Surah Al-Jathiyah

સૂરહ અલ-જાસિયહ

રૂકૂ : ૨

આયત ૧૨ થી ૨૧

اَللّٰهُ الَّذِیْ سَخَّرَ لَكُمُ الْبَحْرَ لِتَجْرِیَ الْفُلْكُ فِیْهِ بِاَمْرِهٖ وَ لِتَبْتَغُوْا مِنْ فَضْلِهٖ وَ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ ۚ (12)

(૧૨) તે અલ્લાહ જ છે જેણે તમારા માટે સમુદ્રને આધીન બનાવી દીધો જેથી તેના હુકમથી તેમાં નૌકાઓ ચાલે અને તમે તેની કૃપા શોધો, અને જેથી તમે તેનો આભાર માનો.


وَ سَخَّرَ لَكُمْ مَّا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ جَمِیْعًا مِّنْهُ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ (13)

(૧૩) અને આકાશો અને ધરતીની દરેક વસ્તુને પણ તેણે પોતાના તરફથી તમારા કાબૂમાં કરી દીધી છે, જે લોકો ચિંતન-મનન કરે છે, બેશક તેમના માટે આમાં ઘણી બધી નિશાનીઓ જોશે.


قُلْ لِّلَّذِیْنَ اٰمَنُوْا یَغْفِرُوْا لِلَّذِیْنَ لَا یَرْجُوْنَ اَیَّامَ اللّٰهِ لِیَجْزِیَ قَوْمًۢا بِمَا كَانُوْا یَكْسِبُوْنَ (14)

(૧૪) તમે ઈમાનવાળાઓને કહી દો કે તેઓ તેમને માફ કર્યા કરે જેઓ અલ્લાહના દિવસોની ઉમ્મીદ નથી રાખતા, જેથી અલ્લાહ (તઆલા) એક કોમને તેમના કરતૂતોનો બદલો આપે.


مَنْ عَمِلَ صَالِحًا فَلِنَفْسِهٖ ۚ وَ مَنْ اَسَآءَ فَعَلَیْهَا {ز} ثُمَّ اِلٰى رَبِّكُمْ تُرْجَعُوْنَ (15)

(૧૫) જે કોઈ નેકી કરશે તે પોતાના ભલા માટે અને જે કોઈ બૂરાઈ કરશે તેનું ખરાબ પરિણામ તેના પર જ છે, પછી તમે બધા પોતાના રબ તરફ પાછા ફેરવવામાં આવશો.


وَ لَقَدْ اٰتَیْنَا بَنِیْۤ اِسْرَآءِیْلَ الْكِتٰبَ وَ الْحُكْمَ وَ النُّبُوَّةَ وَ رَزَقْنٰهُمْ مِّنَ الطَّیِّبٰتِ وَ فَضَّلْنٰهُمْ عَلَى الْعٰلَمِیْنَ ۚ (16)

(૧૬) અને બેશક અમે ઈસરાઈલની સંતાનને કિતાબ, રાજ્ય અને નબૂવત આપી હતી, અને અમે તેમને પવિત્ર રોજી આપી હતી, અને તેમને દુનિયાવાળાઓ ઉપર શ્રેષ્ઠતા આપી હતી.


وَ اٰتَیْنٰهُمْ بَیِّنٰتٍ مِّنَ الْاَمْرِ ۚ فَمَا اخْتَلَفُوْۤا اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَهُمُ الْعِلْمُ ۙ بَغْیًۢا بَیْنَهُمْ ؕ اِنَّ رَبَّكَ یَقْضِیْ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ فِیْمَا كَانُوْا فِیْهِ یَخْتَلِفُوْنَ (17)

(૧૭) અને અમે તેમને ધર્મની સ્પષ્ટ નિશાનીઓ પ્રદાન કરી, ત્યારબાદ તેમણે પોતાના પાસે ઈલ્મ આવી ગયા પછી પરસ્પર દ્વેષ-વિવાદના કારણે મતભેદ કર્યો, આ લોકો જે-જે વાતોમાં મતભેદ કરી રહ્યા છે તેનો ફેંસલો કયામતના દિવસે તેમના વચ્ચે તમારો રબ (જાતે) કરશે.


ثُمَّ جَعَلْنٰكَ عَلٰى شَرِیْعَةٍ مِّنَ الْاَمْرِ فَاتَّبِعْهَا وَ لَا تَتَّبِعْ اَهْوَآءَ الَّذِیْنَ لَا یَعْلَمُوْنَ (18)

(૧૮) પછી અમે તમને ધર્મના (સ્પષ્ટ) માર્ગ પર કાયમ કરી દીધા, તો તમે તેના પર લાગેલા રહો અને નાદાનોની ઈચ્છાઓનું અનુસરણ ન કરો.


اِنَّهُمْ لَنْ یُّغْنُوْا عَنْكَ مِنَ اللّٰهِ شَیْئًا ؕ وَ اِنَّ الظّٰلِمِیْنَ بَعْضُهُمْ اَوْلِیَآءُ بَعْضٍ ۚ وَ اللّٰهُ وَلِیُّ الْمُتَّقِیْنَ (19)

(૧૯) (યાદ રાખો) કે આ લોકો ક્યારેય અલ્લાહના મુકાબલામાં તમારા કોઈ કામ નહિ આવે. (સમજી લો કે) જાલિમ લોકો પરસ્પર એકબીજાના દોસ્ત હોય છે અને પરહેઝગારોનો દોસ્ત અલ્લાહ છે.


هٰذَا بَصَآئِرُ لِلنَّاسِ وَ هُدًى وَّ رَحْمَةٌ لِّقَوْمٍ یُّوْقِنُوْنَ (20)

(૨૦) આ (કુરઆન) તમામ લોકો માટે સૂઝ-બૂઝની વાતો છે અને હિદાયત અને રહમત છે, તે લોકો માટે જેઓ વિશ્વાસ કરે.


اَمْ حَسِبَ الَّذِیْنَ اجْتَرَحُوا السَّیِّاٰتِ اَنْ نَّجْعَلَهُمْ كَالَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ سَوَآءً مَّحْیَاهُمْ وَ مَمَاتُهُمْ ؕ سَآءَ مَا یَحْكُمُوْنَ ۧ (21)

(૨૧) શું તે લોકો જેઓ બૂરા કામ કરે છે, એવું સમજી બેઠા છે કે અમે તેમને તે લોકો જેવા કરી દઈશું જેઓ ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા જેથી તેમનું જીવવું-મરવું એક્સરખું થઈ જાય ? ખરાબ નિર્ણયો છે જે તેઓ કરી રહ્યા છે.(ع-)