Surah Hud

સૂરહ હૂદ

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૮

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

الٓرٰ قف كِتٰبٌ اُحْكِمَتْ اٰیٰتُهٗ ثُمَّ فُصِّلَتْ مِنْ لَّدُنْ حَكِیْمٍ خَبِیْرٍۙ (1)

(૧) અલિફ.લામ.રા., આ એક એવી કિતાબ છે કે જેની આયતો હિકમતથી ભરેલી છે, પછી વિગતવાર વર્ણન કરવામાં આવી છે, એક હિકમતવાળા અને સંપૂર્ણ જ્ઞાનવાળા તરફથી.


اَلَّا تَعْبُدُوْۤا اِلَّا اللّٰهَ ؕ اِنَّنِیْ لَكُمْ مِّنْهُ نَذِیْرٌ وَّ بَشِیْرٌۙ (2)

(૨) એ કે અલ્લાહના સિવાય કોઈની બંદગી ન કરો, હું તમને અલ્લાહ તરફથી ચેતવણી આપનાર અને ખુશખબર સંભળાવનાર છું.


وَّ اَنِ اسْتَغْفِرُوْا رَبَّكُمْ ثُمَّ تُوْبُوْۤا اِلَیْهِ یُمَتِّعْكُمْ مَّتَاعًا حَسَنًا اِلٰۤى اَجَلٍ مُّسَمًّى وَّ یُؤْتِ كُلَّ ذِیْ فَضْلٍ فَضْلَهٗ ؕ وَ اِنْ تَوَلَّوْا فَاِنِّیْۤ اَخَافُ عَلَیْكُمْ عَذَابَ یَوْمٍ كَبِیْرٍ (3)

(૩) અને એ કે તમે લોકો પોતાના ગુનાહોને પોતાના રબ પાસે માફ કરાવો, પછી તેના તરફ ધ્યાનમગ્ન થઈ જાઓ, તે તમને નિર્ધારિત મુદત સુધી બહેતર સામાન (જિંદગી) આપશે અને દરેક વધારે શ્રેષ્ઠ કામ કરનારને વધારે કૃપા આપશે અને જો તમે મોઢું ફેરવતા રહ્યા તો મને તમારા માટે એક મોટા દિવસના અઝાબનો ડર છે.


اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ ۚ وَ هُوَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ (4)

(૪) તમારે અલ્લાહના પાસે જ જવાનું છે અને તે દરેક વસ્તુ પર સંપૂર્ણ સામર્થ્ય ધરાવે છે.


اَلَاۤ اِنَّهُمْ یَثْنُوْنَ صُدُوْرَهُمْ لِیَسْتَخْفُوْا مِنْهُ ؕ اَلَا حِیْنَ یَسْتَغْشُوْنَ ثِیَابَهُمْ ۙ یَعْلَمُ مَا یُسِرُّوْنَ وَ مَا یُعْلِنُوْنَ ۚ اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ (5)

(૫) યાદ રાખો કે તે લોકો પોતાની છાતીઓને બેવડી કરી દે છે જેથી પોતાની વાતો (અલ્લાહથી) છુપાવી શકે. યાદ રાખો કે તે લોકો જે સમયે પોતાના કપડાં લપેટે છે તે સમયે પણ તે બધું જ જાણે છે, જે કંઈ છૂપાવે છે અને જે કંઈ જાહેર કરે છે, બેશક તે દિલોના અંદરની વાતોને પણ જાણે છે.


وَ مَا مِنْ دَآبَّةٍ فِی الْاَرْضِ اِلَّا عَلَى اللّٰهِ رِزْقُهَا وَ یَعْلَمُ مُسْتَقَرَّهَا وَ مُسْتَوْدَعَهَا ؕ كُلٌّ فِیْ كِتٰبٍ مُّبِیْنٍ (6)

(૬) અને ધરતી પર હરતા-ફરતા જેટલા પણ જીવો છે, તે તમામની રોજી અલ્લાહ (તઆલા) પર છે તે તેમના રહેવાની જગ્યા પણ જાણે છે અને તેમને સોંપવાની જગ્યા પણ, આ બધું જ સ્પષ્ટ કિતાબમાં હાજર છે.


وَ هُوَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ فِیْ سِتَّةِ اَیَّامٍ وَّ كَانَ عَرْشُهٗ عَلَى الْمَآءِ لِیَبْلُوَكُمْ اَیُّكُمْ اَحْسَنُ عَمَلًا ؕ وَ لَئِنْ قُلْتَ اِنَّكُمْ مَّبْعُوْثُوْنَ مِنْۢ بَعْدِ الْمَوْتِ لَیَقُوْلَنَّ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌ (7)

(૭) અને તે (અલ્લાહ) જ છે જેણે છ દિવસમાં આકાશો અને ધરતીને પેદા કર્યા, અને તેનો અર્શ (સિંહાસન) પાણી પર હતો, જેથી તે તમારી પરીક્ષા કરે કે તમારામાં સારા કર્મ કરવાવાળા કોણ છે? જો તમે તેમને કહો કે તમે લોકો મૃત્યુ પછી ફરીથી જીવતા કરવામાં આવશો તો કાફિરો જવાબ આપશે કે આ તો સ્પષ્ટ જાદૂ છે.


وَ لَئِنْ اَخَّرْنَا عَنْهُمُ الْعَذَابَ اِلٰۤى اُمَّةٍ مَّعْدُوْدَةٍ لَّیَقُوْلُنَّ مَا یَحْبِسُهٗ ؕ اَلَا یَوْمَ یَاْتِیْهِمْ لَیْسَ مَصْرُوْفًا عَنْهُمْ وَ حَاقَ بِهِمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۧ (8)

(૮) અને જો અમે તેમના પરથી અઝાબને થોડા સમય માટે હટાવી દઈએ તો તેઓ જરૂર કહેશે કે અઝાબને કઈ વસ્તુએ રોકી રાખેલ છે? સાંભળો! જે દિવસે અઝાબ તેમના પાસે આવશે પછી તેમનાથી ટળવાનો નથી, પછી તો જેનો મજાક કરી રહ્યા હતા, તે તેમના પર ઉલટો પડશે.(ع-)