Surah Al-Mujadila

સૂરહ અલ-મુજાદિલા

રૂકૂ : ૧

આયત ૧ થી

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

قَدْ سَمِعَ اللّٰهُ قَوْلَ الَّتِیْ تُجَادِلُكَ فِیْ زَوْجِهَا وَ تَشْتَكِیْۤ اِلَى اللّٰهِ { ۖ ق} وَ اللّٰهُ یَسْمَعُ تَحَاوُرَكُمَا ؕ اِنَّ اللّٰهَ سَمِیْعٌۢ بَصِیْرٌ (1)

(૧) ચોક્કસ અલ્લાહે તે સ્ત્રીની વાત સાંભળી, જે તમારાથી તેના પતિ વિશે ઝઘડો કરી રહી હતી અને અલ્લાહના સામે ફરિયાદ કરી રહી હતી, અલ્લાહ (તઆલા) તમારા બંનેની વાતચીત સાંભળી રહ્યો હતો. બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે.


اَلَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْكُمْ مِّنْ نِّسَآئِهِمْ مَّا هُنَّ اُمَّهٰتِهِمْ ؕ اِنْ اُمَّهٰتُهُمْ اِلَّا الّٰٓئِیْ وَلَدْنَهُمْ ؕ وَ اِنَّهُمْ لَیَقُوْلُوْنَ مُنْكَرًا مِّنَ الْقَوْلِ وَ زُوْرًا ؕ وَ اِنَّ اللّٰهَ لَعَفُوٌّ غَفُوْرٌ (2)

(૨) તમારામાંથી જે લોકો પોતાની પત્નીઓથી જિહાર કરે છે (એટલે કે તેમને માતા કહી બેસે છે) તે હકીકતમાં તેમની માતાઓ નથી હોતી, તેમની માતાઓ તો તે છે જેમના ગર્ભમાંથી તેમણે જન્મ લીધો છે, બેશક આ લોકો અનુચિત અને જૂઠી વાત કહે છે. બેશક અલ્લાહ (તઆલા) ક્ષમાશીલ અને માફ કરનાર છે.


وَ الَّذِیْنَ یُظٰهِرُوْنَ مِنْ نِّسَآئِهِمْ ثُمَّ یَعُوْدُوْنَ لِمَا قَالُوْا فَتَحْرِیْرُ رَقَبَةٍ مِّنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ؕ ذٰلِكُمْ تُوْعَظُوْنَ بِهٖ ؕ وَ اللّٰهُ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ (3)

(૩) અને જે લોકો પોતાની પત્નીઓથી જિહાર કરે અને પછી પોતે કરેલી વાત પાછી લઈ લે તો તેમના ઉપર પરસ્પર એકબીજાને હાથ લગાવતા પહેલા એક દાસ (ગુલામ) આઝાદ કરવાનો છે. આના વડે તમને નસીહત આપવામાં આવે છે અને અલ્લાહ (તઆલા) તમારા બધા જ કર્મોને જાણે છે.


فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ شَهْرَیْنِ مُتَتَابِعَیْنِ مِنْ قَبْلِ اَنْ یَّتَمَآسَّا ۚ فَمَنْ لَّمْ یَسْتَطِعْ فَاِطْعَامُ سِتِّیْنَ مِسْكِیْنًا ؕ ذٰلِكَ لِتُؤْمِنُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ ؕ وَ تِلْكَ حُدُوْدُ اللّٰهِ ؕ وَ لِلْكٰفِرِیْنَ عَذَابٌ اَلِیْمٌ (4)

(૪) હાં, જો માણસ (ગુલામ) ન મળે તો તેમના ઉપર સળંગ બે મહિનાના રોઝા છે એના પહેલા કે એકબીજાને હાથ લગાવે અને જે વ્યક્તિ આની પણ તાકાત રાખતો ન હોય તો તેના ઉપર સાહીઠ ગરીબોને ખાવાનું ખવડાવવાનું છે આ એટલા માટે કે તમે અલ્લાહ પર અને તેના રસૂલ પર ઈમાન લાવો. આ અલ્લાહ (તઆલા)ની નક્કી કરેલ હદો છે અને કાફિરો માટે દુઃખદાયી અઝાબ છે.


اِنَّ الَّذِیْنَ یُحَآدُّوْنَ اللّٰهَ وَ رَسُوْلَهٗ كُبِتُوْا كَمَا كُبِتَ الَّذِیْنَ مِنْ قَبْلِهِمْ وَ قَدْ اَنْزَلْنَاۤ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ؕ وَ لِلْكٰفِرِیْنَ عَذَابٌ مُّهِیْنٌ ۚ (5)

(૫) બેશક જે લોકો અલ્લાહ અને તેના રસૂલોનો વિરોધ કરે છે તેમને અપમાનિત કરવામાં આવશે. જેવા કે તેમનાથી પહેલાના લોકોને અપમાનિત કરવામાં આવ્યા, અને બેશક અમે સ્પષ્ટ નિશાનીઓ ઉતારી ચૂક્યા છીએ અને કાફિરો માટે અપમાનિત કરવાવાળો અઝાબ છે.


یَوْمَ یَبْعَثُهُمُ اللّٰهُ جَمِیْعًا فَیُنَبِّئُهُمْ بِمَا عَمِلُوْا ؕ اَحْصٰىهُ اللّٰهُ وَ نَسُوْهُ ؕ وَ اللّٰهُ عَلٰى كُلِّ شَیْءٍ شَهِیْدٌ ۧ (6)

(૬) જે દિવસે અલ્લાહ (તઆલા) તે બધાને ઉઠાડશે પછી તેમને તેમના કરેલા કર્મો બતાવવામાં આવશે, (જેને) અલ્લાહે ગણી રાખેલ છે અને જેને તેઓ ભૂલી ગયા હતા. અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુથી માહિતગાર છે.(ع-)