Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૧૨

આયત ૮૭ થી ૯૩


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُحَرِّمُوْا طَیِّبٰتِ مَاۤ اَحَلَّ اللّٰهُ لَكُمْ وَ لَا تَعْتَدُوْا ؕ اِنَّ اللّٰهَ لَا یُحِبُّ الْمُعْتَدِیْنَ (78)

(૮૭) અય ઈમાનવાળાઓ! તે પવિત્ર વસ્તુઓને હરામ ન બનાવો જેને અલ્લાહે તમારા માટે હલાલ બનાવી દીધી છે અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ (તઆલા) હદથી આગળ વધી જનારને પસંદ નથી કરતો.


وَ كُلُوْا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ حَلٰلًا طَیِّبًا {ص} وَّ اتَّقُوا اللّٰهَ الَّذِیْۤ اَنْتُمْ بِهٖ مُؤْمِنُوْنَ (88)

(૮૮) અને અલ્લાહ (તઆલા)એ જે વસ્તુઓ તમને આપી છે તેમાંથી પવિત્ર હલાલ વસ્તુઓ ખાઓ અને અલ્લાહ (તઆલા)થી ડરો, જેના પર તમે ઈમાન ધરાવો છો.


لَا یُؤَاخِذُكُمُ اللّٰهُ بِاللَّغْوِ فِیْۤ اَیْمَانِكُمْ وَ لٰكِنْ یُّؤَاخِذُكُمْ بِمَا عَقَّدْتُّمُ الْاَیْمَانَ ۚ فَكَفَّارَتُهٗۤ اِطْعَامُ عَشَرَةِ مَسٰكِیْنَ مِنْ اَوْسَطِ مَا تُطْعِمُوْنَ اَهْلِیْكُمْ اَوْ كِسْوَتُهُمْ اَوْ تَحْرِیْرُ رَقَبَةٍ ؕ فَمَنْ لَّمْ یَجِدْ فَصِیَامُ ثَلٰثَةِ اَیَّامٍ ؕ ذٰلِكَ كَفَّارَةُ اَیْمَانِكُمْ اِذَا حَلَفْتُمْ ؕ وَ احْفَظُوْۤا اَیْمَانَكُمْ ؕ كَذٰلِكَ یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اٰیٰتِهٖ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ (89)

(૮૯) અલ્લાહ (તઆલા) તમારી કસમોમાં બેકાર કસમો ૫૨ તમને નથી પકડતો, પરંતુ તેની પકડ કરે છે જે કસમોને તમે મજબૂત કરી દો, તેનો કફફારો દસ ગરીબોને મધ્યમસરનું ખવડાવો, જેવું પોતાના ઘરવાળાઓને ખવડાવો છો, અથવા તેમને કપડા પહેરાવો, અથવા એક દાસ અથવા દાસી આઝાદ કરો, અને જેનાથી આવુ ન થઈ શકે તેઓ ત્રણ દિવસ રોઝા રાખે. આ તમારી કસમોનો કફફરો છે જયારે કે તમે ક્સમ ખાઈ લો અને પોતાની કસમોની રક્ષા કરો, આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે પોતાના હુકમોનું વર્ણન કરે છે જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) બનો.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِنَّمَا الْخَمْرُ وَ الْمَیْسِرُ وَ الْاَنْصَابُ وَ الْاَزْلَامُ رِجْسٌ مِّنْ عَمَلِ الشَّیْطٰنِ فَاجْتَنِبُوْهُ لَعَلَّكُمْ تُفْلِحُوْنَ (90)

(૯૦) અય ઈમાનવાળાઓ! દારૂ, જુગાર અને મૂર્તિઓની જગ્યા અને પાસા ખરાબ શયતાની કામો છે, એટલા માટે તમે તેનાથી અલગ રહો જેથી કામયાબ થઈ જાઓ.


اِنَّمَا یُرِیْدُ الشَّیْطٰنُ اَنْ یُّوْقِعَ بَیْنَكُمُ الْعَدَاوَةَ وَ الْبَغْضَآءَ فِی الْخَمْرِ وَ الْمَیْسِرِ وَ یَصُدَّكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ وَ عَنِ الصَّلٰوةِ ۚ فَهَلْ اَنْتُمْ مُّنْتَهُوْنَ (91)

(૯૧) શયતાન ચાહે છે કે દારૂ અને જુગાર વડે તમારા વચ્ચે દુશ્મની અને ઈર્ષા નાખી દે અને તમને અલ્લાહની યાદ અને નમાઝથી રોકી દે તો તમે રોકાઓ છો કે નહિં.


وَ اَطِیْعُوا اللّٰهَ وَ اَطِیْعُوا الرَّسُوْلَ وَ احْذَرُوْا ۚ فَاِنْ تَوَلَّیْتُمْ فَاعْلَمُوْۤا اَنَّمَا عَلٰى رَسُوْلِنَا الْبَلٰغُ الْمُبِیْنُ (92)

(૯૨) અને અલ્લાહના હુકમોનું પાલન કરો અને રસૂલના હુકમોનું પાલન કરો અને હોંશિયાર રહો અને જો તમે મોઢું ફેરવ્યુ તો જાણી લો કે અમારા રસૂલ ઉ૫૨ સ્પષ્ટપણે સંદેશ પહોંચાડી દેવાનું છે.


لَیْسَ عَلَى الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِیْمَا طَعِمُوْۤا اِذَا مَا اتَّقَوْا وَّ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوْا وَّ اٰمَنُوْا ثُمَّ اتَّقَوْا وَّ اَحْسَنُوْا ؕ وَ اللّٰهُ یُحِبُّ الْمُحْسِنِیْنَ ۧ (93)

(૯૩) એવા લોકો ૫૨ જેઓ ઈમાન રાખતા હોય અને ભલાઈના કામ કરતા હોય, તે વસ્તુમાં કોઈ ગુનોહ નથી જેને તેઓ ખાતા-પીતા હોય, જયારે કે તે લોકો અલ્લાહથી ડરતા હોય અને ઈમાન રાખતા હોય અને ભલાઈના કામ કરતા હોય, પછી પરહેઝગારી કરતા હોય અને ઈમાન રાખતા હોય ફરી પરહેઝગારી કરતા હોય અને ઘણા વધારે ભલાઈના કામ કરતા હોય, અલ્લાહ આવા ભલાઈના કામો કરવાવાળાઓથી મોહબ્બત કરે છે. (ع-૧૨)