Surah As-Saf
સૂરહ અસ્-સફ્ફ
સૂરહ અસ્-સફ્ફ
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا هَلْ اَدُلُّكُمْ عَلٰى تِجَارَةٍ تُنْجِیْكُمْ مِّنْ عَذَابٍ اَلِیْمٍ (10)
(૧૦) હે ઈમાનવાળાઓ! શું હું તમને એવો વેપાર બતાઉ કે જે તમને પીડાકારી અઝાબથી બચાવી લે ?
تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ رَسُوْلِهٖ وَ تُجَاهِدُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ بِاَمْوَالِكُمْ وَ اَنْفُسِكُمْ ؕ ذٰلِكُمْ خَیْرٌ لَّكُمْ اِنْ كُنْتُمْ تَعْلَمُوْنَ ۙ (11)
(૧૧) અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલ પર ઈમાન લાવો અને અલ્લાહના માર્ગમાં પોતાના તન, મન અને ધનથી જિહાદ કરો, આ તમારા માટે શ્રેઠ છે, જો તમારામાં જ્ઞાન હોય.
یَغْفِرْ لَكُمْ ذُنُوْبَكُمْ وَ یُدْخِلْكُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ وَ مَسٰكِنَ طَیِّبَةً فِیْ جَنّٰتِ عَدْنٍ ؕ ذٰلِكَ الْفَوْزُ الْعَظِیْمُ ۙ (12)
(૧૨) (અલ્લાહ તઆલા) તમારા ગુનાહોને માફ કરી દેશે અને તમને તે જન્નતોમાં પહોંચાડશે જેના નીચે નહેરો વહેતી હશે અને (શુદ્ધ) સ્વચ્છ ઘરોમાં જે હંમેશા રહેવાવાળી જન્નતોમાં હશે, આ ખુબ મોટી સફળતા છે.
وَ اُخْرٰى تُحِبُّوْنَهَا ؕ نَصْرٌ مِّنَ اللّٰهِ وَ فَتْحٌ قَرِیْبٌ ؕ وَ بَشِّرِ الْمُؤْمِنِیْنَ (13)
(૧૩) અને તમને એક બીજી વસ્તુ પણ આપશે જેને તમે પસંદ કરો છો, તે અલ્લાહની મદદ અને જલ્દી પ્રાપ્ત થનાર વિજય છે, અને ઈમાનવાળાઓને ખુશખબર આપી દો.
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْۤا اَنْصَارَ اللّٰهِ كَمَا قَالَ عِیْسَى ابْنُ مَرْیَمَ لِلْحَوَارِیّٖنَ مَنْ اَنْصَارِیْۤ اِلَى اللّٰهِ ؕ قَالَ الْحَوَارِیُّوْنَ نَحْنُ اَنْصَارُ اللّٰهِ فَاٰمَنَتْ طَّآئِفَةٌ مِّنْۢ بَنِیْۤ اِسْرَآءِیْلَ وَ كَفَرَتْ طَّآئِفَةٌ ۚ فَاَیَّدْنَا الَّذِیْنَ اٰمَنُوْا عَلٰى عَدُوِّهِمْ فَاَصْبَحُوْا ظٰهِرِیْنَ ۧ (14)
(૧૪) હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ (તઆલા)ની મદદ કરવાવાળા બની જાઓ, જેવી રીતે (હઝરત) મરયમના પુત્ર (હઝરત) ઈસા એ શિષ્યોને કહ્યું કે, “કોણ છે જે અલ્લાહના માર્ગમાં મારો મદદગાર બને,” (તેમના) મિત્રોએ કહ્યું કે, “અમે અલ્લાહના માર્ગમાં મદદગાર છીએ,” તો ઈસરાઈલની સંતાનમાંથી એક જૂથ તો ઈમાન લઈ આવ્યું અને એક જૂથે ઈન્કાર કર્યો, તો અમે ઈમાનવાળાઓની તેમના દુશ્મનોની સરખામણીમાં મદદ કરી તો તેઓ વિજયી થઈ ગયા. (ع-૨)