Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૩

આયત ૨૬ થી ૩૧


یٰبَنِیْۤ اٰدَمَ قَدْ اَنْزَلْنَا عَلَیْكُمْ لِبَاسًا یُّوَارِیْ سَوْاٰتِكُمْ وَ رِیْشًا ؕ وَ لِبَاسُ التَّقْوٰى ۙ ذٰلِكَ خَیْرٌ ؕ ذٰلِكَ مِنْ اٰیٰتِ اللّٰهِ لَعَلَّهُمْ یَذَّكَّرُوْنَ (26)

(૨૬) “હે આદમની સંતાન! અમે તમને એવો પોશાક પ્રદાન કર્યો જે તમારી શર્મગાહોને ઢાંકે અને શોભા આપે અને પરહેઝગારીનો પોશાક જ સૌથી શ્રેષ્ઠ છે. આ અલ્લાહની નિશાની છે જેથી લોકો આમાંથી બોધપાઠ લે.



یٰبَنِیْۤ اٰدَمَ لَا یَفْتِنَنَّكُمُ الشَّیْطٰنُ كَمَاۤ اَخْرَجَ اَبَوَیْكُمْ مِّنَ الْجَنَّةِ یَنْزِعُ عَنْهُمَا لِبَاسَهُمَا لِیُرِیَهُمَا سَوْاٰتِهِمَا ؕ اِنَّهٗ یَرٰىكُمْ هُوَ وَ قَبِیْلُهٗ مِنْ حَیْثُ لَا تَرَوْنَهُمْ ؕ اِنَّا جَعَلْنَا الشَّیٰطِیْنَ اَوْلِیَآءَ لِلَّذِیْنَ لَا یُؤْمِنُوْنَ (27)

(૨૭) “હે આદમની સંતાન! તમને શેતાન બહેકાવી ન દે જેવી રીતે તમારા માતા-પિતાને જન્નતમાંથી કઢાવ્યા હતા અને તેમના પોશાક ઉતરાવી દીધા હતા. જેથી તેમને તેમની શર્મગાહો દેખાડે, બેશક તે અને તેની જાતિ તમને એવી જગ્યાએથી જુએ છે કે તમે તેમને જોઈ નથી શકતા, અમે શેતાનોને તે લોકોના દોસ્ત બનાવી દીધા જેઓ ઈમાન નથી ધરાવતા.


وَ اِذَا فَعَلُوْا فَاحِشَةً قَالُوْا وَجَدْنَا عَلَیْهَاۤ اٰبَآءَنَا وَ اللّٰهُ اَمَرَنَا بِهَا ؕ قُلْ اِنَّ اللّٰهَ لَا یَاْمُرُ بِالْفَحْشَآءِ ؕ اَتَقُوْلُوْنَ عَلَى اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ (28)

(૨૮) અને તેઓ જ્યારે કોઈ બૂરાઈ કરે છે તો કહે છે કે “અમે અમારા બાપ-દાદાને આવું જ કરતા જોયાં અને અલ્લાહે જ અમને આનો હુકમ આપ્યો છે.” તમે કહી દો કે, “અલ્લાહ બૂરાઈનો હુકમ નથી આપતો, શું તમે અલ્લાહ પર એવી વાત કહો છો જેને તમે નથી જાણતા.”



قُلْ اَمَرَ رَبِّیْ بِالْقِسْطِ (قف) وَ اَقِیْمُوْا وُجُوْهَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّ ادْعُوْهُ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ ؕ٥ كَمَا بَدَاَكُمْ تَعُوْدُوْنَؕ (29)

(૨૯) તમે (રસૂલ) કહી દો કે, “મારા રબે મને ન્યાયનો હુકમ આપ્યો છે, અને દરેક સિજદા વખતે પોતાના ચહેરાને સીધી દિશામાં કરી લો અને તેના (અલ્લાહના) માટે ધર્મને ખાલિસ (વિશિષ્ટ) કરીને તેને પોકારો, તેણે જેવી રીતે તમને શરૂઆતમાં પેદા કર્યા એવી રીતે ફરીથી પેદા થશો.”



فَرِیْقًا هَدٰى وَ فَرِیْقًا حَقَّ عَلَیْهِمُ الضَّلٰلَةُ ؕ اِنَّهُمُ اتَّخَذُوا الشَّیٰطِیْنَ اَوْلِیَآءَ مِنْ دُوْنِ اللّٰهِ وَ یَحْسَبُوْنَ اَنَّهُمْ مُّهْتَدُوْنَ (30)

(૩૦) અને તેણે (અલ્લાહે) કેટલાકને હિદાયત આપી અને કેટલાક ગુમરાહીના હકદાર બની ગયા, તેમણે અલ્લાહના સિવાય શેતાનોને પોતાના દોસ્ત બનાવી લીધા, અને તેઓ સમજે છે કે પોતે હિદાયત ઉપર છે.


یٰبَنِیْۤ اٰدَمَ خُذُوْا زِیْنَتَكُمْ عِنْدَ كُلِّ مَسْجِدٍ وَّ كُلُوْا وَ اشْرَبُوْا وَ لَا تُسْرِفُوْا ۚ اِنَّهٗ لَا یُحِبُّ الْمُسْرِفِیْنَ ۧ (31)

(૩૧) “હે આદમની સંતાન! મસ્જિદમાં જવાના દરેક સમયે પોતાનો પોશાક પહેરી લો, અને ખાઓ-પીઓ અને હદથી આગળ ન વધો, બેશક હદથી આગળ વધી જનારાઓને અલ્લાહ મોહબ્બત નથી કરતો.” (ع-)