Surah Ash-Shuraa

સૂરહ અશ્-શૂરા

રૂકૂ : ૩

આયત ૨૦ થી ૨૯

مَنْ كَانَ یُرِیْدُ حَرْثَ الْاٰخِرَةِ نَزِدْ لَهٗ فِیْ حَرْثِهٖ ۚ وَ مَنْ كَانَ یُرِیْدُ حَرْثَ الدُّنْیَا نُؤْتِهٖ مِنْهَا وَ مَا لَهٗ فِی الْاٰخِرَةِ مِنْ نَّصِیْبٍ (20)

(૨૦) જેનો ઈરાદો આખિરતની ખેતીનો હોય, અમે તેના માટે તેની ખેતીમાં વધારો કરીશું, અને જે દુનિયાની ખેતીની તમન્ના કરતો હોય અમે તેને તેમાથી જ થોડુંક આપી દઈશું. આવા મનુષ્યનો આખિરતમાં કોઈ હિસ્સો નથી.


اَمْ لَهُمْ شُرَكٰٓؤُا شَرَعُوْا لَهُمْ مِّنَ الدِّیْنِ مَا لَمْ یَاْذَنْۢ بِهِ اللّٰهُ ؕ وَ لَوْ لَا كَلِمَةُ الْفَصْلِ لَقُضِیَ بَیْنَهُمْ ؕ وَ اِنَّ الظّٰلِمِیْنَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (21)

(૨૧) શું આ લોકોએ (અલ્લાહના) એવા ભાગીદારો (નકકી કરી રાખ્યા) છે જેમણે એવા ધાર્મિક હુકમ નિર્ધારિત કરી દીધા છે, જે અલ્લાહના કહેલા નથી ? જો ફેંસલાના દિવસનો વાયદો ન હોત તો (હમણાં જ) તેમનામાં ફેંસલો કરી નાખવામાં આવતો, બેશક (તે) જાલિમો માટે જ પીડાકારી સજા છે.


تَرَى الظّٰلِمِیْنَ مُشْفِقِیْنَ مِمَّا كَسَبُوْا وَ هُوَ وَاقِعٌۢ بِهِمْ ؕ وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فِیْ رَوْضٰتِ الْجَنّٰتِ ۚ لَهُمْ مَّا یَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ ذٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِیْرُ (22)

(૨૨) તમે જોશો કે (આ) જાલિમો પોતાના કૃત્યોથી ડરી રહ્યા હશે, જે બેશક તેમના ઉપર ઘટિત થનાર છે, અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા તેઓ જન્નતના બાગોમાં હશે, તેઓ જેની ઈચ્છા કરશે પોતાના રબ પાસે હાજર જોશે, આ જ મોટી કૃપા છે.


ذٰلِكَ الَّذِیْ یُبَشِّرُ اللّٰهُ عِبَادَهُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ؕ قُلْ لَّاۤ اَسْئَلُكُمْ عَلَیْهِ اَجْرًا اِلَّا الْمَوَدَّةَ فِی الْقُرْبٰى ؕ وَ مَنْ یَّقْتَرِفْ حَسَنَةً نَّزِدْ لَهٗ فِیْهَا حُسْنًا ؕ اِنَّ اللّٰهَ غَفُوْرٌ شَكُوْرٌ (23)

(૨૩) આ જ તે વસ્તુ છે જેની ખુશખબર અલ્લાહ (તઆલા) પોતાના તે બંદાઓને આપી રહ્યો છે જેઓ ઈમાન લાવ્યા અને (સુન્નત અનુસાર) કર્મ કર્યા, તો કહી દો કે, “હું આના પર તમારાથી કોઈ બદલો નથી ચાહતો, પરંતુ રિશ્તેદારીની મોહબ્બત”, અને જે મનુષ્ય ભલાઈ કરે, અમે તેની ભલાઈને વધારી દઈશું, બેશક અલ્લાહ (તઆલા) મોટો માફ કરનાર અને મોટો કદરદાન છે.


اَمْ یَقُوْلُوْنَ افْتَرٰى عَلَى اللّٰهِ كَذِبًا ۚ فَاِنْ یَّشَاِ اللّٰهُ یَخْتِمْ عَلٰى قَلْبِكَ ؕ وَ یَمْحُ اللّٰهُ الْبَاطِلَ وَ یُحِقُّ الْحَقَّ بِكَلِمٰتِهٖ ؕ اِنَّهٗ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ (24)

(૨૪) શું આ લોકો કહે છે (કે પયગંબરે) અલ્લાહ પર જૂઠો આરોપ ઘડી લીધો છે ? જો અલ્લાહ (તઆલા) ચાહે તો તમારા દિલ પર મહોર લગાવી દે અને અલ્લાહ (તઆલા) પોતાની વાતોથી અસત્ય નાબૂદ કરે છે અને સત્યને બાકી રાખે છે તે દિલોની વાતોનો જાણનાર છે.


وَ هُوَ الَّذِیْ یَقْبَلُ التَّوْبَةَ عَنْ عِبَادِهٖ وَ یَعْفُوْا عَنِ السَّیِّاٰتِ وَ یَعْلَمُ مَا تَفْعَلُوْنَ ۙ (25)

(૨૫) અને તે જ છે જે પોતાના બંદાઓની તૌબા કબૂલ કરે છે, અને ગુનાહોને માફ કરે છે, અને તમે જે કંઈ કરી રહ્યા છો તે બધું જ જાણે છે.


وَ یَسْتَجِیْبُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ وَ یَزِیْدُهُمْ مِّنْ فَضْلِهٖ ؕ وَ الْكٰفِرُوْنَ لَهُمْ عَذَابٌ شَدِیْدٌ (26)

(૨૬) અને ઈમાનવાળાઓ અને નેક લોકોને સાંભળે છે અને તેમને પોતાની કૃપાથી ખૂબ વધારે આપે છે, અને કાફિરો માટે સખત અઝાબ છે.


وَ لَوْ بَسَطَ اللّٰهُ الرِّزْقَ لِعِبَادِهٖ لَبَغَوْا فِی الْاَرْضِ وَ لٰكِنْ یُّنَزِّلُ بِقَدَرٍ مَّا یَشَآءُ ؕ اِنَّهٗ بِعِبَادِهٖ خَبِیْرٌۢ بَصِیْرٌ (27)

(૨૭) અને જો અલ્લાહ (તઆલા) પોતાના તમામ બંદાઓની રોજી વિશાળ કરી દે તો તેઓ ધરતી પર ફસાદ મચાવી દેતા, પરંતુ તે અંદાજાથી જે કંઈ ચાહે છે ઉતારે છે, તે પોતાના બંદાઓથી સારી રીતે વાકેફ છે અને સારી રીતે જોનાર છે.


وَ هُوَ الَّذِیْ یُنَزِّلُ الْغَیْثَ مِنْۢ بَعْدِ مَا قَنَطُوْا وَ یَنْشُرُ رَحْمَتَهٗ ؕ وَ هُوَ الْوَلِیُّ الْحَمِیْدُ (28)

(૨૮) અને તે જ છે જે લોકોના નિરાશ થઈ ગયા પછી વરસાદ વરસાવે છે અને પોતાની કૃપાનો વિસ્તાર (વિશાળ) કરી દે છે તે જ છે સંરક્ષક અને મહાનતા અને પ્રશંસાના લાયક.


وَ مِنْ اٰیٰتِهٖ خَلْقُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ مَا بَثَّ فِیْهِمَا مِنْ دَآبَّةٍ ؕ وَ هُوَ عَلٰى جَمْعِهِمْ اِذَا یَشَآءُ قَدِیْرٌ ۧ (29)

(૨૯) અને તેની નિશાનીઓમાંથી આકાશો અને ધરતીનું પેદા કરવું અને તેમાં સજીવોને ફેલાવવું છે, તે આના પર પણ શક્તિમાન છે કે જયારે ચાહે ત્યારે તેમને ભેગા કરી દે. (ع-)