Surah As-Saffat
સૂરહ અસ્-સાફફાત
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૨૧
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
وَ الصّٰٓفّٰتِ صَفًّاۙ (1)
(૧) સોગંદ છે કતારબદ્ધ (લાઈનબંધ ઊભા) રહેનારાઓ (ફરિશ્તાઓ)ના.
فَالزّٰجِرٰتِ زَجْرًاۙ (2)
(૨) પછી પૂરી રીતે ધાક-ધમકી આપવાવાળાઓના.
فَالتّٰلِیٰتِ ذِكْرًاۙ (3)
(૩) પછી અલ્લાહને યાદ કરનારાઓના.
اِنَّ اِلٰهَكُمْ لَوَاحِدٌؕ (4)
(૪) બેશક તમારા બધાનો મા'બૂદ ફકત એક જ છે.
رَبُّ السَّمٰوٰتِ وَ الْاَرْضِ وَ مَا بَیْنَهُمَا وَ رَبُّ الْمَشَارِقِؕ (5)
(૫) આકાશો અને ધરતી અને તેના વચ્ચેની તમામ વસ્તુઓ અને બધી પૂર્વી દિશાઓનો રબ તે જ છે.
اِنَّا زَیَّنَّا السَّمَآءَ الدُّنْیَا بِزِیْنَةِ اِن لْكَوَاكِبِۙ (6)
(૬) અમે દુનિયાના (નજીકના) આકાશને તારાઓ વડે સુશોભિત કરીને શણગાર્યું છે.
وَ حِفْظًا مِّنْ كُلِّ شَیْطٰنٍ مَّارِدٍۚ (7)
(૭) અને અમે જ તેની સુરક્ષા કરીએ છીએ તે દરેક સરકશ (વિદ્રોહી) શેતાનથી.
لَا یَسَّمَّعُوْنَ اِلَى الْمَلَاِ الْاَعْلٰى وَ یُقْذَفُوْنَ مِنْ كُلِّ جَانِبٍ { ۖق} (8)
(૮) ઉચ્ચ દુનિયાના ફરિશ્તાઓ (ની વાતો)ને સાંભળવા માટે તેઓ કાન પણ લગાવી શકતા નથી, બલ્કે દરેક બાજુએથી તેઓને મારવામાં આવે છે.
دُحُوْرًا وَّ لَهُمْ عَذَابٌ وَّاصِبٌۙ (9)
(૯) હાંકી કાઢવા માટે અને તેમના માટે કાયમી સજા છે.
اِلَّا مَنْ خَطِفَ الْخَطْفَةَ فَاَتْبَعَهٗ شِهَابٌ ثَاقِبٌ (10)
(૧૦) આમ છતાં જો એકાદ વાત ઉચકીને લઈ ભાગે તો (તરત જ) તેના પાછળ ભડકતો અંગારો લાગી જાય છે.
فَاسْتَفْتِهِمْ اَهُمْ اَشَدُّ خَلْقًا اَمْ مَّنْ خَلَقْنَا ؕ اِنَّا خَلَقْنٰهُمْ مِّنْ طِیْنٍ لَّازِبٍ (11)
(૧૧) આ કાફિરોને પૂછો કે એમનું પેદા કરવું વધારે કઠીન છે કે જેમને અમે પેદા કર્યું છે તે? અમે તો મનુષ્યને ચીકણી માટીમાંથી પેદા કર્યો છે.
بَلْ عَجِبْتَ وَ یَسْخَرُوْنَ {ص} (12)
(૧૨) બલ્કે તમે આશ્ચર્ય કરી રહ્યા છો અને આ લોકો મજાક ઉડાવી રહ્યા છે.
وَ اِذَا ذُكِّرُوْا لَا یَذْكُرُوْنَ {ص} (13)
(૧૩) અને જ્યારે આમને નસીહત કરવામાં આવે છે તો આ લોકો નથી સમજતા.
وَ اِذَا رَاَوْا اٰیَةً یَّسْتَسْخِرُوْنَ {ص} (14)
(૧૪) અને જયારે કોઈ નિશાની જુએ છે તો મજાક ઉડાવે છે.
وَ قَالُوْۤا اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ مُّبِیْنٌۚۖ (15)
(૧૫) અને કહે છે કે, “આ તો સ્પષ્ટ જાદૂ જ છે.”
ءَاِذَا مِتْنَا وَ كُنَّا تُرَابًا وَّ عِظَامًا ءَاِنَّا لَمَبْعُوْثُوْنَۙ (16)
(૧૬) શું જ્યારે અમે મરી જઈશું અને માટી તથા હાડકાં થઈ જઈશું પછી શું (ખરેખર) અમને જીવતા કરવામાં આવશે ?
اَوَ اٰبَآؤُنَا الْاَوَّلُوْنَؕ (17)
(૧૭) અથવા અમારાથી પહેલાના અમારા બાપ-દાદાઓને પણ ?
قُلْ نَعَمْ وَ اَنْتُمْ دَاخِرُوْنَۚ (18)
(૧૮) (તમે) જવાબ આપો કે, “હાં, અને તમે અપમાનિત પણ થશો.”
فَاِنَّمَا هِیَ زَجْرَةٌ وَّاحِدَةٌ فَاِذَا هُمْ یَنْظُرُوْنَ (19)
(૧૯) તે તો ફક્ત એક જોરદાર ઝટકો હશે કે અચાનક આ લોકો જોવા લાગશે.
وَ قَالُوْا یٰوَیْلَنَا هٰذَا یَوْمُ الدِّیْنِ (20)
(૨૦) અને કહેશે કે, “હાય અમારૂ દુર્ભાગ્ય! આ તો બદલાનો દિવસ છે.”
هٰذَا یَوْمُ الْفَصْلِ الَّذِیْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ ۧ (21)
(૨૧) આ તે જ ફેંસલાનો દિવસ છે જેને તમે ખોટો ઠેરવતા રહ્યા. (ع-૧)