Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૯૦) બેશક આકાશો અને ધરતીને બનાવવામાં અને દિવસ-રાતની અદલા-બદલીમાં ખરેખર અકલવાળાઓ માટે નિશાનીઓ છે.
(૧૯૧) જેઓ અલ્લાહ (તઆલા)ને ઊભા રહીને અને બેસીને અને પોતાના પડખાભેર સૂતા સૂતા યાદ કરે છે અને આકાશો અને ધરતીની પેદાઈશ પર વિચાર કરે છે (અને કહે છે) અય અમારા રબ! તેં આ બધું વ્યર્થ નથી બનાવ્યું, તું પવિત્ર છે, બસ તું અમને આગથી બચાવી લે.[83]
(૧૯૨) અય અમારા પાલનહાર! તું જેને આગમાં નાખે બેશક તેને તે અપમાનિત કર્યો અને જાલીમોનો મદદગાર કોઈ નથી.
(૧૯૩) અય અમારા રબ! અમે સાંભળ્યું એક પોકારનાર ઈમાનની તરફ બોલાવી રહ્યો છે કે લોકો! પોતાના રબ પર ઈમાન લાવો અને અમે ઈમાન લાવ્યા. અય અમારા રબ! હવે તો અમારા ગુનાહ માફ કરી દે અને અમારી બૂરાઈઓ અમારાથી દૂર કરી દે અને અમારી મોત નેક લોકોની સાથે કર.
(૧૯૪) અય અમારા રબ! અમને તે અર્પણ કર જેનો વાયદો તેં અમારાથી પોતાના રસૂલો મારફતે કર્યો છે. અને અમને કયામતના દિવસે જલીલ (ફજેત) ન કર, બેશક તું પોતાના વાયદાથી વિપરિત કરવાવાળો નથી.
(૧૯૫) છેવટે તેમના રબે તેમની દુઆ ક્બૂલ કરી[84] કે તમારામાંથી કોઈ કર્મ કરવાવાળાના કર્મને પછી તે પુરૂષ હોય કે સ્રી હું કદી બેકાર નથી કરતો.[85] તમે પરસ્પર એકબીજાથી છો, એટલા માટે તે લોકો જેમણે હિજરત કરી અને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને જેમને મારા માર્ગમાં તકલીફ પહોંચાડવામાં આવી અને જેમણે જિહાદ કર્યો અને શહીદ કરવામાં આવ્યા, જરૂર હું તેમની બૂરાઈઓને તેમનાથી દૂર કરી દઈશ અને તેમને તે જન્નતમાં લઈ જઈશ, જેની નીચે નહેરો વઢે છે, આ છે બદલો અલ્લાહ (તઆલા)ના તરફથી અને અલ્લાહ (તઆલા) પાસે જ ઉત્તમ બદલો છે.
(૧૯૬) નગરોમાં કાફિરોનું આવવું-જવું તમને ધોખામાં ન નાખી દે.
(૧૯૭) આ તો ઘણો ઓછો કાયદો છે,[86] તેના પછી તેમનું ઠેકાણું તો જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.
(૧૯૮) પરંતુ જે લોકો પોતાના રબથી ડરતા રહ્યા તેમના માટે જન્નત છે, જેની નીચે નહેરો વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે, આ અલ્લાહના તરફથી મહેમાની છે, અને ભલાઈના કામ કરવાવાળાઓ માટે અલ્લાહ (તઆલા) પાસે જે કંઈ પણ છે તે સૌથી બહેતર અને સારૂ છે.[87]
(૧૯૯) અને જરૂર કિતાબવાળાઓમાંથી પણ કેટલાક લોકો એવા છે, જેઓ અલ્લાહ પર ઈમાન લાવે છે અને તમારા તરફ જે ઉતારવામાં આવ્યું છે અને જે તેમના તરફ ઉતારવામાં આવ્યું તેના પર પણ. અલ્લાહ (તઆલા)થી ડરીને રહે છે, અને અલ્લાહ (તઆલા) ની આયતોને થોડા-થોડા મૂલ્યો પર નથી વેચતા,[88] તેમનો બદલો તેમના રબ પાસે છે. બેશક અલ્લાહ (તઆલા) જલ્દી હિસાબ લેનાર છે.
(૨૦૦) અય ઈમાનવાળાઓ! તમે સબ્ર કરો, અને એકબીજાને થામીને રહો અને જિહાદ માટે તૈયાર રહો જેથી તમે સફળતા પ્રાપ્ત કરો.