Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૬

આયત ૨૧૧ થી ૨૧૬


سَلْ بَنِي إِسْرَائِيلَ كَمْ آتَيْنَاهُم مِّنْ آيَةٍ بَيِّنَةٍ ۗ وَمَن يُبَدِّلْ نِعْمَةَ اللَّهِ مِن بَعْدِ مَا جَاءَتْهُ فَإِنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ (211)

(૨૧૧) ઈસરાઈલની સંતાનોને પૂછો કે અમે તેમને કેટલી સ્પષ્ટ નિશાનીઓ આપી અને જેઓ અલ્લાહ (તઆલા)ની ને’મત પોતાની પાસે પહોંચી ગયા પછી પણ બદલી નાખે (તેઓ જાણી લે) કે અલ્લાહ (તઆલા) પણ સખત સજાઓ આપવાવાળો છે.


زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ (212)

(૨૧૨) કાફિરો માટે દુનિયાની જિંદગી શણગારી દેવામાં આવી છે, અને તેઓ ઈમાનવાળાઓથી હંસી મજાક કરે છે પરંતુ જેઓ પરહેઝગાર છે તેઓ કયામતના દિવસે તેમનાથી ખૂબ મોટો હશે, અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે છે તેમને બેશુમાર આપે છે.


كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنذِرِينَ وَأَنزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِن بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّهُ يَهْدِي مَن يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ (213)

(૨૧૩) હકીકતમાં લોકો એક જ ઉમ્મત હતા, પછી અલ્લાહ (તઆલા)એ નબીઓને ખુશખબર આપવા અને ચેતવણી આપવા માટે મોકલ્યા અને તેમની સાથે કિતાબ ઉતારી, જેથી લોકોના દરેક મતભેદોનો ફેંસલો થઈ જાય. અને ફક્ત તે લોકોને જે આપવામાં આવેલ હતું પોતાની પાસે દલીલ આવી જવા છતાં પરસ્પર ઈર્ષા અને ઘમંડના કારણે તેમાં મતભેદો કર્યા, એટલા માટે અલ્લાહ (તઆલા)એ ઈમાનવાળાઓના આ મતભેદમાં પણ સત્ય તરફ પોતાની ખુશીથી હિદાયત આપી અને અલ્લાહ જેને ઈચ્છે તેને સીધા રસ્તા તરફ દોરી જાય છે.


أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُم مَّثَلُ الَّذِينَ خَلَوْا مِن قَبْلِكُم ۖ مَّسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ (214)

(૨૧૪) શું તમે એવો વિચાર કરીને બેઠા છો કે જન્નતમાં ચાલ્યા જશો? જો કે હજી સુધી તમારા પર તે હાલત નથી આવી જે તમારાથી પહેલાનાઓ પર આવી, તેમને ગરીબી અને બીમારી પહોંચી, અને તેઓને ત્યાં સુધી હચમચાવી નાખવામાં આવ્યા કે રસૂલ અને તેમની સાથેના ઇમાનવાળાઓ કહેવા લાગ્યા કે અલ્લાહની મદદ ક્યારે આવશે? સાંભળી રાખો કે અલ્લાહની મદદ નજીક જ છે.


يَسْأَلُونَكَ مَاذَا يُنفِقُونَ ۖ قُلْ مَا أَنفَقْتُم مِّنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ (215)

(૨૧૫) તમને પૂછે છે કે તેઓ શું ખર્ચ કરે, તમે કહી દો જે માલ તમે ખર્ચ કરો તે તમારા માતા-પિતા માટે, રિશ્તેદારો, અનાથો અને ગરીબો તથા મુસાફરોના માટે છે અને તમે જે કંઈ ભલાઈ કરશો અલ્લાહ (તઆલા)ને તેનું ઇલ્મ છે.


كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَّكُمْ ۖ وَعَسَىٰ أَن تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَّكُمْ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ (216)

(૨૧૬) તમારા પર જિહાદ ફર્ઝ કરવામાં આવ્યો, ભલે ને તે તમારા માટે કઠિન માલૂમ થાય, હોઈ શકે કે તમે કોઈ વસ્તુને ખરાબ સમજો અને હકીકતમાં તે તમારા માટે સારી હોય, અને એ પણ થઈ શકે છે કે તમે જે વસ્તુને સારી સમજો અને તે તમારા માટે ખરાબ હોય, સાચુ ઇલ્મ તો અલ્લાહને જ છે તમે ફક્ત અજાણ છો.