Surah Ash-Shuraa

સૂરહ અશ્-શૂરા

રૂકૂ : ૧

આયત ૧ થી ૯

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

حٰمٓ ۚ (1)

(૧) હા. મીમ.!


عٓسٓقٓ (2)

(૨) એન. સીન. કાફ.!


كَذٰلِكَ یُوْحِیْۤ اِلَیْكَ وَ اِلَى الَّذِیْنَ مِنْ قَبْلِكَ ۙ اللّٰهُ الْعَزِیْزُ الْحَكِیْمُ (3)

(૩) અલ્લાહ (તઆલા) જે પ્રભુત્વશાળી અને હિકમતવાળો છે, આવી રીતે તમારી તરફ અને તમારા પહેલા થઈ ગયેલાઓની તરફ વહી મોકલતો રહ્યો છે.


لَهٗ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ ؕ وَ هُوَ الْعَلِیُّ الْعَظِیْمُ (4)

(૪) જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે બધું જ તેનું છે, અને તે સર્વોચ્ચ અને મહાન છે.


تَكَادُ السَّمٰوٰتُ یَتَفَطَّرْنَ مِنْ فَوْقِهِنَّ وَ الْمَلٰٓئِكَةُ یُسَبِّحُوْنَ بِحَمْدِ رَبِّهِمْ وَ یَسْتَغْفِرُوْنَ لِمَنْ فِی الْاَرْضِ ؕ اَلَاۤ اِنَّ اللّٰهَ هُوَ الْغَفُوْرُ الرَّحِیْمُ (5)

(૫) નજીક છે કે આકાશ પોતાના ઉપર તૂટી પડે અને તમામ ફરિશ્તાઓ પોતાના રબની પવિત્રતાનું વર્ણન કરી રહ્યા છે અને ધરતીવાળાઓ માટે ક્ષમા-યાચના (ઈસ્તિગફાર) કરી રહ્યા છે. સારી રીતે સમજી લો કે અલ્લાહ (તઆલા) જ માફ કરનાર દયાળુ છે.


وَ الَّذِیْنَ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ اللّٰهُ حَفِیْظٌ عَلَیْهِمْ { ۖز} وَ مَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ (6)

(૬) અને જે લોકોએ તેના સિવાય બીજાઓને સંરક્ષક બનાવી રાખ્યા છે, અલ્લાહ (તઆલા) તેમને સારી રીતે જોઈ રહ્યો છે, અને તમે તેમના જવાબદાર નથી.


وَ كَذٰلِكَ اَوْحَیْنَاۤ اِلَیْكَ قُرْاٰنًا عَرَبِیًّا لِّتُنْذِرَ اُمَّ الْقُرٰى وَ مَنْ حَوْلَهَا وَ تُنْذِرَ یَوْمَ الْجَمْعِ لَا رَیْبَ فِیْهِ ؕ فَرِیْقٌ فِی الْجَنَّةِ وَ فَرِیْقٌ فِی السَّعِیْرِ (7)

(૭) અને આ રીતે અમે તમારા તરફ અરબી કુરઆનની વહી કરી છે જેથી તમે મક્કાવાસીઓને અને તેના આસપાસના વિસ્તારના લોકોને સાવધાન કરી દો, અને એકઠા થવાના દિવસથી ડરાવી દો, જેના આવવામાં કોઈ શંકા નથી, એક જૂથ જન્નતમાં હશે અને બીજુ જૂથ જહન્નમમાં હશે.


وَ لَوْ شَآءَ اللّٰهُ لَجَعَلَهُمْ اُمَّةً وَّاحِدَةً وَّ لٰكِنْ یُّدْخِلُ مَنْ یَّشَآءُ فِیْ رَحْمَتِهٖ ؕ وَ الظّٰلِمُوْنَ مَا لَهُمْ مِّنْ وَّلِیٍّ وَّ لَا نَصِیْرٍ (8)

(૮) જો અલ્લાહ (તઆલા) ચાહતો તો આ બધાને એક જ ઉમ્મત બનાવી દેતો, પરંતુ તે જેને ચાહે છે પોતાની કૃપામાં સામેલ કરી લે છે, અને જાલિમોનો સંરક્ષક અને મદદગાર કોઈ નથી.


اَمِ اتَّخَذُوْا مِنْ دُوْنِهٖۤ اَوْلِیَآءَ ۚ فَاللّٰهُ هُوَ الْوَلِیُّ وَ هُوَ یُحْیِ الْمَوْتٰى {ز} وَ هُوَ عَلٰى كُلِّ شَیْءٍ قَدِیْرٌ ۧ (9)

(૯) શું આ લોકોએ અલ્લાહના સિવાય બીજાઓને સંરક્ષક બનાવી લીધા છે ? (હકીકતમાં તો) અલ્લાહ (તઆલા) જ સંરક્ષક છે. તે જ મડદાઓને જીવતા કરશે અને તે જ દરેક વસ્તુ પર શક્તિશાળી છે. (ع-)