(૨૧૩)
હકીકતમાં લોકો એક જ ઉમ્મત હતા, પછી અલ્લાહ (તઆલા)એ નબીઓને ખુશખબર આપવા અને ચેતવણી આપવા માટે મોકલ્યા અને તેમની સાથે કિતાબ ઉતારી, જેથી લોકોના દરેક મતભેદોનો ફેંસલો થઈ જાય. અને ફક્ત તે લોકોને જે આપવામાં આવેલ હતું પોતાની પાસે દલીલ આવી જવા છતાં પરસ્પર ઈર્ષા અને ઘમંડના કારણે તેમાં મતભેદો કર્યા, એટલા માટે અલ્લાહ (તઆલા)એ ઈમાનવાળાઓના આ મતભેદમાં પણ સત્ય તરફ પોતાની ખુશીથી હિદાયત આપી અને અલ્લાહ જેને ઈચ્છે તેને સીધા રસ્તા તરફ દોરી જાય છે.