Surah Al-An'am

સૂરહ અલ અન્આમ

રૂકૂઅ : ૬

આયત ૫૧ થી ૫૫


وَ اَنْذِرْ بِهِ الَّذِیْنَ یَخَافُوْنَ اَنْ یُّحْشَرُوْۤا اِلٰى رَبِّهِمْ لَیْسَ لَهُمْ مِّنْ دُوْنِهٖ وَلِیٌّ وَّ لَا شَفِیْعٌ لَّعَلَّهُمْ یَتَّقُوْنَ (51)

(૫૧) અને એવા લોકોને ડરાવો જેઓ એ વાતનો ડર રાખે છે કે પોતાના રબ સામે એવી હાલતમાં હાજર કરવામાં આવશે કે જેટલા અલ્લાહના સિવાય છે ન તેમની મદદ કરશે અને ન કોઈ ભલામણ કરવાવાળો હશે, એવી આશા સાથે કે તેઓ ડરી જાય.


وَ لَا تَطْرُدِ الَّذِیْنَ یَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَ الْعَشِیِّ یُرِیْدُوْنَ وَجْهَهٗ ؕ مَا عَلَیْكَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّ مَا مِنْ حِسَابِكَ عَلَیْهِمْ مِّنْ شَیْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُوْنَ مِنَ الظّٰلِمِیْنَ (52)

(૫૨) અને તમે તેમને નીકાળો નહિં જેઓ સવાર-સાંજ પોતાના રબની બંદગી કરે છે, ખાસ કરીને તેની પ્રસન્નતાની ફિકર કરે છે, તેમનો હિસાબ જરા પણ તમારાથી સંબંધિત નથી, અને તમારો હિસાબ જરા પણ તેમનાથી સંબંધિત નથી કે તમે તેમને નીકાળી દો, બલ્કે તમે જુલમ કરનારાઓમાંથી થઈ જશો.


وَ كَذٰلِكَ فَتَنَّا بَعْضَهُمْ بِبَعْضٍ لِّیَقُوْلُوْۤا اَهٰۤؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَیْهِمْ مِّنْۢ بَیْنِنَا ؕ اَلَیْسَ اللّٰهُ بِاَعْلَمَ بِالشّٰكِرِیْنَ (53)

(૫૩) અને આ રીતે અમે તેઓને પરસ્પર અજમાયશમાં નાખી દીધા જેથી તેઓ. કહે કે, “શું અલ્લાહે અમારી વચ્ચેથી તેમના ઉપર અહેસાન કર્યું છે?" હા, શું એ વાત નથી કે અલ્લાહ શુક્રગુજારોને સારી રીતે જાણે છે.


وَ اِذَا جَآءَكَ الَّذِیْنَ یُؤْمِنُوْنَ بِاٰیٰتِنَا فَقُلْ سَلٰمٌ عَلَیْكُمْ كَتَبَ رَبُّكُمْ عَلٰى نَفْسِهِ الرَّحْمَةَ ۙ اَنَّهٗ مَنْ عَمِلَ مِنْكُمْ سُوْٓءًۢا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنْۢ بَعْدِهٖ وَ اَصْلَحَ فَاَنَّهٗ غَفُوْرٌ رَّحِیْمٌ (54)

(૫૪) અને તમારા પાસે જયારે તે લોકો આવે જેઓ અમારી આયતો ઉપર ઈમાન રાખે છે તો કહી દો, “તમારા ઉપર સલામતી થાય" તમારા રબે પોતાના ઉ૫૨ મહેરબાની કરવાનું અનિવાર્ય કરી લીધુ છે કે તમારામાંથી જેણે બેવકકૂફીથી બૂરૂ કામ કરી લીધું પછી ત્યારબાદ તૌબા અને સુધાર કરી લે તો અલ્લાહ દરગુજર કરનાર મહેરબાન છે.


وَ كَذٰلِكَ نُفَصِّلُ الْاٰیٰتِ وَ لِتَسْتَبِیْنَ سَبِیْلُ الْمُجْرِمِیْنَ ۧ (55)

(૫૫) આ રીતે અમે પોતાની આયતોને વિગતવાર વર્ણવીએ છીએ જેથી ગુનેહગારોનો રસ્તો સ્પષ્ટ થઈ જાય. -૬)