Surah Al-Anbya

સૂરહ અલ-અંબિયા

રૂકૂઅ : ૩

આયત ૩૦ થી ૪૧

اَوَ لَمْ یَرَ الَّذِیْنَ كَفَرُوْۤا اَنَّ السَّمٰوٰتِ وَ الْاَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنٰهُمَا ؕ وَ جَعَلْنَا مِنَ الْمَآءِ كُلَّ شَیْءٍ حَیٍّ ؕ اَفَلَا یُؤْمِنُوْنَ (30)

(૩૦) શું કાફિરોએ એ ન જોયું કે (આ) આકાશ અને ધરતી (તમામ) એકબીજા સાથે જોડાયેલા હતા, પછી અમે તેને અલગ-અલગ કર્યા, અને દરેક સજીવને અમે પાણીથી પેદા કર્યા, શું આ લોકો પછી પણ ઈમાન નથી લાવતા ?


وَ جَعَلْنَا فِی الْاَرْضِ رَوَاسِیَ اَنْ تَمِیْدَ بِهِمْ ص وَ جَعَلْنَا فِیْهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ یَهْتَدُوْنَ (31)

(૩૧) અને અમે ધરતી ઉપર પહાડ બનાવી દીધા, જેથી તે સૃષ્ટિને હલાવી ન શકે, અને અમે આમાં તેમના વચ્ચે પહોળા રસ્તાઓ બનાવી દીધા જેથી તેઓ રસ્તો મેળવી શકે.


وَ جَعَلْنَا السَّمَآءَ سَقْفًا مَّحْفُوْظًا ۖۚ وَّ هُمْ عَنْ اٰیٰتِهَا مُعْرِضُوْنَ (32)

(૩૨) અને આકાશને અમે એક સુરક્ષિત છત બનાવી છે, પરંતુ તે લોકો તેની નિશાનીઓ પર ધ્યાન નથી આપતા.


وَ هُوَ الَّذِیْ خَلَقَ الَّیْلَ وَ النَّهَارَ وَ الشَّمْسَ وَ الْقَمَرَ ؕ كُلٌّ فِیْ فَلَكٍ یَّسْبَحُوْنَ (33)

(૩૩) અને તે (અલ્લાહ) છે જેણે રાત અને દિવસ તથા સૂર્ય અને ચંદ્રને બનાવ્યા, તેમનામાંથી બધા પોતપોતાની કક્ષામાં તરી રહ્યા છે.


وَ مَا جَعَلْنَا لِبَشَرٍ مِّنْ قَبْلِكَ الْخُلْدَ ؕ اَفَاۡئِنْ مِّتَّ فَهُمُ الْخٰلِدُوْنَ (34)

(૩૪) અને તમારા પહેલા અમે કોઈ પણ મનુષ્યને અમરત્વ (હંમેશગી) નથી આપ્યુ, પછી શું જો તમે મરી ગયા, તો આ લોકો હંમેશા જીવતા રહી જશે ?


كُلُّ نَفْسٍ ذَآئِقَةُ الْمَوْتِ ؕ وَ نَبْلُوْكُمْ بِالشَّرِّ وَ الْخَیْرِ فِتْنَةً ؕ وَ اِلَیْنَا تُرْجَعُوْنَ (35)

(૩૫) દરેક જીવ ને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે, અને અમે અજમાયશ માટે તમને બૂરાઈ-ભલાઈમાં નાખીએ છીએ, અને તમે બધા અમારા તરફ પાછા ફરશો.


وَ اِذَا رَاٰكَ الَّذِیْنَ كَفَرُوْۤا اِنْ یَّتَّخِذُوْنَكَ اِلَّا هُزُوًا ؕ اَهٰذَا الَّذِیْ یَذْكُرُ اٰلِهَتَكُمْ ۚ وَ هُمْ بِذِكْرِ الرَّحْمٰنِ هُمْ كٰفِرُوْنَ (36)

(૩૬) અને જે લોકોએ કુફ્ર કર્યુ, તેઓ જયારે તમને જુએ છે, તો બસ તમારો મજાક ઉડાવે છે, (કહે છે) કે શું આ જ છે તે વ્યક્તિ જે તમારા મા'બૂદોની ચર્ચા બૂરાઈથી કરે છે ? અને તેઓ પોતે જ રહમાન (કૃપાળુ) નો ઝિક્ર (મહિમા) કરવાથી ઈન્કાર કરે છે.


خُلِقَ الْاِنْسَانُ مِنْ عَجَلٍ ؕ سَاُورِیْكُمْ اٰیٰتِیْ فَلَا تَسْتَعْجِلُوْنِ (37)

(૩૭) મનુષ્ય જન્મથી જ ઉતાવળો છે, હું તમને પોતાની નિશાનીઓ જલ્દી દેખાડીશ, તમે મારા પાસે જલ્દી ન કરો.


وَ یَقُوْلُوْنَ مَتٰى هٰذَا الْوَعْدُ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ (38)

(૩૮) અને કહે છે કે, “જો સાચા હોવ તો બતાવો કે તે વાયદો ક્યારે પૂરો થશે ?”


لَوْ یَعْلَمُ الَّذِیْنَ كَفَرُوْا حِیْنَ لَا یَكُفُّوْنَ عَنْ وُّجُوْهِهِمُ النَّارَ وَ لَا عَنْ ظُهُوْرِهِمْ وَ لَا هُمْ یُنْصَرُوْنَ (39)

(૩૯) જો આ કાફિરો જાણતા કે તે સમયે ન તો આગને પોતાના ચહેરા પરથી હટાવી શકશે અને ન પોતાની પીઠો પરથી, અને ન તેમની મદદ કરવામાં આવશે.


بَلْ تَاْتِیْهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا یَسْتَطِیْعُوْنَ رَدَّهَا وَ لَا هُمْ یُنْظَرُوْنَ (40)

(૪૦) હાં, જરૂર વાયદાનો સમય (કયામતનો દિવસ) તેમના પાસે અચાનક આવી જશે અને તેમને તે એકાએક ઝડપી લેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન એમને થોડો પણ સમય આપવામાં આવશે.


وَ لَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّنْ قَبْلِكَ فَحَاقَ بِالَّذِیْنَ سَخِرُوْا مِنْهُمْ مَّا كَانُوْا بِهٖ یَسْتَهْزِءُوْنَ ۧ (41)

(૪૧) અને તમારા પહેલાના રસૂલોનો પણ મજાક ઉડાવવામાં આવ્યો, તો જેમણે મજાક કર્યો તે જ વસ્તુએ તેમને ઘેરી લીધા જેનો તેઓ મજાક ઉડાવતા હતા. (ع-૩)