Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૧૮

આયત ૧૧૬ થી ૧૨૬


اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَ یَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ ؕ وَ مَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدْ ضَلَّ ضَلٰلًۢا بَعِیْدًا (116)

(૧૧૬) અલ્લાહ પોતાની સાથે શિર્ક કરવાને કદી પણ માફ નહિં કરે અને તેના સિવાય (ગુનાહોને) જેના માટે ઈચ્છશે માફ કરી દેશે અને જેણે અલ્લાહની સાથે શિર્ક કર્યું તે ઘણો દૂર ભટકી ગયો.


اِنْ یَّدْعُوْنَ مِنْ دُوْنِهٖۤ اِلَّاۤ اِنٰثًا ۚ وَ اِنْ یَّدْعُوْنَ اِلَّا شَیْطٰنًا مَّرِیْدًا ۙ (117)

(૧૧૭) તેઓ તો અલ્લાહ (તઆલા)ને છોડીને ફક્ત દેવીઓને પોકારે છે અને હકીકતમાં તેઓ દુષ્ટ શયતાનને પોકારે છે.

لَّعَنَهُ اللّٰهُ ۘ وَ قَالَ لَاَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِیْبًا مَّفْرُوْضًا ۙ (118)

(૧૧૮) જેને અલ્લાહ (તઆલા)એ લા’નત કરી છે અને તેણે કહ્યું છે કે તારા બંદાઓમાંથી હું મારો નક્કી કરેલ હિસ્સો લઈને ૨હીશ.


وَّ لَاُضِلَّنَّهُمْ وَ لَاُمَنِّیَنَّهُمْ وَ لَاٰمُرَنَّهُمْ فَلَیُبَتِّكُنَّ اٰذَانَ الْاَنْعَامِ وَ لَاٰمُرَنَّهُمْ فَلَیُغَیِّرُنَّ خَلْقَ اللّٰهِ ؕ وَ مَنْ یَّتَّخِذِ الشَّیْطٰنَ وَلِیًّا مِّنْ دُوْنِ اللّٰهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِیْنًا ؕ (119)

(૧૧૯) અને તેમને માર્ગથી ભટકાવતો રહીશ અને જૂઠી આશાઓ આપતો રહીશ અને તેમને તાલીમ આપીશ કે જાનવરોના કાન ચીરે અને તેમને કહીશ કે અલ્લાહની બનાવેલ સૂરતને બગાડી નાખે. સાંભળો! જે અલ્લાહને છોડીને શયતાનને પોતાનો દોસ્ત બનાવશે તે ખુલ્લા નુકસાનમાં હશે.


یَعِدُهُمْ وَ یُمَنِّیْهِمْ ؕ وَ مَا یَعِدُهُمُ الشَّیْطٰنُ اِلَّا غُرُوْرًا (120)

(૧૨૦) તે તેમનાથી (જુબાની) વાયદો કરતો રહેશે અને લીલાછમ બગીચા બતાવતો રહેશે (પરંતુ યાદ રાખો) શયતાનના જે વચનો તેમના સાથે છે તે પૂરી રીતે ધોખો છે.


اُولٰٓئِكَ مَاْوٰىهُمْ جَهَنَّمُ {ز} وَ لَا یَجِدُوْنَ عَنْهَا مَحِیْصًا (121)

(૧૨૧) આ તે લોકો છે જેમનું ઠેકાણું જહન્નમ છે, જ્યાંથી તેઓને છૂટકારો નહિ મળે.


وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ وَعْدَ اللّٰهِ حَقًّا ؕ وَ مَنْ اَصْدَقُ مِنَ اللّٰهِ قِیْلًا (122)

(૧૨૨) અને જેઓ ઈમાન લાવે અને નેક કામ કરે, અમે તેમને તે જન્નતોમાં લઈ જઈશું, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યાં તેઓ હંમેશા રહેશે. આ છે અલ્લાહનો વાયદો જે બેશક સાચો છે અને અલ્લાહથી વધારે સાચો પોતાની વાતમાં કોણ હોઈ શકે છે ?


لَیْسَ بِاَمَانِیِّكُمْ وَ لَاۤ اَمَانِیِّ اَهْلِ الْكِتٰبِ ؕ مَنْ یَّعْمَلْ سُوْٓءًا یُّجْزَ بِهٖ ۙ وَ لَا یَجِدْ لَهٗ مِنْ دُوْنِ اللّٰهِ وَلِیًّا وَّ لَا نَصِیْرًا (123)

(૧૨૩) તમારી તમન્નાઓ અને કિતાબવાળાઓની તમન્નાઓથી કશું થવાનું નથી, જે ખોટું કરશે તેની સજા પામશે અને અલ્લાહના સિવાય પોતાનો કોઈ દોસ્ત અને મદદગાર નહિં પામે.


وَ مَنْ یَّعْمَلْ مِنَ الصّٰلِحٰتِ مِنْ ذَكَرٍ اَوْ اُنْثٰى وَ هُوَ مُؤْمِنٌ فَاُولٰٓئِكَ یَدْخُلُوْنَ الْجَنَّةَ وَ لَا یُظْلَمُوْنَ نَقِیْرًا (124)

(૧૨૪) અને જે ઈમાનવાળો હોય, ચાહે પુરૂષ હોય અથવા સ્ત્રી અને તે નેક કામ કરે, બેશક આ પ્રકારનાં લોકો જન્નતમાં જશે અને ખજૂરની ગૂઠલીની ફાંક બરાબર પણ તેમનો હક મારવામાં નહિં આવે.


وَ مَنْ اَحْسَنُ دِیْنًا مِّمَّنْ اَسْلَمَ وَجْهَهٗ لِلّٰهِ وَ هُوَ مُحْسِنٌ وَّ اتَّبَعَ مِلَّةَ اِبْرٰهِیْمَ حَنِیْفًا ؕ وَ اتَّخَذَ اللّٰهُ اِبْرٰهِیْمَ خَلِیْلًا (125)

(૧૨૫) અને તેનાથી સારો દીનદાર કોણ હોઈ શકે છે જે અલ્લાહના માટે સંપૂર્ણ આત્મસમર્પણ કરી દે અને તે નેક પણ હોય, અને ઈબ્રાહીમના ધર્મનું અનુસરણ કર્યું હોય જે એકાગ્ર હતા અને ઈબ્રાહીમને અલ્લાહે પોતાનો દોસ્ત બનાવી દીધો છે.


وَ لِلّٰهِ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ وَ كَانَ اللّٰهُ بِكُلِّ شَیْءٍ مُّحِیْطًا۠ ۧ (126)

(૧૨૬) અને જે કંઈ પણ અકાશો અને ધરતીમાં છે તે અલ્લાહનું છે અને અલ્લાહ દરેક વસ્તુને ઘેરી લેનાર છે. (ع-૧)