَ لَا یُخْرَجُوْنَ مِنْهَا وَ لَا هُمْ یُسْتَعْتَبُوْنَ (35)

(૩૫) આ એટલા માટે કે તમે અલ્લાહ (તઆલા)ની આયતોનો મજાક ઉડાવતા હતા અને દુનિયાના જીવને તમને ધોખામાં નાખી રાખ્યા હતા, તો આજના દિવસે ન તો આ લોકોને (જહન્નમમાંથી) કાઢવામાં આવશે અને ન તેમનાથી મજબૂરી અને બહાના કબૂલ કરવામાં આવશે.”


فَلِلّٰهِ الْحَمْدُ رَبِّ السَّمٰوٰتِ وَ رَبِّ الْاَرْضِ رَبِّ الْعٰلَمِیْنَ (36)

(૩૬) તો અલ્લાહના માટે તમામ પ્રશંસા છે, જે આકાશો અને ધરતી અને સમગ્ર દુનિયાનો રબ છે.


وَ لَهُ الْكِبْرِیَآءُ فِی السَّمٰوٰتِ وَ الْاَرْضِ {ص} وَ هُوَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۧ (37)

(૩૭) અને તમામ (પ્રશંસા અને) મહાનતા આકાશો અને ધરતીમાં તેના જ માટે છે અને તે જ પ્રભુત્વશાળી હિકમતવાળો છે. (ع-)